Wednesday, August 10, 2022

Bihar: 22 વર્ષમાં 8મી વખત CM પદના શપથ લેશે નીતિશ કુમાર

  • શપથ ગ્રહણ સમારોહ રાજભવન ખાતે બપોરે 2 વાગ્યે યોજાશે
  • કુમાર એનડીએ છોડીને આઠમી વખત મુખ્યમંત્રી તરીકે શપથ લેશે
  • નવી કેબિનેટમાં JDU સિવાય RJD અને કોંગ્રેસના પ્રતિનિધિઓ હશે

જેડીયુ (JDU) નેતા નીતિશ કુમાર (Nitish Kumar) અને આરજેડી(RJD) નેતા તેજસ્વી યાદવ (Tejashwi Yadav) આજે મુખ્યમંત્રી (Chief Minister) અને નાયબ મુખ્યમંત્રી (Deputy Chief Minister) તરીકે શપથ લેશે. શપથ ગ્રહણ સમારોહ રાજભવન ખાતે બપોરે 2 વાગ્યે યોજાશે. બે સભ્યોની કેબિનેટમાં પાછળથી વધુ મંત્રીઓનો સમાવેશ કરવામાં આવશે. કુમાર ભાજપના (BJP) નેતૃત્વવાળી એનડીએ (NDA) છોડીને આઠમી વખત મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. તેઓ સાત પક્ષોના ગઠબંધનનું નેતૃત્વ કરશે. આ જોડાણને એક અપક્ષનું સમર્થન છે.

નવી કેબિનેટમાં JDU સિવાય RJD અને કોંગ્રેસના પ્રતિનિધિઓ હશે. ડાબેરી પક્ષો પોતાની સ્વતંત્ર ઓળખ જાળવી રાખવા માટે નવી સરકારને બહારથી ટેકો આપે તેવી શક્યતા છે.

નીતિશ કુમારે પોતાનું રાજીનામું રાજ્યપાલને સોંપ્યું

આ પહેલા મંગળવાર, 9 ઓગસ્ટે પટનામાં રાજકીય ગતિવિધિઓ ઝડપથી બદલાતી રહી. નીતિશ કુમાર (71 વર્ષ) દિવસમાં બે વખત રાજ્યપાલને મળ્યા હતા. પ્રથમ વખત તેમણે એનડીએ ગઠબંધનનું નેતૃત્વ કરતા મુખ્ય પ્રધાન તરીકે રાજીનામું સુપરત કર્યું, જ્યારે બીજી વખત, તેજસ્વી, વિપક્ષના મહાગઠબંધનના અન્ય સહયોગીઓ સાથે, રાજભવન ગયા અને 164 ધારાસભ્યોના સમર્થનની યાદી સુપરત કરી. બિહાર વિધાનસભામાં હાલમાં 242 સભ્યો છે અને બહુમતી મેળવવાનો જાદુઈ આંકડો 122 છે.

જાતિ ગણતરી, વસ્તી નિયંત્રણ અને અગ્નિપથ યોજના અને નીતિશ કુમારના ભૂતપૂર્વ વિશ્વાસુ આરસીપી સિંહને કેન્દ્રીય કેબિનેટ મંત્રી તરીકે જાળવી રાખવા સહિતના અનેક મુદ્દાઓ પર JD(U) અને BJP અઠવાડિયાથી તણાવપૂર્ણ છે.

મંગળવારે સવારે, આ પ્રાદેશિક પક્ષના તમામ સાંસદો અને ધારાસભ્યોએ મુખ્ય પ્રધાનના નિવાસસ્થાને યોજાયેલી બેઠકમાં એનડીએ છોડીને મહાગઠબંધન સાથે હાથ મિલાવવાનો નિર્ણય લીધો હતો. જેડીયુ પાંચ વર્ષ પહેલા એટલે કે 2017માં મહાગઠબંધનથી અલગ થઈ ગયું હતું.

ભાજપે નીતીશ પર નિશાન સાધ્યું

ભાજપે બિહારના મુખ્ય પ્રધાન નીતિશ કુમાર પર લોકોના જનાદેશનું અપમાન અને વિશ્વાસઘાત કરવાનો આરોપ મૂક્યો, જેડી(યુ)ના NDAમાંથી બહાર નીકળવાના નિર્ણય માટે તેમની વડા પ્રધાનપદની મહત્ત્વાકાંક્ષાઓને જવાબદાર ઠેરવી.

RJD સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવ દ્વારા સૌપ્રથમ કુમાર માટે ઉપયોગમાં લેવાતા “પલ્ટુ રામ” નો ઉપયોગ કરીને ભાજપના નેતાઓએ એવા દાવાઓને ફગાવી દીધા હતા કે તેમની પાર્ટીએ JD(U)ને તોડવાનો કોઈ પ્રયાસ કર્યો હતો. ભાજપના કેન્દ્રીય મંત્રી અશ્વિની ચૌબેએ કહ્યું કે ઓછી બેઠકો હોવા છતાં અમે તેમને (કુમાર)ને મુખ્યમંત્રી બનાવ્યા. તેઓએ બે વખત છેતરપિંડી કરી છે. 



https://i2.wp.com/assets.sandesh.com/images/2022/08/10/tCXnkplZoQzj2Ys1YxmAp7tgQNEBJl9ZcZdcVJ85.jpg?resize=600,315

Related Posts: