શનિવારે રાજકોટમાં રમાયેલી મેચમાં સૂર્યકુમાર યાદવે પીચ પર ઉતર્યા પછી શ્રીલંકાના બોલર્સના છોંતરા કાઢી નાખ્યા હતા, તે મેદાનમાં ચારે તરફ ફરી વળ્યો હતો અને આસાનીથી પોતાની સેન્ચ્યૂરી પૂર્ણ કરી દીધી હતી. સૂર્યાએ માત્ર 51 બોલમાં 112 રન કરીને અણનમ રહ્યો હતો. ભારતે શ્રીલંકા સામે આ મેચ 91 રનથી જીતી લીધી છે.
સૂર્યકુમાર યાદવે મેચ પત્યા પછી જણાવ્યું કે, “જ્યારે તમે મેચ માટે તૈયારી કરી રહ્યા હોવ ત્યારે તમારી જાતને તમે પ્રશરમાં મૂકો તે ઘણું જ મહત્વનું છે. તમે જેટલું તમારી જાત પર દબાણ કરશો તેટલું સારું રમી શકશો. આ સાથે ઘણી મહેનત પણ છે. સારું રમવા માટે કેટલીક ક્વોલિટી પ્રેક્ટિસ પણ જરુરી છે.”
Starting the year right pic.twitter.com/Kb46lOALhT
— Surya Kumar Yadav (@surya_14kumar) January 7, 2023
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: 3rd T20I, India vs Sri Lanka, India vs sri lanka 3rd t20i, Rajkot News, Suryakumar yadav, રાહુલ દ્રવિડ