Wednesday, October 12, 2022
Home »
Breaking News
,
Gujarati
,
India News
,
Latest news
,
Today news
,
trending
» Karwa Chauth 2022 : પત્ની માટે આ સેલિબ્રિટી રાખે છે કરવાચોથનું વ્રત, જાણો કોણ છે આ લિસ્ટમાં સામેલ
Oct 12, 2022 | 3:59 PM
TV9 GUJARATI | Edited By: Nancy Nayak
Oct 12, 2022 | 3:59 PM

રણવીર સિંહ-દીપિકા પાદુકોણઃ બોલિવૂડનું આ પાવર કપલ ખૂબ જ પોપ્યુલર છે. હાલમાં જ રણવીર સિંહે પોતાને લકી ગણાવ્યો હતો કે તે દીપિકાનો પતિ છે. રણવીર સિંહે એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે તે દીપિકા માટે કરવા ચોથનું વ્રત રાખે છે.

અભિષેક બચ્ચન-ઐશ્વર્યા રાયઃ જુનિયર બચ્ચન પણ આ વાતમાં પાછળ નથી. અભિષેક ઐશ્વર્યા માટે કરવા ચોથનું વ્રત પણ રાખે છે. અભિષેકે પોતે એક ઈન્ટરવ્યુમાં આ વાત સ્વીકારી હતી. અભિષેકે એમ પણ કહ્યું હતું કે ઉપવાસ દરમિયાન તે 24 કલાકથી ભૂખ્યો હતો, કારણ કે તે સરગી ખાવાનું ભૂલી ગયો હતો.

અનુષ્કા શર્મા-વિરાટ કોહલીઃ બોલિવૂડ સેલેબ્સની જોડીઓમાં એક એવી જોડી પણ છે, જે લોકોની ફેવરિટ જોડી છે. વિરાટ પણ અનુષ્કા માટે ઉપવાસ કરે છે, તેને ઈન્સ્ટાગ્રામ પર એક સુંદર ફોટો શેર કરીને આ વાતનો ખુલાસો કર્યો હતો.

આયુષ્માન ખુરાના-તાહિરા કશ્યપઃ આયુષ્માન ખુરાના માત્ર એક્ટિંગ, સિંગિંગ, ડાન્સિંગમાં ખૂબ જ એક્સપર્ટ છે. તેને 2018માં એક ફોટો શેયર કર્યો હતો, જ્યાં તેની હથેળી પર પત્ની તાહિરાના નામનો અક્ષર T લખેલો હતો. આયુષ્માને કહ્યું હતું કે તે પત્ની તાહિરા સાથે પણ કરવા ચોથ સેલિબ્રેટ કરે છે અને વ્રત રાખે છે.

શિલ્પા શેટ્ટી-રાજ કુન્દ્રાઃ શિલ્પા શેટ્ટી એવી એક્ટ્રેસ છે જે રિવાજોને ખૂબ મહત્વ આપે છે. શિલ્પા દર વર્ષે તેના પતિ રાજ કુન્દ્રા માટે ઉપવાસ કરે છે. પરંતુ રાજ કુન્દ્રા પણ દર વર્ષે પત્ની માટે ઉપવાસ પણ રાખે છે.
Our website relies on ads to stay free. Kindly disable your ad blocker to continue.