[og_img]
- ભાવનગરમાં સાંજે ધીમીધારે કલાક સુધી વરસાદ
- કાળઝાળ ગરમી અને સૂર્યતાપમાંથી રાહત મળી
- રાવણ દહનમાં વરસાદ વિલન બન્યો, પૂતળાં પલળ્યા
ભાવનગર શહેરમાં બપોરના સમયે ઉનાળાને યાદ અપાવતી કાળઝાળ ગરમી અને સખત સૂર્યતાપ બાદ સાંજના પાંચ કલાક આસપાસ કાળા વાદળો ચડી આવ્યા હતા. અને ધીમીધારે વ૨સાદ શરૂ થયો હતો. લગભગ એકાદ કલાક સુધી હળવા, ભારે ઝાપટા શરૂ રહેતા શહેરના માર્ગો ભીના થઈ ગયા હતા. ભાવનગર શહેરમા જવાહર મેદાનમા રાવણદહન માટે બનાવેલ રાવણનું વિશાળ પુતળુ પલળી ગયુ હતુ. જ્યારે માર્કેટયાર્ડ વિસ્તારમા વરસાદ નહી હોવાથી અહિ દહન માટે કોઈ મુશ્કેલી પડી ન હતી. વરસાદના કારણે વાતાવરણમા ઠંડક પ્રસરી જતા ગરમીમાંથી છૂટકારો મળ્યો હતો. પરંતુ જવાહર મેદાનમાં રાવણ દહન માટે વરસાદ વિલન બન્યો હતો.
વિગત મુજબ ભાવનગરમા નોરતા પ્રથમ ત્રણ દિવસ સુધી મેઘરાજાએ હાજરી પુરાવી હતી. દરમિયાન બાકીના નોરતામા મેઘરાજાએ વિરામ લેતા ખેલૈયાઓ અને આયોજકોએ રાહત લીધી હતી. ત્યારે આજે વીજયા દશમીમા સાંજના સમયે વરસાદે હાજરી આપી કલાક સુધી હળવા ભારે ઝાપટા વરસતા માર્ગો પર પાણી વહેતા થયા હતા. ભાવનગર શહેરમા વાઘાવાડી રોડ, જવાહર મેદાનમા દહન માટે ઉભા કરાયેલ રાવણનુ પુતળુ પલળી ગયુ હતુ.
રાવણના પુતળામા વિસ્ફોટક પદાર્થ ભરીને તેનુ દહન કરવામા આવતુ હોય છે ત્યારે સાંજના સમયે રાવણ દહનમાં મુશ્કેલી થઈ હતી. બીજી તરફ માર્કેટમા યાર્ડ વિસ્તારમા વરસાદ નહિ હોવાથી અહિ રાવણ દહનમાં કોઈ મુશ્કેલી પડી ન હતી. હાલમા ફરીવરસાદી સીસ્ટમ કાર્યરત થતા જીલ્લભરમાં વાદળો છવાયેલા જોવા મળી રહ્યા છે.