વડોદરાએક કલાક પહેલા
- કૉપી લિંક

ફાઈલ તસ્વીર
- કોમર્સ ફેકલ્ટીના અધ્યાપકોને સંબોધીને વાઇસ ડીનનો મેસેજ
- અમુક લોકોને કારણે છબી ખરડાઇ રહી છે : ઉમેશ ડાંગરવાલા
એમ.એસ.યુની કોમર્સ ફેકલ્ટીના અધ્યાપકોને સંબોધીને વાઇસ ડીને ફેકલ્ટીમાં પરિવર્તન લાવવાની હાકલ કરી છે. મેસેજમાં જણાવ્યું છે કે આપણી છબી ગુલ્લેબાજ-પેન્શનરો છે તેવી થઇ રહી છે. તેમાં બદલાવ લાવવાની જરૂર છે. કોમર્સમાં શિક્ષણ આપવામાં આવતું નથી તે વાસ્તવિકતાથી દૂર છે.
કોમર્સ વાઇસ ડીન ઉમેશ ડાંગરવાલાએ તમામ અધ્યાપકોને એક મેસેજ કર્યો છે જેમાં જણાવ્યું છે કે, તમે સારી રીતે જાણો છો કે, હું તમારામાંથી એક છું અને વાઈસ ડીન તરીકે મને ઓથોરિટી દ્વારા તમામ શૈક્ષણિક અને બિન-શિક્ષણ કર્મચારીઓ અને વિદ્યાર્થીઓની હાજરી પર દેખરેખ રાખવાની કામગીરી સોપાઇ છે.
બધા પ્રતિબદ્ધ અને જવાબદાર શિક્ષકો છે. તેમને સોંપેલ શૈક્ષણિક અને વહીવટી પ્રવૃત્તિઓને નિયત સમય મર્યાદામાં વ્યવસ્થિત રીતે પૂરી કરે છે. સમાજના સભ્યોમાં એવી સામાન્ય છાપ છે જે વાસ્તવિકતાથી ઘણી દૂર છે, કે કોમર્સમાં કોઈ શિક્ષણ થઈ રહ્યું નથી. જોકે ઘણા શિક્ષકો મોડા આવે છે, ઘણા એવી મોડસ ઓપરેન્ડી અપનાવે છે કે શરૂઆતમાં વિદ્યાર્થીઓને દબાણ પૂર્વક કલાસ એટેન્ડ કરવા માટે જણાવે છે. મારો અભિપ્રાય છે કે આપણે સંયુક્ત રીતે અને અલગ-અલગ પ્રયાસો કરવા જોઈએ.
તેમણે ઉમેર્યું હતું કે, આવા થોડા શિક્ષકોને ઓળખીને અને તેઓને તેમના વર્તનમાં ફેરફાર કરવા અને અમે બહુમતી શિક્ષકોના જૂથનો ભાગ બનવા માટે સમજાવીને અને પ્રેરિત કરીને સમાજને વાસ્તવિક દૃશ્ય બતાવવું જોઇએ. મેં તે દિશામાં કામ કરવાનું શરૂ કર્યું છે અને શિક્ષકો અને બિન શૈક્ષણિક કર્મચારીઓ જે મોડા પડયા હતા તેમની સીએલ મૂકાવી હતી.
યુજીસીના 40 કલાકના નિયમનો હવાલો
વાઇસ ડીને કરેલા મેસેજમાં યુજીસીના 40 કલાક કામનો હવાલો પણ આપવામાં આવ્યો હતો, સાથે મેસેજમાં ઉલ્લેખ કરાયો હતો કે તમામ શિક્ષકો યુજીસીના નિયમ પ્રમાણે જ કામ કરી રહ્યા છે. આ પોસ્ટને કોઇ નકારાત્મકતાની રીતે નહિ પણ સકારાત્મક રીતે લેવા વિનંતી કરાઇ હતી.
https://images.bhaskarassets.com/web2images/960/2022/08/10/orig_msu_1660084522.jpg