Diwali 2022 : ભારતમાં અહીં નથી ઉજવાતી દિવાળી, જાણો શું છે કારણ

અસત્યની સત્ય પર જીતની યાદમાં ભારતમાં દર વર્ષે દિવાળીનો તહેવાર ઉજવવામાં આવે છે. દિવાળીએ ભારતના સૌથી મોટા તહેવારોમાંનો એક છે અને દેશના મોટાભાગના ભાગોમાં ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો કે ભારતમાં કેટલીક એવી જગ્યાઓ છે જ્યાં દિવાળીની ઉજવણી કરવામાં આવતી નથી.

ઑક્ટો 18, 2022 | 3:55 PM

TV9 ગુજરાતી

| ધીનલ ચાવડા દ્વારા સંપાદિત

ઑક્ટો 18, 2022 | 3:55 PM

ભગવાન રામના અયોધ્યા પાછા ફરવાની ખુશીમાં દિવાળીનો તહેવાર ઉજવવામાં આવે છે. આ દિવસે લોકો ભગવાન ગણેશ અને દેવી લક્ષ્મીની પૂજા કરે છે અને જીવનમાં સુખની કામના કરે છે. દિવાળી ભલે ભારતનો સૌથી મોટો તહેવાર હોય, પરંતુ દેશના કેટલાક ભાગો એવા છે જ્યાં આ તહેવાર ઉજવવામાં આવતો નથી. અમે તમને આ જગ્યાઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ.

ભગવાન રામના અયોધ્યા પાછા ફરવાની ખુશીમાં દિવાળીનો તહેવાર ઉજવવામાં આવે છે. આ દિવસે લોકો ભગવાન ગણેશ અને દેવી લક્ષ્મીની પૂજા કરે છે અને જીવનમાં સુખની કામના કરે છે. દિવાળી ભલે ભારતનો સૌથી મોટો તહેવાર હોય, પરંતુ દેશના કેટલાક ભાગો એવા છે જ્યાં આ તહેવાર ઉજવવામાં આવતો નથી. અમે તમને આ જગ્યાઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ.

વાસ્તવમાં અમે વાત કરી રહ્યા છીએ દક્ષિણ ભારતના કેરળ રાજ્યની. સાંભળવામાં અને જાણવામાં અજીબ લાગે કે પણ સૌથા સુંદર રાજ્ય કેરળમાં દિવાળીની ઉજવણી કરવામાં આવતી નથી.

વાસ્તવમાં અમે વાત કરી રહ્યા છીએ દક્ષિણ ભારતના કેરળ રાજ્યની. સાંભળવામાં અને જાણવામાં અજીબ લાગે કે પણ સૌથા સુંદર રાજ્ય કેરળમાં દિવાળીની ઉજવણી કરવામાં આવતી નથી.

એવું માનવામાં આવે છે કે કેરળમાં દિવાળી ન ઉજવવા પાછળ એક ધાર્મિક માન્યતા છે. પૌરાણિક કથાઓ અનુસાર કેરળમાં એક સમયે રાક્ષસ મહાબલી રાજ કરતો હતો અને અહીં તેની પૂજા થતી હતી. રાક્ષસની હારને કારણે લોકો અહીં દિવાળી નથી ઉજવતા.

એવું માનવામાં આવે છે કે કેરળમાં દિવાળી ન ઉજવવા પાછળ એક ધાર્મિક માન્યતા છે. પૌરાણિક કથાઓ અનુસાર કેરળમાં એક સમયે રાક્ષસ મહાબલી રાજ કરતો હતો અને અહીં તેની પૂજા થતી હતી. રાક્ષસની હારને કારણે લોકો અહીં દિવાળી નથી ઉજવતા.

જો કે, કેરળમાં કોચી એક એવી જગ્યા છે, જ્યાં લોકો દિવાળીની ઉજવણી પૂરા ઉત્સાહથી કરે છે.

જો કે, કેરળમાં કોચી એક એવી જગ્યા છે, જ્યાં લોકો દિવાળીની ઉજવણી પૂરા ઉત્સાહથી કરે છે.

કેરળ સિવાય દેશમાં બીજું એક રાજ્ય છે જેમાં મોટા ભાગના ભાગોમાં દિવાળી ઉજવવામાં આવતી નથી. અમે વાત કરી રહ્યા છીએ તમિલનાડુની. અહેવાલો અનુસાર, તમિલનાડુના લોકો આ સમયે નરક ચતુર્થી ઉજવે છે.

કેરળ સિવાય દેશમાં બીજું એક રાજ્ય છે જેમાં મોટા ભાગના ભાગોમાં દિવાળી ઉજવવામાં આવતી નથી. અમે વાત કરી રહ્યા છીએ તમિલનાડુની. અહેવાલો અનુસાર, તમિલનાડુના લોકો આ સમયે નરક ચતુર્થી ઉજવે છે.


સૌથી વધુ વાંચેલી વાર્તાઓ

Previous Post Next Post