- ગુજરાતી સમાચાર
- સ્થાનિક
- ગુજરાત
- રાજકોટ
- ગુજરાતનું સૌથી મોટું નળ કૌભાંડ 3 વર્ષમાં 8919 કરોડ રૂપિયામાંથી 3800 કરોડ રૂપિયા ગામડે ગામડે પાણી પહોંચાડવાના નામે
રાજકોટએક કલાક પહેલાલેખક: ઈમરાન હોથી
- કૉપી લિંક

ફાઇલ તસવીર
- સ્ટાફ કોન્ટ્રાકટ આધારિત હોવાથી ખાનગી પેઢી જેવો વહીવટ ચાલ્યો, કૌભાંડ બાદ સરકારી અધિકારી મુકાયા
- જ્યાં પહેલેથી નળ હતા એવાં ગામોમાં નળ નાખવાના નામે નાણાં સગેવગે કરી દેવાયાં, જ્યાં નળ છે ત્યાં 7 દિવસે પાણી આવે છે
- રાજ્યના આ જિલ્લાઓમાં હજુ પણ ટેન્કર યુગ – 100 ટકા જાહેર થયેલા જિલ્લાઓમાં પાણીની સૌથી વધુ તંગી ઊભી થઈ છે
કેન્દ્ર સરકારે દરેક ગામમાં ઘરે ઘરે નળથી પાણી પહોંચે તે માટે જલ જીવન મિશન અંતર્ગત નલ સે જલ અને હર ઘર જલ જેવી યોજના બહાર પાડી ગ્રામ્ય વિસ્તારો માટે કરોડો રૂપિયાની ગ્રાન્ટ આપી જેમાં રાજ્ય સરકારે કેન્દ્ર જેટલો જ ફાળો આપવાનો છે. ગુજરાતમાં છેલ્લાં 3 જ વર્ષમાં કેન્દ્ર અને રાજ્ય સહિત કુલ 8919.04 કરોડ રૂપિયાનો જંગી ખર્ચ ગામોમાં નળ કનેક્શન પહોંચાડવા માટે થયો છે. ભાસ્કરને સૂત્રો પાસેથી પ્રાપ્ત જાણકારી અનુસાર નળ કનેક્શનના નામે 3800 કરોડ રૂપિયાનું કૌભાંડ આચરવામાં આવ્યું છે. નલ સે જલ યોજના હેઠળ રાજ્યના 16 જિલ્લા 100 ટકા નલ સે જલ જાહેર કરાયા છે.
ભાસ્કરે સતત 15 દિવસ સુધી નલ સે જલની તમામ વિગતો એકઠી કરીને જે ગામોમાં 100 ટકા કનેક્શન આપ્યાની વાતો કરી છે ત્યાં સ્થિતિ ચકાસતા જોવા મળ્યું હતું કે, જ્યાં પહેલાથી નળ કનેક્શન છે ત્યાં નવા નળ કનેક્શન આપવા માટે ગ્રાન્ટ મંજૂર કરાવી 100 ટકા કામ થયાનું બિલ મુકાઈ ગયું પણ કામ અડધું જ થયું. જે ગામોનો લક્ષ્યાંક અપાયો ત્યાં દરેક ઘરે નળ આપવાને બદલે જેટલા નળ અપાયા તેટલા જ ઘરની સંખ્યાને આખા ગામની કુલ સંખ્યા ગણાવી 100 ટકા કહી દીધું આવી અલગ અલગ રીતે કૌભાંડ આચર્યું છે. ભાસ્કરે આ અંગે વાસ્મોના અધિકારીઓ સાથે વાત કરવાના પ્રયાસો કર્યા હતા પણ કોઈ અધિકારી જવાબ આપવા આગળ આવ્યા નહોતા.
સમગ્ર ગુજરાતમાં માત્ર 3 વર્ષમાં 22.99 લાખ ઘરમાં નળ કનેક્શન આપી દીધા છે પણ હકીકત એ છે કે બીજા જિલ્લા તો દૂર 100 ટકા જાહેર થયા તે જિલ્લાના ગામોમાં પણ હજુ ટેન્કર યુગ છે કારણ કે ત્યાં હજુ કનેક્શન કે પાણી પહોંચ્યા જ નથી તેથી દરરોજ પાણી પુરવઠા વિભાગ જુદા જુદા ગામોમાં દૈનિક 1000થી વધુ ટેન્કર પાણી પહોંચાડે છે. જેનો ખર્ચ અને આ જવાબદારી જેના શિરે છે તે વાસ્મોના અધિકારી કર્મચારીઓ ભરપૂર ભ્રષ્ટાચાર કર્યો છે.
