કાશ્મીરને મળ્યા નવા SSP, પહેલા જ ઓપરેશનમાં હિઝબુલ આતંકીને કર્યો હતો ઠાર, જુઓ Photos | IPS Tanu Shree apoint as a new SSP of Shopian Jammu Kashmir see photos
API Publisher
Sep 02, 2022 | 5:10 PM
TV9 GUJARATI | Edited By: Kunjan Shukal
Sep 02, 2022 | 5:10 PM

જમ્મુ-કાશ્મીરના શોપિયાં જિલ્લાને તેના નવા SSP મળ્યા છે. વાસ્તવમાં, IPS અધિકારી તનુ શ્રીને (IPS Tanu Shree) શોપિયા જિલ્લાના નવા SSP તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તનુ શ્રીને એક નીડર અધિકારી તરીકે ઓળખવામાં આવે છે, જે તેમણે તેમની તાલીમના શરૂઆતના દિવસોમાં બતાવી દીધુ હતું, જ્યારે તેમણે હિઝબુલ મુજાહિદ્દીન આતંકવાદી જુનૈદને પકડવા માટેના ઓપરેશનમાં ભાગ લીધો હતો. (ફોટો-ઈન્સ્ટાગ્રામ)

IPS અધિકારી તનુ શ્રીની સફર ખૂબ જ રસપ્રદ રહી છે, કારણ કે તે શરૂઆતમાં વહીવટી સેવામાં જોડાવા માંગતી હતી. તેણે આ માટે તૈયારી પણ કરી હતી, પરંતુ તેને પોલીસ સેવામાં જવાનો મોકો મળ્યો. હકીકતમાં, તનુ શ્રીની 2014માં આરપીએફના આસિસ્ટન્ટ કમાન્ડન્ટ તરીકે નિમણૂક કરવામાં આવી હતી. જો કે ત્યારબાદ તેણે વહીવટી સેવામાં જોડાવા માટે યુપીએસસીની તૈયારી શરૂ કરી. (ફોટો-ઇન્સ્ટાગ્રામ)

2016માં આપેલી પરીક્ષાનું પરિણામ મે 2017માં આવ્યું, ત્યારે તેને દિવસ-રાતની મહેનતનું પરિણામ પણ મળ્યું. તનુ શ્રીએ પરીક્ષા પાસ કરી અને તેને આઈપીએસ કેડર આપવામાં આવ્યો. (ફોટો-ઇન્સ્ટાગ્રામ)

તનુ શ્રી બિહારના જમુઈની રહેવાસી છે. તેમના પિતા સુબોધ કુમાર ડીઆઈજી રહી ચૂક્યા છે. અહીં નોંધનીય બાબત એ છે કે તનુ શ્રી પરિણીત છે અને તેણે પારિવારિક જવાબદારીઓ નિભાવતા UPSC પરીક્ષા પાસ કરી છે. (ફોટો-ઈન્સ્ટાગ્રામ)

તનુ શ્રીએ પરીક્ષા દરમિયાન સ્પષ્ટ કહ્યું હતું કે તે IAS બનવા માંગે છે. તેણે કહ્યું હતું કે તેને આ સફળતા તેના માતા-પિતાના માર્ગદર્શનથી મળી છે. તનુશ્રીને પોલીસ એકેડમી હૈદરાબાદમાં ટ્રેનિંગ માટે મોકલવામાં આવી હતી. સપ્ટેમ્બર 2020માં પોલીસ એકેડમીમાં દીક્ષાંત સમારોહમાં પીએમ મોદી અહીં મુખ્ય અતિથિ તરીકે આવ્યા હતા. આ દરમિયાન તનુ શ્રીએ પીએમ મોદી સાથે પોતાનો અનુભવ શેયર કર્યો હતો. (ફોટો-ઇન્સ્ટાગ્રામ)

તનુ શ્રીએ પીએમ મોદીને કહ્યું હતું કે ટ્રેનિંગ દરમિયાન તેમને જમ્મુ-કાશ્મીરનું લોકેશન આપવામાં આવ્યું હતું. આ દરમિયાન તેણે આતંકવાદ વિરોધી અભિયાનમાં ભાગ લીધો હતો, જે અંતર્ગત હિઝબુલ મુજાહિદ્દીનના કમાન્ડર જુનૈદને પકડવાનો હતો. આ ઓપરેશનમાં આતંકી જુનૈદ માર્યો ગયો હતો. (ફોટો-ઇન્સ્ટાગ્રામ)

તનુ શ્રીએ જણાવ્યું હતું કે પોલીસ અને સેનાની ટીમોએ આતંકવાદીને ઘેરી લીધો હતો. આ દરમિયાન પોલીસકર્મીઓ આતંકવાદીઓની ગોળીઓ વચ્ચે જીવ બચાવી રહ્યા હતા. તેણે કહ્યું હતું કે તે પોલીસનો માનવ ચહેરો દર્શાવે છે. (ફોટો-ઈન્સ્ટાગ્રામ)

તનુ શ્રીએ પોતાનો પ્રારંભિક અભ્યાસ મોતિહારીથી કર્યો હતો. તેણે પોતાનો આગળનો અભ્યાસ જુદા જુદા શહેરોમાં કર્યો, કારણ કે તેના પિતાની બદલીને કારણે, તેણે વારંવાર શાળાઓ બદલવી પડી. તેણે 12મા ધોરણનું શિક્ષણ બોકારોના ડીજીપીએસમાંથી કર્યું હતું. સ્નાતક થયા પછી તેઓ સિવિલ સર્વિસીસની તૈયારી કરવા દિલ્હી ગયા. (ફોટો-ઇન્સ્ટાગ્રામ)