Maharashtra : શરદ પવારના નિવેદન પર વિવેક અગ્નિહોત્રી લાલચોળ, ટ્વિટર આપ્યો જવાબ

શરદ પવારે કહ્યું હતું કે, ‘આજના યુગમાં લઘુમતી સમુદાયમાં કલા, કવિતા અને લેખન જેવા તમામ ક્ષેત્રોમાં યોગદાન આપવાની ક્ષમતા છે.

Maharashtra : શરદ પવારના નિવેદન પર વિવેક અગ્નિહોત્રી લાલચોળ, ટ્વિટર આપ્યો જવાબ

Vivek Agnihotri slams Sharad Pawar (File Image )

‘ધ કાશ્મીર ફાઇલ્સ’ના ડાયરેક્ટર(Director ) વિવેક અગ્નિહોત્રી શરદ પવારે(Sharad Pawar ) મુસ્લિમો પર કરેલા એક નિવેદનથી (Statement )ગુસ્સે છે.તેમણે એક પોસ્ટ શેર કરીને પોતાના જૂના અનુભવનું ઉદાહરણ આપતા કહ્યું છે કે શરદ પવારને આ વિચારો ક્યાંથી આવે છે. વિવેક અગ્નિહોત્રીએ શરદ પવારના નિવેદન સાથે જોડાયેલા નિવેદનને રિટ્વીટ કરીને પોતાનો જવાબ પોસ્ટ કર્યો છે. મુસ્લિમ સમુદાયના યોગદાન વિશે વાત કરતા પવારે બે દિવસ પહેલા નાગપુરમાં આયોજિત એક કાર્યક્રમમાં કહ્યું હતું કે બોલીવુડની પ્રગતિમાં મુસ્લિમોનો સૌથી મોટો ફાળો છે.

વિવેક સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે અને મહત્વપૂર્ણ મુદ્દાઓ પર અમારા વિચારો ખુલ્લેઆમ વ્યક્ત કરતા આવ્યા છે. આ વખતે તેઓએ ANIના શરદ પવારના નિવેદનવાળા ટ્વીટ પર પોતાનો જવાબ આપ્યો છે. ન્યૂઝ એએનઆઈના આ ટ્વીટમાં શરદ પવારના તે નિવેદનનો ઉલ્લેખ છે જે તેમણે મુસ્લિમ સમુદાયના બોલીવુડમાં યોગદાનને લઈને આપ્યું છે.

‘બોલિવૂડમાં મુસ્લિમો સૌથી વધુ યોગદાન આપી રહ્યા છે’

શરદ પવારે કહ્યું હતું કે, ‘આજના યુગમાં લઘુમતી સમુદાયમાં કલા, કવિતા અને લેખન જેવા તમામ ક્ષેત્રોમાં યોગદાન આપવાની ક્ષમતા છે. બોલિવૂડમાં અત્યાર સુધી કોણે સૌથી વધુ યોગદાન આપ્યું છે? બોલીવુડની પ્રગતિમાં મુસ્લિમ સમુદાયે સૌથી વધુ યોગદાન આપ્યું છે. તેથી આપણે તેમને અવગણી શકીએ નહીં.

 બોલિવૂડમાં આ રીતે ‘ખાનદાન’ બનાવ્યું

ન્યૂઝ એજન્સી ANIએ શરદ પવારના આ નિવેદન સાથે જોડાયેલી ટ્વીટ શેર કરી હતી. વિવેક અગ્નિહોત્રીએ આ અંગે પોતાની પ્રતિક્રિયા આપી છે. તેણે પોતાના ટ્વીટમાં લખ્યું, ‘હું મુંબઈ આવ્યો ત્યારે શરદ પવાર અહીંના રાજા હતા. અન્ય રાજકારણીઓની જેમ આ રાજાનો પક્ષ પણ કર (વસૂલાત) વસૂલતો હતો. બોલિવૂડના લોકો તેને હસીને ટેક્સ ચૂકવતા હતા. આના બદલામાં તેને સિનેમા જગતમાં પોતાની રાજાશાહી સ્થાપિત કરવાની સ્વતંત્રતા મળતી હતી. મારા મનમાં હમેશા એક પ્રશ્ન રહેતો કે એ લોકો કોણ છે? આજે મને મારા પ્રશ્નોના જવાબ મળી ગયા છે.

Previous Post Next Post