Sunday, August 14, 2022

વલસાડ સમસ્ત મુસ્લિમ સમાજે ભવ્ય તિરંગા યાત્રા યોજી, 'ભારત માતાકી જય'ના નારા ગુંજી ઉઠ્યા | Valsad Samast Muslim Society organized a grand Tiranga Yatra, slogans of 'Bharat Mataki Jai' rang out.

વલસાડ17 મિનિટ પહેલા

  • કૉપી લિંક
  • વલસાડ શહેર તિરંગાના રંગોમાં રંગાયું, મુસ્લિમ સમાજના નાના બાળકોથી વડીલ સુધીના લોકો ઉત્સાહ ભેર જોડાયા

75માં આઝાદીકા અમૃત મહોત્સવની ઉજવણીના ભાગરૂપે વલસાડ જિલ્લા મુસ્લિમ સમાજના નેજા હેઠળ શહેરના મુખ્ય માર્ગો ઉપર તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. વલસાડ જિલ્લા મુસ્લિમ સમાજ દ્વારા શહેરના મુખ્ય માર્ગો ઉપર ભવ્ય તિરંગા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજ્યના નાણા મંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે રેલીને પ્રસ્થાન કરાવી હતી. શહેરના મુખ્ય માર્ગો ઉપર ‘ભારત માતા કી જય’ના નાદથી વલસાડ શહેર ગુંજી ઉઠ્યું હતું. શહેરના મુખ્ય માર્ગો તિરંગાના રંગોમાં રંગાઈ ગયેલા દ્રશ્યો જોઈને આઝાદીના દિવસો જેટલો ઉત્સાહ લોકોમાં જોવા મળ્યો હતો. વલસાડ જિલ્લા મુસ્લિમ સમાજના અગ્રણીઓએ દેશની આઝાદીમાં પોતાનું યોગદાન આપનાર તમામ લોકો માટે આઝાદ ચોક ખાતે એક વિશેષ પ્રાર્થના કરવામાં આવી હતી. જેમાં આઝાદીની લડાઈમાં શહીદ થનારા તમામ શહીદો અને આઝાદી જાળવી રાખનાર તમામ ફોર્સના શહીદ જવાનોને યાદ કરીને વિશેષ પ્રાર્થના કરવામાં આવી હતી.

દેશમાં આઝાદીકા અમૃત મહોત્સવની ઉજવણી કરી રહ્યું છે. દેશમાં લોકોને હર ઘર તિરંગા અભિયાનમાં જોડાવવા આહવાન કરવામાં આવી રહ્યું છે. ત્યારે વલસાડ જિલ્લા મુસ્લિમ સમાજના દ્વારા શહેરના મુખ્ય માર્ગો ઉપર તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. વલસાડના મોટા તાઈવાડથી શહેરના મુખ્ય માર્ગો ફરીને આઝાદ ચોક સુધીની એક તિરંગા યાત્રાનું આયોજન વલસાડ જિયા મુસ્લિમ સમાજ દ્વારા કરવામાં આવ્યું હતું. રવિવારે યોજાયેલી મુસ્લિમ સમાજની તિરંગા યાત્રામાં મોટી સંખ્યામાં મુસ્લિમ સમાજના લોકો જોડાયા હતા. મોટા તાઈવાડ ખાતે રાજ્ય નાણાં મંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે તિરંગા યાત્રા નો પ્રારંભ કરવામાં આવ્યો હતો. વલસાડ શહેર ભારત માતા કી જય ના નાદથી ગુંજી ઉઠ્યું હતું.

મુસ્લિમ સમાજ દ્વારા તિરંગા રેલી મોટા તાઈવાડથી શરૂ થયેલી રેલી શહેરના મુખ્ય માર્ગો ઉપર ફરીને આઝાદ ચોક ઉપર પૂર્ણ કરવામાં આવી હતી. મુસ્લિમ સમાજ દ્વારા આઝાદ ચોક ખાતે દેશને આઝાદી અપાવવા માટે શહીદ થયેલા શહીદો માટે અને દેશની આઝાદી ટકાવી રાખવા શહીદ થયેલા તમામ શહીદવીર જવાનો માટે એક પ્રાર્થના કરવા આવી હતી. અને દેશના ઘડવૈયાઓને દેશની આઝાદીના 75માં વર્ષની શુભકામના પાઠવવામાં આવી હતી. વલસાડ જિલ્લા મુસ્લિમ સમાજની ભવ્ય રેલીમાં રાજ્યના નાણા મંત્રી કનુભાઈ દેસાઈ, સમસ્ત મુસ્લિમ સમાજના વલસાડ જિલ્લાના પ્રમુખ, વલસાડ જિલ્લા બાળ કલ્યાણ સમિતિના અધ્યક્ષા સોનલબેન સોલંકી, BJP પ્રદેશ લઘુમતી મોરચાના મહામંત્રી ઈલિયાસ મલિક સહિત મુસ્લિમ સમાજના અગ્રણીઓ અને ભાજપના કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતા.

અન્ય સમાચારો પણ છે…

Related Posts: