પંચમહાલ (ગોધરા)એક કલાક પહેલા
પંચમહાલ જિલ્લા સહિત ગોધરા શહેરમાં ગણેશ મહોત્સવ પૂર્વે ગોધરા નગરમાં તડામાર તૈયારીઓ ચાલી રહી છે. વિવિધ મંડળો દ્વારા ગણપતિ બાપાની પ્રતિમાની ડીજે ઢોલ નગારાના સથવારે આગમન કરી લઈ જવામાં આવી રહ્યા છે. હજારોની સંખ્યામાં ગણેશ ભક્તો પોતાના મંડળની પ્રતિમાઓની પધરામણી કરી રહ્યા છે.

ગોધરા શહેરમાં આવેલી આદ્ય મહેશ્વરી સોસાયટીના નવયુવાનની અનોખી પહેલ જોવા મળી હતી. જેમાં મહેશ્વરી સોસાયટીના નવ યુવાનોએ પ્રથમ વખત શ્રીજીની પ્રતિમા લાવી સ્થાપના કરવામાં આવશે. ત્યારે ગોધરાની આધ્ય મહેશ્વરી સોસાયટીના આદીયોગી ગ્રુપના નવયુવાનો દ્વારા ગોધરાના લાલબાગ બસ સ્ટેન્ડથી પાવર હાઉસ ભુરાવાવ ચાર રસ્તાથી થઇને આધ્ય મહેશ્વરી સોસાયટીમાં શ્રીજીની પ્રતિમાને ડીજેના સથવારે લાવવામાં આવી હતી. જેમાં સોસાયટીના નવયુવાનો સહિત વડીલો પણ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં જોડાયા હતા.

31મી ઓગસ્ટના રોજ ગણેશ ચતુર્થીના પાવન અવસરે આદિયોગી ગ્રુપના નવયુવાન અને વડીલો દ્વારા ગણેશજીની સ્થાપના કરી ભવ્ય કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. પંચમહાલ જિલ્લા સહિત ગોધરામાં કોરોના પછી આ વર્ષે ગણપતિ બાપ્પાને વધાવવા માટે સૌથી વધારે થનગનાટ અને ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે આગામી તારીખ 31 ઓગસ્ટથી શરૂ થનારા ગણેશોત્સવ માહોલ પણ શહેરભરમાં અત્યારથી જ જામવા લાગ્યો છે. એકતરફ મૂર્તિકારોએ ગણપતિ બાપ્પાની પ્રતિમાને આખરી ઓપ આપી દીધો છે, ત્યારે ગોધરા શહેરમાં વિવિધ મંડળો દ્વારા ગણપતિ બાપ્પાની આગમન યાત્રા પણ કાઢવામાં આવી રહી છે.

ગોધરામાં આવી જ એક આગમન યાત્રા આદિયોગી ગ્રુપના નવયુવાન દ્વારા કાઢવામાં આવી હતી. ગોધરાના આદ્ય મહેશ્વરી સોસાયટીમાં પ્રથમ વખત ગણપતિની સ્થાપના કરવામાં આવશે. ગોધરામાં મોડી રાત્રે આ ગ્રુપ દ્વારા ગણપતિ બાપ્પાની વિશાળ આગમન યાત્રા કાઢવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં ગણેશ ભક્તો જોડાયા હતા અને રંગબેરંગી લાઈટો અને ડીજેના તાલ સાથે બાપ્પાને આવકારવા આવ્યાં હતાં. ગોધરાના લોકોમાં પણ કોરોના પછી આ વર્ષે ગણપતિ બાપ્પાને વધાવવા માટે સૌથી વધારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આમ આ વર્ષે ગણપતિ આયોજનને લઈને પણ ગણેશ આયોજકની સાથે ભક્તોમાં અનેરો ઉત્સાહ દેખાઈ રહ્યો છે.
