Monday, August 22, 2022

Gujarat Election: પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયા ભાજપમાં જોડાયા, કહ્યુ 'ભાજપમાં કોઇ પણ જાતની શરત વગર જોડાયો છું' | Prantij sabarkantha former MLA Mahendrasigh Baraiya joins BJP Gujarat

મહેન્દ્ર બારૈયા (Mahendra Baraiya) આજે તેમના સમર્થકો સાથે ભાજપ (BJP) પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ તેમજ રાજયના ગૃહમંત્રી હર્ષ સંઘવી સહિતના પ્રદેશના નેતાઓની ઉપસ્થિતિમાં ભાજપમા જોડાયા છે.

Gujarat Election: પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયા ભાજપમાં જોડાયા, કહ્યુ 'ભાજપમાં કોઇ પણ જાતની શરત વગર જોડાયો છું'

મહેન્દ્રસિંહ બારૈયા ભાજપમાં જોડાયા

સાબરકાંઠાના (Sabarkantha) પ્રાંતિજના પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયા (MahendraSingh Baraiya) ભાજપમાં જોડાયા. તેમણે કમલમમાં ભાજપના (BJP) પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલની હાજરીમાં કેસરિયો ખેસ ધારણ કર્યો. તેમની સાથે તેમના સમર્થકો પણ ભાજપમાં જોડાયા. આ સાથે જ વિધાનસભાની ચૂંટણી પહેલા સાબરકાંઠામાં કૉંગ્રેસને મોટો ઝટકો મળ્યો છે. હજુ ગઈકાલે જ તેમણે કૉંગ્રેસમાંથી રાજીનામું આપ્યું હતું. પક્ષમાં જૂથવાદ અને પરિવારવાદનું કારણ આગળ ધરીને કૉંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ સોનિયા ગાંધીને રાજીનામું આપી દીધુ હતું.

મહેન્દ્ર બારૈયા આજે તેમના સમર્થકો સાથે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ તેમજ રાજયના ગૃહમંત્રી હર્ષ સંઘવી સહિતના પ્રદેશના નેતાઓની ઉપસ્થિતિમાં ભાજપમા જોડાયા છે. મહેન્દ્રભાઇ બારૈયા આશરે 25 વર્ષથી કોંગ્રેસમાં સક્રીય હતા. હવે તેમણે કોંગ્રેસ સાથે છેડો ફાડયો છે તેમની સાથે હડમતીયા ગ્રામ પંચાયતના સરપંચ, ઉંછા ગ્રામ પંચાયતના સરપંચ, છાડરદા ગ્રામ પંચાયતના સરપંચ સહિત વિવિધ ગામના સરપંચો, કોંગ્રેસના આગેવાન, સહકારી આગેવાનો પણ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે.

ભાજપમાં જોડાતા જ મહેન્દ્રભાઇ બારૈયાએ નિવેદન આપ્યુ કે, કોંગ્રેસમાં જૂથવાદની ચરમસિમા ખૂબ વધી છે. સતત અવગણના થતી હોવાથી કોંગ્રેસ સાથે છેડો ફાડી વિકાસની રાજનીતીમાં જોડાયો છું. ભાજપમાં કોઇ પણ જાતની શરત વગર જોડાયો છું. ગુજરાતના વિકાસના ભગીરથ કાર્યમાં ભારતીય જનતા પાર્ટી તરફથી જે પણ નાની કે મોટી જવાબદારી મળશે તે નિષ્ઠાપુર્વક કરીશ.

મહત્વના આગેવાન તરીકે ઉભર્યા

તેમને ક્ષત્રિય ઠાકોર આગેવાન તરીકે ઉભર્યા હોવાને લઈ તેઓને સાબરકાંઠા, અરવલ્લીમાં ઘરેલુ વાતાવરણને પક્ષ માટે મજબૂત બનાવવા માટે કોંગ્રેસ તરફથી સતત જુદી જુદી જવાબદારીઓ સોંપવામાં આવતી હતી. તેમજ બનાસકાંઠા જિલ્લામાં પણ લાંબો સમય સુધી જિલ્લા પ્રભારી તરીકે નિમવામા આવ્યા હતા. આ દરમિયાન તેઓએ સામા પવને ચુંટણીઓમાં પ્રભારી તરીકે પોતાની સોગઠા ગોઠવાની રાજકીય સમજ દર્શાવતા રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાએ કોંગ્રેસની નજરમાં વધુ મજબૂત થયા હતા. પરંતુ ત્યાર બાદથી તેઓને કેટલાક નેતાઓના આંતરીક વિખવાદ અને તેમની પર ઈર્ષાવૃત્તીના તીર તાકવામાં આવતા એક બાદ એક સમસ્યાઓનો સામનો કરવો પડતો હતો. આવા જ કારણે એક પ્રદેશના નેતાના નિકટતાને વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસમાં રહીને પરેશાન કરવા માટે સતત આગળ કરવામાં આવતા શીતયુદ્ધ શરુ થયુ હતુ અને જે અંતે મજબૂત નેતાને પોતાનાથી દૂર થવા મજબૂર કરી દીધા છે.

Related Posts: