Monday, March 20, 2023

દિવ્યાંગો માટે આશીર્વાદરૂપ બનેલા મમતા મંદિરને 50 વર્ષ પૂર્ણ થતાં 26મીએ આયોજિત અર્ધ શતાબ્દી મહોત્સવમાં મોરારી બાપુ ઉપસ્થિતિ રહેશે | Morari Bapu will be present at the half-centenary festival organized on 26th to mark 50 years of Mamata Mandir, a blessing for the disabled. | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Navsari
  • Morari Bapu Will Be Present At The Half centenary Festival Organized On 26th To Mark 50 Years Of Mamata Mandir, A Blessing For The Disabled.

નવસારીએક કલાક પહેલા

50 વર્ષ અગાઉ અલગારી સેવક એવા સર્વોદય કાર્યકર અને મજુર નેતા મહેશભાઈ સવજીભાઈ કોઠારીએ મૂંગા બહેરા બાળકોને ઉછેરવાનું જતન કરવા અને સ્વાવલંબી બનાવવાનું સપનું સાકાર કરવા આજીવન પરિણીત રહેવા સાથે અનોખી સેવાનું ભગીરથ બીડું ઝડપ્યું હતું, મહેશભાઈ કોઠારીએ માનવ કલ્યાણ ટ્રસ્ટની રચના ઈ. સ.1970 માં કરી મુખબધિર દિવ્યાંગ બાળકો માટે ધોરણ 1 થી 12 માટેની નિશુલ્ક નિવાસી શાળા કોમ્પ્યુટર ક્લાસીસ સહિત ની વિવિધ પ્રોજેક્ટ ચાલતી સંસ્થાએ સેવા કાર્યમાં 50 વર્ષથી વધુ સમય પૂર્ણ કર્યો છે જેથી તેનો અર્થ શતાબ્દી મહોત્સવ ઉજવવા જઈ રહ્યો છે.

ધૈર્ય અને પ્રેમથી 750 જેટલા દિવ્યાંગ બાળકો ને ઉચ્ચ પ્રકારનું શિક્ષણ અને તાલીમ અપાય છે. બાળકોના સર્વાંગી વિકાસ માટે સતત પ્રયત્નો થાય છે તેથી મમતા મંદિરના દિવ્યાંગ વિધાર્થીઓ રમત-ગમત, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, સંગીત, નાટક વગેરેમાં ન કેવળ રાજ્ય સ્તરે પણ રાષ્ટ્રીય અને વૈશ્વિક સ્તરે ભાગ લે છે. શાંગહાઈ (ચીન) અને એથેન્સ (યુરોપ) ખાતે દિવ્યાંગો માટેની રમત સ્પર્ધામાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું છે. પ્રજ્ઞાચક્ષુ વિધાર્થીઓ દ્વારા સંચાલિત ઓરકેસ્ટ્રા, દિવ્યાંગોના નૃત્યો,પ્રજ્ઞાયક્ષના નાટકો… અને ખેલમહાકુંભમાં સંસ્થાનું પ્રભુત્વ રહ્યું છે. દિવ્યાંગને પગભર બનાવી એમના વાલીની ચીંતા દૂર કરવી સંસ્થાનો ધ્યેય રહ્યો છે.

સ્વ મહેશભાઈ કોઠારી ની માવજત અને પૂજ્ય મોરારીબાપુ ના આશીર્વાદ અને સખાવતીઓના સથવારે ચાલતી આ સંસ્થા દિવ્યાંગ જગતમાં વિશ્વના નકશે કંડારાયેલી છે.આગામી 26 માર્ચે સાંજે પાંચ કલાકે પૂજ્ય મોરારીબાપુની અધ્યક્ષતામાં સખાવતીઓ અને પ્રતિભાવાન દિવ્યાંગ બાળકોનું અભિવાદન થશે

જે દિવ્યાંગ મૂંગા બહેરા કે મંદબુદ્ધિ બાળકો અને અંધ બાળકો ને પોતાના મા બાપ સાચવી નથી શકતા અને પરિવારને ભારરૂપ લાગે છે તેવા માટે પોતાના દિલ દિમાગ અને ખભે ઉપાડી લઈ મહેશભાઈ કોઠારીએ બીડું ઝડપ્યું હતું. મમતા મંદિર દ્વારા મુકબધીર પ્રાથમિક શાળા માધ્યમિક શાળા ઉચ્ચતર માધ્યમિક શાળા ડાંગ જિલ્લાના શિવારી માળ ખાતે અંધજન શાળા અને પુનર્વસન કેન્દ્ર ની પણ વ્યવસ્થા કરવામાં આવી છે પોતાના અર્ધ શતાબ્દી વર્ષમાં પ્રવેશી રહેલી સુવર્ણ જયંતી મહોત્સવના આયોજન કરતી મમતા મંદિરની એક પત્રકાર પરિષદ મમતા મંદિર વિજલપોર ખાતે યોજાઈ હતી

આ પત્રકાર પરિષદમાં મમતા મંદિરના પ્રમુખ જાણીતા સમાજસેવક વલસાડના ભરતભાઈ દેસાઈ રૂપે ધનંજયભાઈ દેસાઈ ઉપસ્થિત રહી ન શક્યા હતા જ્યારે સંસ્થાના સક્રિય ઉપપ્રમુખ ઘનશ્યામભાઈ પટેલ ગીરીરાજ સુંદર રીતે સંચાલન કરતા મહામંત્રી મુન્નો કોઠારી ઉમદા જન સેવક જયપ્રકાશ મહેતા એ ઉપસ્થિત રહી સંસ્થાના બીજથી વૃક્ષ સુધીની તમામ માહિતી આપવા સાથે સંવેદના અને સેવા ક્ષેત્ર દેશભરમાં આ સંસ્થા વિકલાંગો દિવ્યાંગો શારીરિક પડકારરૂપ બાલ જગત માટે અભૂતપૂર્વક કામ કરી રહી છે એમ જણાવ્યું હતું આગામી તારીખ 26 માર્ચે સાંજે પાંચ કલાકે પૂજ્ય મોરારીબાપુ ના પાવન પગલાં આ મમતા મંદિર પર ફરીથી પડશે અને તેમના આશીર્વાદ અમારી મહામૂલી મૂડી બની રહેશે એમ જણાવ્યું હતું આ સંસ્થા દ્વારા હાલ 750 થી વધુ બાળકો પાંચ પેટા સંસ્થાઓમાં પોતાનું ભણતર અને જીવનનું ઘડતર કરી રહ્યા છે શૈક્ષણિક ઉપરાંત ઈતર પ્રવૃત્તિઓમાં પણ રાજ્ય અને રાષ્ટ્રભરમાં આ બાળકોએ અનેરી સિદ્ધિ હાંસલ કરી છે મહેશભાઈ કોઠારી આઠ બાળકો સાથે ચાલુ ચાલુ કરેલી આ સંસ્થા સંપૂર્ણપણે પ્રામાણિક પારદર્શક અને સેવા માટે દેશમાં ઉદાહરણ ગ્રુપ બની ચૂકી છે

અન્ય સમાચારો પણ છે…

Related Posts: