No results found

    Gujarat Election 2022: કેન્દ્રીય ચૂંટણીપંચની મધ્ય ગુજરાતના 6 જિલ્લા કલેક્ટર અને SP સાથે યોજાઈ બેઠક

    કેન્દ્રીય ચૂંટણી પંચે  (Central Election Commission ) પોલીસ અધિકારીઓ તેમજ જિલ્લા કલેક્ટર સાથે ચૂંટણીલક્ષી કાર્યની સમીક્ષા કરી હતી.  આ અગાઉ ચૂંટણીપંચે સૌ પ્રથમ રાજકોટ તેમજ સુરતમાં અધિકારીઓ સાથે બેઠક કરી હતી.

    TV9 ગુજરાતી

    | સંપાદિત: કુંજન શુકલ

    ઑક્ટો 19, 2022 | સાંજે 7:37

    કેન્દ્રીય ચૂંટણી પંચ (કેન્દ્રીય ચૂંટણી પંચ) તારીખ 16થી  ગુજરાતની પાંચ દિવસીય મુલાકાતે છે, ત્યારે  આજે કેન્દ્રીય ચૂંટણીપંચના અધિકારીઓ દ્વારા વડોદરાના અલકાપુરી ખાતે 6 જિલ્લાના  કલેક્ટરો સાથે બેઠક કરવામાં આવી હતી.  આ બેઠકમાં મધ્ય ગુજરાતના 6 જિલ્લાઓના કલેક્ટર સાથે કેન્દ્રીય ચૂંટણી પંચે બેઠક કરી હતી. આ બેઠકમાં વડોદરા (નિસાસો) શહેર પોલીસ કમિશનર અને જિલ્લા કલેક્ટર ,SP સહિતના અધિકારીઓ બેઠકમાં  સામેલ થયા હતા. નોંધનીય છે કે કેન્દ્રીય ચૂંટણી પંચે (કેન્દ્રીય ચૂંટણી પંચ) પોલીસ અધિકારીઓ તેમજ   જિલ્લા કલેક્ટર સાથે ચૂંટણીલક્ષી કાર્યની સમીક્ષા કરી હતી. આ અગાઉ ચૂંટણીપંચે સૌ પ્રથમ રાજકોટ તેમજ સુરતમાં અધિકારીઓ સાથે બેઠક કરી હતી.

    રાજકોટમાં 7 જિલ્લા કલેક્ટર સાથે કરી હતી બેઠક

    ગુજરાતમાં(ગુજરાત) આ વર્ષે યોજાનારી વિધાનસભા ચૂંટણીને લઈને રાજકીય પક્ષો સાથે ચૂંટણી પંચ (ચૂંટણી પંચ) પણ તૈયારીઓ શરૂ કરી છે. જેના ભાગરૂપે રાજકોટ (રાજકોટ) ખાતે કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા સાત જિલ્લાની ચૂંટણીની તૈયારીની સર્વગ્રાહી સમીક્ષા કરવામાં આવી હતી. રાજકોટ ખાતે આવેલ કેન્દ્રીય ચૂંટણી પંચના નાયબ ચૂંટણી કમિશ્નર હ્રીદેશકુમાર, પ્રિન્સિપલ સેક્રેટરી એસ.બી.જોશી તથા ગુજરાત રાજ્યના મુખ્ય નિર્વાચન અધિકારી પી.ભારતીએ વિધાનસભા સામાન્ય ચૂંટણી 2022 અંગે થયેલી તૈયારીની સમીક્ષા બેઠક યોજી હતી. જેમાં વિધાનસભાની સામાન્ય ચૂંટણી સંદર્ભે વિવિધ પાસાઓ અંગે વિસ્તૃત માહિતી ઉપસ્થિત સંબંધિત જિલ્લાઓના કલેકટર અને પોલીસ અધિક્ષકો દ્વારા રજૂ કરાઇ હતી.

    સુરતમાં ચૂંટણી પંચે મતદાનની વ્યવસ્થા, પોલીસ (ગુજરાત પોલીસ) બંદોબસ્ત,આચાર સંહિતા સહિતના મુદ્દે ચર્ચા કરી હતી અને મતદાર યાદીથી માડીને ચૂંટણીની  તૈયારીઓ અંગે અધિકારીઓ સાથે તેમજ જિલ્લા કલેક્ટર સાથે ચર્ચા કરી હતી.  ચૂંટણી પંચના અધિકારીઓ મતદાર યાદીથી લઈને જિલ્લાની જે તમામ નાની નાની બાબતોનો રિપોર્ટ તૈયાર કરશે, રાજ્યની વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં લઈને સંવેદનશીલ મતદાન મથકો નક્કી થશે અને સમીક્ષા કર્યા બાદ દિલ્હી જઈને ગુજરાત વિધાનસભાની ચૂંટણીની સત્તાવાર જાહેરાત કરે તેવી સંભાવના છે. દીવાળીના તહેવાર દરમિયાન  ગુજરાતમાં ચૂંટણીની જાહેરાત થાય તેવી તમામ શકયતાઓ છે.

    Post a Comment

    Previous Next

    نموذج الاتصال