વલસાડ39 મિનિટ પહેલા
- કૉપી લિંક

- મતદારયાદીમાં નામ નોંધણી કરાવવા, નામ રદ્દ કરવા, કોઈ નામની સામે વાંધો લેવા, નામ કે અન્ય વિગતો સુધારવાની કામગીરી થશે
ભારતના ચૂંટણી પંચ દ્વારા ‘મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ-2022’ જાહે૨ ક૨વામાં આવ્યો છે. જે મુજબ જે નાગરિક તા. 1લી ઓક્ટોબર 2022ની લાયકાતની તારીખના રોજ 18 વર્ષ કે તેથી વધુ ઉમર પૂર્ણ કરતા હોય તેવા નાગરિકો માટે તા.12 ઓગષ્ટથી તા.11મી સપ્ટેમ્બર 2022 સુધી એક મહિના દરમિયાન મતદારો મતદારયાદીમાં નામ નોંધણી કરાવવા, નામ રદ્દ કરવા, કોઈ નામની સામે વાંધો લેવા, નામ કે અન્ય વિગતો સુધારવા માટે સંબંધિત નિયત નમુનાના ફોર્મ ભરી જરૂરી આધાર-પૂરાવાઓ સાથે તેમના રહેઠાણ વિસ્તારના મતદાર નોંધણી અધિકારી, મદદનીશ મતદાર નોંધણી અધિકારી અથવા બુથ લેવલ ઓફિસરોને હકકદાવાઓ રજુ કરી શકશે.

જિલ્લા કલેક્ટરે જણાવ્યું હતું કે, જિલ્લામાં ફોટા વાળી મતદારયાદી સુધારણા અંતર્ગત તા.12 ઓગષ્ટથી તા. 11 સપ્ટેમ્બરના એક મહિનાના સમયગાળા દરમિયાન લોકો મતદારયાદીમાં નામોની નોંધણી કે સુધારા વધારા કરી શકાશે. ખાસ ઝુંબેશરૂપે તા.21 ઓગષ્ટ અને તા.28 ઓગાષ્ટના (રવિવાર) તેમજ તા.04થી સપ્ટેમ્બર અને તા.11 સપ્ટેમ્બર (રવિવાર)ના રોજ સવારે 10થી સાંજે 5 વાગ્યા સુધી મતદારયાદી સુધારણા હેઠળ બી.એલ.ઓ. જે તે મતદાન મથકે ઉપસ્થિત રહેશે.
એક મહિના દરમિયાન ચાલનાર મતદારયાદી સુધારણા હેઠળ 18 વર્ષની ઉંમર પૂર્ણ કરનાર યુવા નાગરિકો મતદા૨યાદીમાં નામ દાખલ કરાવવા ફોર્મ નં. 6, મૃત્યુ સ્થળાંતરના કિસ્સામાં નામ કમી કરવા ફોર્મ નં. 7, સુધારા માટે ફોર્મ નં. 8 જરૂરી આધાર પુરાવા સાથે ઉપરોક્ત ચાર રવિવાર દરમિયાન સબંધિત મતદાન મથકે નામનોંધણી અને સુધારા કરાવી શકશે. તા.10મી ઓક્ટોબર (સોમવાર)ના રોજ મતદારયાદીની આખરી પ્રસિધ્ધિ થશે.
કલેક્ટરે વધુમાં ઉમેર્યું કે, વિશિષ્ટ આયોજનના ભાગરૂપે જિલ્લાની તમામ કોલેજોમાં યુવા મતદારોની નોંધણી માટે કેમ્પસ એમ્બેસેડરની નિમણૂંક કરવામાં આવી છે. મતદાર યાદીમાં નામ ચકાસવા માટે તેમજ નામ દાખલ, કમી કરવા અને સુધારાની અરજી www.voterportal.eci.gov.in અથવા www.nvsp.in અથવા Voter Helpline મોબાઈલ એપ અથવા www.ceo.gujarat.gov.in ઉપર પણ ઓનલાઈન અરજી કરી શકાશે. વિશેષ જાણકારી માટે હેલ્પલાઈન નં.1950 ૫૨ સંપર્ક કરવો.
આ કાર્યક્રમનો મહત્તમ લાભ લેવા અને ખાસ કરીને 18 વર્ષ પૂર્ણ કર્યા હોય તેવા યુવા મતદારો માટે મતદારયાદીમાં નોંધણી કરાવવાની સુવર્ણ તક હોવાથી વધુમાં વધુ નાગરિકો ઘરઆંગણે આ ખાસ ઝુંબેશનો લાભ લેવા કલેક્ટરશ્રીએ ભારપૂર્વક અનુરોધ કર્યો હતો.
નોંધનીય છે કે, વલસાડ જિલ્લાની પાંચ વિધાનસભા 178- ધરમપુર, 179- વલસાડ, 180- પારડી, 181-કપરાડા અને 182- ઉમરગામ મળી કુલ 13,01,422 જેટલા મતદારો નોંધાયેલા છે. જેમાં પુરૂષ મતદારો 6,71,153 જયારે મહિલા મતદારો 6,30,258 તથા અન્ય 11 જેટલા મતદારો નોંધાયેલા છે. જે પૈકી 9,310 દિવ્યાંગો નોંધાયેલા છે. સૌથી વધુ 182- ઉમરગામ મતવિસ્તારમાં 2,78,835 તથા સૌથી ઓછા 178- ધરમપુર મતવિસ્તારમાં 2,46,816મતદારો નોંધાયેલા છે. વલસાડ જિલ્લાના યુવાનોને મોટી સંખ્યામાં મતદાન કરવા માટે મતદાન યાદીમાં નામ નોંધાવવા માટે આહ્વાન કર્યું હતું.