વિશ્વાસથી વિકાસ યાત્રાનો જિલ્લાકક્ષાનો કાર્યક્રમ નાયબ દંડકની ઉપસ્થિતિમાં યોજાયો, 5242 લાખના વિકાસકાર્યોને લીલી ઝંડી દેખાડાઈ

ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ પ્રસંગની અનુરૂપ પ્રસંન્નતતા વ્યકત કરતા જણાવ્યું હતું કે, ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીની દુરંદેશીતાને કારણે ભારત સમુધ્ધ રાષ્ટ્ર બનવા જઈ રહ્યું છે. સમુધ્ધ ભારત અને આત્મનિર્ભર ભારત બનવા તમામ નાગરિકોએ પ્રયત્નો કરવા જોઈએ.

વિશ્વાસથી વિકાસ યાત્રાનો જિલ્લાકક્ષાનો કાર્યક્રમ નાયબ દંડકની ઉપસ્થિતિમાં યોજાયો, 5242 લાખના વિકાસકાર્યોને લીલી ઝંડી દેખાડાઈ

vishvas thi vikash yaatra-bharuch

ભરૂચ(ભરૂચ)ના ટાઉનહોલ પંડિત ઓમકારનાથ હોલ  ખાતે ભરૂચ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા વિશ્વાસથી વિકાસયાત્રાના કાર્યક્રમનું આયોજન કરાયું હતું. ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક દુષ્યંતભાઈ પટેલ અધ્યક્ષસ્થાને વિશ્વાસથી વિકાસ યાત્રાનો જિલ્લાકક્ષાનો કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમની શરૂઆતમાં સાંસ્કૃતિક કાર્યક્રમ થયા બાદ સ્ટેટ ઉપરના મહાનુભાવોને પુષ્પગુચ્છ આપી તેમનું અભિવાદન કરાયું હતું. દીપપ્રાગ્ટય સાથે સમારંભને ખુલ્લો મુકાયો હતો. આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવના હસ્તે ભરૂચ જિલ્લાની ચારેય નગરપાલિકા અને નવ તાલુકાઓમાં અંદાજિત રૂપિયા 5242 લાખના વિવિધ યોજનાના કામોના ઈ-ભૂમિ પૂજન અને ખાત -મુહુર્ત કરવામાં આવ્યા હતા.

આ પ્રસંગે, ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક શ્રી દુષ્યંતભાઈ પટેલે ઉદબોધન કરતા બુલેટ ટ્રેનનું સ્ટોપેજ ભરૂચ જિલ્લાને મળવાનું હોવાની જાહેરાત સાથે આ ભેટ બદલ તેમણે કેન્દ્ર સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો. આ ઉપરાંત તેમણે જિલ્લાને પીવાનું શુદ્ધ પાણી મળી રહે તે માટે આકાર પામી રહેલી ભાડભૂત બેરેજ યોજનાનો પણ ચિતાર વર્ણવ્યો હતો. વધુમાં તેમણે વિશ્વાસ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, ભાડભૂત બેરેજના કારણે સમગ્ર ભરૂચ જિલ્લાના પીવાના પાણીની સમસ્યાનું સરળતાથી નિરાકરણ આવી જશે. વધુમાં તેમણે દેશનું ભવિષ્ય જેમના હાથમાં છે તેઓની દરકાર કરતી રાજ્ય સરકારના અથાક પ્રયત્નો થકી અનેક યુનિવર્સીટી કાર્યરત કરવામાં આવી છે જેથી કરીને ધોરણ-12 પછી પણ તેઓને અન્ય રાજ્ય કે દેશમાં અભ્યાસ અર્થે સ્થળાતંર ન થવુ પડે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ પ્રસંગની અનુરૂપ પ્રસંન્નતતા વ્યકત કરતા જણાવ્યું હતું કે, ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીની દુરંદેશીતાને કારણે ભારત સમુધ્ધ રાષ્ટ્ર બનવા જઈ રહ્યું છે. સમુધ્ધ ભારત અને આત્મનિર્ભર ભારત બનવા તમામ નાગરિકોએ પ્રયત્નો કરવા જોઈએ. આજના સમયની માંગ પ્રમાણે વિજ્ઞાન, તકનિકી અભ્યાસક્રમ તેમજ અંગ્રેજી શિક્ષણ પર ભાર મૂકવા જણાવ્યું હતું.

આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રણા અને જિલ્લા પંચાયત પ્રમુખ અલ્પાબેન પટેલ, નગર પાલિકા પ્રમુખ અમિત ચાવડા સહીત પદાધિકારીઓન ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લા વિકાસ અધિકારી, ભરૂચ જિલ્લાના નિવાસી અધિક કલેકટર શ્રી એન.આર.ધાધલ, પ્રાંત ઓફિસરો, તાલુકાના મામલતદાર, ટીડીયો તેમજ વિવિધ વિભાગના અમલીકરણ અધિકારીઓ, કર્મચારીઓ,તેમજ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિ રહ્યા હતા.

ફાયર વોટર ટેન્કર ભરૂચ નગરપાલિકાને ફાળવવામાં આવ્યું

ગુજરાત રાજય અગ્નિ નિવારણ સેવાઓની કચેરી ગાંધીનગર ઘ્વારા રાજય સરકારશ્રીની ગ્રાન્ટ હેઠળ અંદાજિત રૂપિયા 90 લાખ ની કિંમતનું અધ્યતન ટેક્નોલોજીથી સજજ ફાયર વોટર ટેન્કર ભરૂચ નગરપાલિકાને ભરૂચ જિલ્લા માટે ફાળવવામાં આવ્યું છે. પંડિત ઓમકારનાથ હોલ ભરૂચ ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ અલ્પાબેન પટેલ દ્વારા તેની પૂજા-અર્ચના કરાઈ હતી. નારીયેળ વધેરી ફાયર વોટર ટેન્કરને લીલીઝંડી બતાવી લોકાર્પણ કરાયું હતું.

Previous Post Next Post