પાટણ37 મિનિટ પહેલા
- કૉપી લિંક

પાટણ માર્કેટયાર્ડ ખાતે મહાલક્ષ્મી માતાનું મંદિર આવેલું છે. આજથી 34 વર્ષ પહેલા મહાલક્ષ્મી માતાના મંદિરની સ્થાપના કરવામાં આવી હતી. એ વખતથી આજ સુધી દર વર્ષે મંદિર પરિસર ખાતે નવચંડી યજ્ઞ યોજવામાં આવતો હોય છે. જેના ભાગરૂપે આજરોજ મંદિર ટ્રસ્ટના પ્રમુખ ભરતભાઈ પટેલના યજમાન પદે નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. જે યજ્ઞમાં બ્રાહ્મણોના વૈદિક મંત્રોચ્ચાર સાથે યજ્ઞ યોજાયો હતો. તો માર્કેટ યાર્ડના વ્યાપારીઓ તેમજ ભાવિક ભક્તોએ દર્શનનો લાભ ધન્યતા અનુભવી હતી.


અન્ય સમાચારો પણ છે…