જિલ્લો | ટેન્કરના ફેરા |
ટેન્કર નિર્ભર ગામોની સંખ્યા (31-5ની સ્થિતિ) |
દાહોદ | 6 | 1 |
પંચમહાલ | 77 | 4 |
મહીસાગર | 67 | 23 |
પાટણ | 62 | 17 |
બનાસકાંઠા | 334 | 109 |
મોરબી | 10 | 3 |
રાજકોટ | 183 | 32 |
સુરેન્દ્રનગર | 47 | 17 |
કચ્છ | 133 | 45 |
અમરેલી | 28 | 10 |
ગીર સોમનાથ | 67 | 21 |
દ્વારકા | 38 | 10 |
ભાવનગર | 6 | 1 |
કુલ | 1058 | 294 |
પીપરડી ગામે 993 કનેક્શન માટે 96 લાખ, કામ અડધું જ થયું
વીંછિયા તાલુકાના પીપરડી ગામે હર ઘર જલ અને નલ સે જલ યોજના આવ્યા બાદ આ ગામમાં 993 ઘરમાં નળ કનેક્શન આપવા માટે 96.44 લાખ રૂપિયાનો ખર્ચ 2020-21માં મંજૂર કરાયો હતો. અહીં વાસ્મોએ એક પણ નવું કનેક્શન આપ્યું નથી. ગામના સરપંચ રતિલાલ પરમારનો સંપર્ક કરતા તેઓએ કહ્યું હતું કે, વાસ્મોએ લાઈન નાખવા માટે યોજના મૂકી છે અને અડધા ગામમાં લાઈન નખાઈ ગઈ છે. બીજા અડધા ગામમાં જૂનું નેટવર્ક કામ કરે છે. આ ઉપરાંત જ્યાં નવી લાઈન નાખી છે ત્યાં જૂના પાઈપ પણ કાઢવામાં આવ્યા નથી. વાસ્મોએ જે નેટવર્ક કાર્યરત હતું તેમાં નવી લાઈન નાખી છે આવું એક બે નહિ રાજ્યના અનેક ગામોમાં કરાયું છે.
16 જિલ્લા જ્યાં દરેક ગામમાં 100 ટકા નળથી પાણી આપ્યાનો દાવો
જિલ્લો | નળ કનેક્શન |
આણંદ | 401,409 છે |
ભાવનગર | 254497 છે |
બોટાદ | 99640 છે |
ડાંગ | 47511 છે |
દ્વારકા | 115529 છે |
ગાંધીનગર | 309826 છે |
ગીર સોમનાથ | 172494 છે |
જૂનાગઢ | 200130 |
કચ્છ | 392043 છે |
ખેડા | 369324 છે |
મહેસાણા | 510503 છે |
મોરબી | 185100 છે |
પાટણ | 284832 છે |
પોરબંદર | 63572 છે |
રાજકોટ | 322732 છે |
વડોદરા | 295351 છે |
ખાયકીની આશંકા બાદ ચાલુ વર્ષે સરકારે IASની નિમણૂક કરી હતી
વાસ્મો એટલે કે વોટર એન્ડ સેનિટેશન મેનેજમેન્ટ ઓર્ગેનાઈઝેશન સરકાર હસ્તકની સંસ્થા છે તેને નલ સે જલની જવાબદારી અપાઈ છે. આ સંસ્થામાં જિલ્લા અને તાલુકા કક્ષાએ તમામ સ્ટાફ કોન્ટ્રાક્ટ પર ભરતી થયેલા છે. 3 વર્ષમાં કરોડો રૂપિયા ખર્ચાઈ ગયા બાદ સરકારને ગંધ આવતા આખરે ચાલુ વર્ષે એક આઈએએસ અધિકારીને સીઈઓ તરીકે નિમ્યા છે.
નલ સે જલમાં કેન્દ્ર અને રાજ્ય સરકારે કરેલો ખર્ચ
વર્ષ | ખર્ચ(કરોડ) |
2019-20 | 779 |
2020-21 | 1721.93 |
2021-22 | 4351.1 |
2022-23 | 2066.66 |
કુલ | 8919.04 |
આખા ગામમાં 175 ઘર છતાં વાસ્મોના ચોપડે 450 કનેક્શનની નોંધ, 7 દિવસે પાણી આવે
રાજકોટની ભાગોળે આવેલા બારવણ ગામના પૂર્વ સરપંચ અને હાલ કારોબારી સભ્ય પાંચાભાઈ મકવાણાને ગામની સ્થિતિ વિશે પૂછતા જણાવ્યું હતું કે, ગામમાં બે બોર કરાવ્યા છે છતાં ટેન્કરની દરરોજ ટેન્કરની જરૂર પડે છે ક્યારેક બે તો ક્યારેક 3 ટેન્કર ઉનાળે આવે ચોમાસે વળી જરૂર ન પડે. ગામમાં 175 ઘર છે. વાસ્મોના ચોપડે બારવણ ગામમાં 451 નળ કનેક્શન હોવાનું નોંધાયું હતું.
https://images.bhaskarassets.com/web2images/960/2022/08/10/orig_watertap_1660072177.jpg