Saturday, August 13, 2022

ભરૂચ જિલ્લામાં 21 અને 28મી ઓગષ્ટ તેમજ સપ્ટેમ્બર મહિનામાં રવિવારે મતદારયાદી સુધારણા કાર્યક્રમ યોજાશે | Electoral reform program will be held in Bharuch district on 21st and 28th August and on Sundays in the month of September.

ભરૂચ33 મિનિટ પહેલા

  • કૉપી લિંક
  • મતદારયાદીમાં પોતાનું નામ ઉમેરવા/કમી કરવા/સુધારવા વગેરે કામગીરી કરાશે

ભરૂચ જિલ્લામાં 21 અને 28મી ઓગસ્ટ તેમજ સપ્ટેમ્બર માસની 4 અને 11મીના રોજ ખાસ મતદારયાદી સુધારણા ઝુંબેશ હાથ ધરવામાં આવશે. ભરૂચ જિલ્લા કલેકટર કચેરીના સભાખંડ ખાતે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર તુષાર સુમેરાની અધ્યક્ષતામાં મતદારયાદી સુધારણા ઝુંબેશના કાર્યક્રમની જાણ લોકોને થાય તેમજ વધુને વધુ લોકો આ કાર્યક્રમમાં સહભાગી બને તે હેતુથી બેઠક મળી હતી.

વાંધા અરજીઓ સ્વીકારવાની ખાસ વ્યવસ્થા ગોઠવાશે
ભરૂચ જિલ્લામાં સમાવિષ્ટ 1358 મતદાન મથકોએ તમામ મતદારો, જાહેર જનતાએ મતદારયાદીમાં પોતાનું નામ ઉમેરવા,કમી કરવા,સુધારવા સહીતની કામગીરી કરી શકાય અને એક મજબુત, પારદર્શક અને ક્ષતિરહિત મતદારયાદીનું ગઠન થાય તે માટે 12 ઓગષ્ટથી 11 સપ્ટેમ્બર સુધી ભારત ચૂંટણી પંચ તરફથી ખાસ ઝુંબેશના દિવસો યોજવાની જાહેરાત કરી છે. જે ઝુંબેશના દિવસો પૈકી તા.21/08/2022 (‌રવિવાર), તા.28/08/2022 (રવિવાર), તા.04/09/2022 (રવિવાર) અને તા.11/09/2022 (રવિવાર) ના દિવસોને ખાસ ઝુંબેશના દિવસો તરીકે યોજવાની જાહેરાત કરી છે. આ ઝુંબેશના દિવસો દરમ્યાન આપ જ્યાં રહો છો તે વિસ્તારની આજુબાજુમા આવેલા બુથમાં બુથ લેવલ ઓફિસર દ્વારા સવારે 10થી સાંજે 5 કલાક સુધી મતદાન મથક ખાતે ઉપસ્થિત રહીને હક્ક-દાવા, વાંધા અરજીઓ સ્વીકારવાની ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવશે.

જાહેર જનતાને અપીલ
આ દિવસો દરમિયાન આપ વધુને વધુ લોકો, મતદારો અત્રેના જિલ્લામાં સમાવિષ્ટ વિધાનસભા મતવિસ્તારની મતદારયાદી સુદ્રઢ અને સમૃદ્ધ થાય તે માટે સક્રિય રસ લેવા અને પોતાનું યોગદાન આપવા અપીલ કરી છે. લોકોને બુથ પર ન જવું હોય તો પોતાના મોબાઇલ મારફત NVSP પોર્ટલ પર જઇ પોતાના નામ ઉમેરો, સુધારો, કમી ઘરે બેસીને પણ કરી શકશે.આ વખતે ભારતના ચૂંટણી પંચ દ્વારા આગામી વિધાનસભા ચૂંટણી ધ્યાનમાં રાખી એક મહત્વપૂર્ણ સુધારો કરેલી છે. જેમાં 01 ઓકટોબર 2022ના રોજ 18 વર્ષ પૂર્ણ કરનાર તમામ મતદમરોને મતદારયાદીમાં સામેલ થવા સૂર્વણ તક પૂરી પાડવામાં આવી છે. જેથી યુવા મતદારોની નોંધણીમાં વધારો થાય. ભારત ચૂંટણી પંચ દ્વારા ફોર્મ-6 બી દ્વારા પોતાના ચુંટણી કાર્ડ સાથે આધાર કાર્ડને લીંક કરવાની પણ સુવિધા ઉપલબ્ધ કરેલી છે. જેથી પોતાના ચૂંટણી કાર્ડ સાથે આધારકાર્ડને લીંક કરવા માટેની સુવિધાનો લાભ તમામ મતદારોને લેવા અનુરોધ કર્યો છે. જેથી ભારત ચુંટણી પંચના મતદારયાદી સુધારણાના કાર્યક્રમમાં ભરૂચ જિલ્લાના લોકો વધુમાં વધુ ભાગ લેવા અને બુથ લેવલ ઓફિસરોને સહકાર આપવા જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર દ્વારા જાહેર જનતાને અપીલ કરાઈ છે.

અન્ય સમાચારો પણ છે…

Related Posts: