Monday, August 15, 2022

સિદ્ધપુરના કાયણ ગામના અહેમદચાચા છેલ્લા 22 વર્ષથી પોતાના ઘરના ધાબે 365 દિવસ દરરોજ રાષ્ટધ્વજ લહેરાવી સલામી આપે છે | Ahmedchacha of Kayan village of Siddhapur has been saluting the national flag every day for 365 days from the roof of his house for the past 22 years.

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • Ahmedchacha Of Kayan Village Of Siddhapur Has Been Saluting The National Flag Every Day For 365 Days From The Roof Of His House For The Past 22 Years.

પાટણ20 મિનિટ પહેલા

  • કૉપી લિંક
  • 1932માં જન્મેલા અહેમદચાચાનું બાળપણ અંગ્રેજો સાથેની લડાઇમાં વિત્યું

દેશમાં આજે હર ઘર તિરંગા લહેરાય છે. ત્યારે પાટણમાં એવા દેશપ્રેમી છે, જે છેલ્લા 22 વર્ષથી તેમના ઘરે 365 દિવસ પોતાન ઘરના ધાબે ધ્વજ લહેરાવી સલામી આપે છે. પાટણ જિલ્લાના સિદ્ધપુર તાલુકાના કાયણ ગામના અહેમદચાચા નાંદોલિયા સતત 22 વર્ષથી પોતાના ઘરના પરિસરમાં 365 દિવસ વર્ષોથી પોતાના મકાન પર દરરોજ રાષ્ટધ્વજ લહેરાવી સલામી આપી દેશાભિમાન અને ભારતીય હોવાના ગૌરવનું જીવતું જાગતું ઉદાહરણ સિદ્ધપુર તાલુકાના કાયણ ગામે જોવા મળી રહ્યું છે. કાયણ ગામના અહેમદચાચા આજે 90 વર્ષની વયે પણ નિયમિત પોતાના ઘર પરિસરમાં આન બાન અને શાનથી તિરંગો લહેરાવી જોમ સાથે સલામી આપે છે.

આખું વર્ષ દેશભક્તિના જુસ્સામાં
15મી ઓગષ્ટ ભારતના ઇતિહાસમાં આ તારીખ અમર થઈ ગઈ છે. જ્યાં સુધી આ સૃષ્ટિ પર જીવન હશે ત્યાં સુધી દર 15મી ઓગષ્ટ અને 26મી જાન્યુવારીએ દરેક ભારતીય જોમ અને જુસ્સા સાથે તિરંગાને સલામી આપશે વર્ષમાં બે વાર અપ્રિતમ દેશભક્તિ દર્શાવવી સહજ છે પણ શું! 365 દિવસ એટલે કે આખું વર્ષ દેશભક્તિના જોમ જુસ્સા સાથે ત્રિરંગો ફરકાવી સલામી આપવી સહજ છે. દેશમાં કદાચ ખુબજ ઓછા લોકો એવા હશે જે આ રીતે દેશાભિમાન દર્શાવતા હશે.

નિયમોના પાલન સાથે તિરંગો
રાષ્ટ્રપ્રેમી અહેમદચાચાને વિચાર આવ્યો કે, જો અમેરિકા કે બ્રિટન જેવા દેશના લોકો પોતાના મકાન પર પોતાનો રાષ્ટ્રધ્વજ ફરકાવી શકતા હોય તો એક ભારતીય પોતાના ખાનગી મકાન પર આપણો તિરંગો કેમ ન લહેરાવી શકે. તે માટે તેમણે આપણી સર્વોચ્ચ અદાલતમાં અપીલ કરવા નક્કી કર્યું. પણ તેવામાં જ એક વ્યક્તિની અપીલને માન્ય રાખી સુપ્રિમકોર્ટે ખાનગી મકાન પર નિયમોનું પાલન કરીને રાષ્ટ્રધ્વજ ફરકાવવાની પરવાનગી આપી હતી. જેને લઇ સર્વોચ્ચ અદાલત પરવાનગી અને નીતિ નિયમો સાથે અહેમદ ચાચા નિત્ય ક્રમ મુજબ ધ્વજ ફરકાવી સલામી આપે છે જે તેમનો દેશ પ્રેમ છે.

અંગ્રેજો સાથે લડાઇમાં બાળપણ વિતાવ્યું
કાયણ ગામેં રહેતા 90 વર્ષના અહેમદચાચા નાનદોલીયા તેમની જિંદગીનો છેલ્લો પડાવ વિતાવી રહ્યા છે. 1932માં જન્મેલા અને અંગ્રેજો સાથેની લડાઈમાં જુલુસમાં અને રેલીઓમાં નાનપણથી જોડાઈને દેશભક્તિનો પરિચય કરાવ્યો હતો. દેશની આજાદી પછી શેરીઓમાં ત્રિરંગો લઈને ઉત્સાહ સાથે ફર્યા હતા.દિલો દિમાગમાં રાષ્ટ ભક્તિ એવીતો ઘર કરી ગઈ હતી. અહેમદચાચા ના મતે તેમના માં નાનપણ થી જ દેશ પ્રેમ હોઈ જયારે આઝાદી બાદ સૈન્ય માં જરૂર પડી ત્યારે ત્રણેક વર્ષ માટે તેઓ ભારતીય ફોજ માં જોડાયેલા હતા. અને તેમાંથી તેમને પ્રેરણા લઈ 2000ના વર્ષથી પોતાના ઘર ની બહાર નિયમિત એટલેકે 365 દિવસ રાષ્ટ્ર ધ્વજ ફરકાવી સલામી આપે છે.

અન્ય સમાચારો પણ છે…

Related Posts: