- ગુજરાતી સમાચાર
- સ્થાનિક
- ગુજરાત
- વલસાડ
- વલસાડ જિલ્લામાં ભારે વરસાદને કારણે પીઠા ગામનું તળાવ ઓવરફ્લો થયું, તળાવનું પાણી આસપાસના ગામોના ખેતરોમાં વહી ગયું.
વલસાડએક કલાક પહેલા
- કૉપી લિંક

- ખેતરમાં પાણી ફરી વળતા વાવેતરને નુકસાન
વલસાડ જિલ્લામાં ભારે વરસાદને લઈ અનેક જગ્યા પાણી ભરાયા હતા તો વલસાડના પીઠા ગામનું મોટા તળાવની પાળ તૂટતા 4 થી 5 ગામો ની 250 થી 300 વીઘા જમીનમાં તળાવના પાણી ઘૂસતા ડાંગર, શેરડી, અને લીલા શાકભાજીના પાકને થયું નુકસાન ખેડૂતોને રડવાનો વારો આવ્યો છે.

ખેતરોમાં પાણી ફરી વળતા વાવેતરને નુકસાન
વલસાડ તાલુકા ના પીઠા ગામનું મોટું તળાવ ભારે વરસાદ ને લઈ ઓવરફ્લો થયું હતું. તળાવના પાણીનો નિકાલ ન થતા તળાવની પાળ તૂટતા તળાવનું પાણી પીઠા, પદારીયા, કલવાડા, સહિત અન્ય બે ગામો મળી 4 થી 5 ગામોના ખેતરોમાં ઘુસ્યા હતા. તળાવના પાણી ખેડૂતોના કહેવા મુજબ અંદાજીત 250 થી 300 વીઘા જમીન માં ઉભા પાક ડાંગર,શેરડી તેમજ આંબાવાડી અને ચીકુવાડીમાં પાણી ઘૂસતા મોટા પ્રમાણમાં પાક ને નુકશાન થવા પામ્યું છે. સાથે સાથે પીઠા ગામે આવેલ રાઈસ મિલ માં પણ પાણી ફરી વળતા રાઇસમિલ માલિક ને પણ નુકશાન થવા પામ્યું હતું.

પીઠા ગામ ના લોકો એ ગામ સરપંચને પણ રજુઆત કરી છે ત્યારે ખેડૂતો સરકાર પાસે નુકસાનીને લઈ સર્વે થાય અને વળતર મળે તેવી માંગ કરી રહ્યા છે.
