Sunday, July 24, 2022

ભારતીય જળ સીમામાંથી બે બોટ સાથે ઝડપાયેલ ઇરાની સામે નવી બંદર મરીન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાઈ | A complaint was registered at the Navi Bandar Marine Police Station against the Iranians caught with two boats in Indian waters

પોરબંદરએક કલાક પહેલા

  • કૉપી લિંક
  • જીણવટભરી તપાસ કર્યા બાદ વધુ હકીકત બહાર આવી શકશે
  • મેરીટાઈમ ઝોન ઓફ ઇન્ડિયા એક્ટ 1981ની વિવિધ કલમો તેમજ ફોરેનર્સ એક્ટ 1946ની કલમ હેઠળ ગુનો દાખલ

પોરબંદરની કોસ્ટગાર્ડ જેટી ખાતે ગઇકાલ દિવસભર એન.સી.બી,એસ.ઓ.જી કોસ્ટગાર્ડ તેમજ આઇબી અને સીઆઇડી સહિતની અલગ-અલગ સુરક્ષા એજન્સીઓ દ્વારા સઘન પૂછપરછ કરવામાં આવી હતી. કોસ્ટગાર્ડ જેટી ખાતે સઘન પૂછપરછ બાદ તમામ ક્રુ મેમ્બરોને પોરબંદર એસ.ઓ.જીને હવાલે કરવામાં આવ્યા હતા.

નવી બંદર મરીન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવી
આ સમગ્ર મામલે પોરબંદર જિલ્લા પોલીસવડા ડો.રવિ મોહન સૈનીએ પત્રકારોને માહિતી આપતા જણાવ્યું હતું કે, ઈરાનની અખ્તર અલી તેમજ અત્તાહ નામની બે બોટ સાથે ઝડપાયેલ તમામ 15 આરોપીઓ વિરુદ્ધ નવી બંદર મરીન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવી હતી. આરોપીઓ વિરુદ્ધ મેરીટાઈમ ઝોન ઓફ ઇન્ડિયા એક્ટ 1981ની વિવિધ કલમો તેમજ ફોરેનર્સ એક્ટ 1946ની કલમ હેઠળ નવી બંદર મરીન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે.

આરોપીઓ પાસેથી કોઈ સંદિગ્ધ વસ્તુઓ મળી છે કે કેમ તે અંગે પુછવામાં આવતા
પોરબંદર જિલ્લા પોલીસવડાએ આ અંગે જાણકારી આપતા જણાવ્યું હતું કે, તમામ ખલાસીઓ વિરુદ્ધ ગુનો નોંધી તેઓ અન્ય કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિ સાથે જોડાયેલા છે, કેમ તે અંગેની તપાસ પોરબંદર એસ.ઓ.જી પીઆઈ કે.આઇ.જાડેજાને સોપવામાં આવી છે. આરોપીઓની સઘન તપાસ બાદ જ વધુ જાણકારી બહાર આવી શકશે કે તેઓ પાસેથી કોઈ સંદિગ્ધ વસ્તુઓ રહેલી છે કે કેમ તેમજ તેઓ ક્યા ઇરાદાથી ભારતીય જળસીમામાં પ્રવેશ્યા હતા.

જીણવટભરી તપાસ કર્યા બાદ વધુ હકીકત બહાર આવી શકશે
ના
અરબી સમુદ્રનો ઉપયોગ કરીને છેલ્લા ઘણા સમયથી ડ્રગ્સ માફીયાઓ દ્વારા અવાર-નવાર યુવાધનને બરબાદ કરવાના ઇરાદે ડ્રગ્સ ઘુસાડવાના પ્રયાસો થઇ રહ્યા છે. અગાઉ પણ ઇન્ડિયન કોસ્ટગાર્ડ તેમજ એનસીબી તેમજ એટીએસ દ્વારા મોટા પ્રમાણમાં ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યાની ઘટનાઓ ભૂતકાળમાં સામે આવી છે. ત્યારે હાલ તો પોરબંદર એસ.ઓ.જી પીઆઈ કે જેઓને આ મામલે તપાસ સોપવામાં આવી છે. તેઓ જુદા-જુદા એગંલો સાથે તપાસ હાથ ધરીને તપાસ હાથ ધરી ખરેખર આરોપીઓ ખલાસીઓ જ છે કેમ તેમજ તેઓ ક્યા ઇરાદાથી ભારતીય જળસીમા પ્રવેશ્યા હતા. તેમજ તેઓ પાસે કોઇ સંદિગ્ધ વસ્તુઓ છે કેમ તેની જીણવટભરી તપાસ કર્યા બાદ વધુ હકીકત બહાર આવી શકશે.

અન્ય સમાચારો પણ છે…

Related Posts: