Morbi Bridge Collapsed Live Updates : મોરબીમાં સર્જાયેલી કરૂણાંતિકાને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે બપોરે દુર્ઘટના સ્થળની મુલાકાતે પહોંચશે અને અસરગ્રસ્તોને સાંત્વના પાઠવશે.
PM મોદી મોરબીની મુલાકાતે છે
વર્ષ 1979 બાદ મોરબી માટે વધુ એક ગોઝારી ઘટના બની, મોરબીની શાન સમાન ઝુલતો પુલ તૂટતા 130 થી વધુ જિંદગી હોમાઈ ગઈ. દુર્ઘટનામાં કેટલાય પરિવારોનો માળો વિખેરાઇ ગયો છે, હાલ મોરબી સહિત સમગ્ર ગુજરાતમાં ગમગીની ભર્યો માહોલ છે. રાજ્ય સરકાર દ્વારા પાંચ સભ્યોની SITની રચના કરી દેવામાં આવી છે. ગઈ કાલે તપાસ સમિતિની પાંચ સભ્યોની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને તૂટેલા કેબલ બ્રિજની તપાસ શરુ કરી હતી. તો બીજી તરફ ગોઝારી દુર્ઘટના મામલે પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને 9 આરોપીઓની અટકાયત કરી પુુછપરછ હાથ ધરી છે. મોરબીમાં સર્જાયેલી કરૂણાંતિકા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે બપોરે દુર્ઘટના સ્થળની મુલાકાતે પહોંચશે અને અસરગ્રસ્તોને સાંત્વના પાઠવશે.