સુરત2 મિનિટ પહેલા
- કૉપી લિંક

સ્વાન કરડવાથી સુરતમાં વધુ એક બાળકનું મોત થયું
સુરતમાં સ્વાનના માસુમ બાળકો પર હુમલાની ઘટનાને લઇ મનપાની કામગીરી પર સવાલો ઉઠાવી રહ્યા છે. સુરતમાં રખડતા સ્વાદના હુમલા અને એટલે બે બાળકોના મોત થઈ ચૂક્યા છે.જેને લઇ સુરતમાં તંત્ર જે હિસાબે શ્વાનના રસીકરણ અને ખસીકરણ કામગીરીના બણગાં ફુકે છે તેની સવાલો ઉઠી રહ્યા છે.કામગીરી માત્ર કાગળ પર જ હોવાનું ફલિત થઇ રહ્યું છે. શ્વાન કરડવાને લઈને સુરત શહેરમાં બે બાળકોના મોત થવાની ઘટના પ્રકાશમાં આવતા શહેરમાં ચકચાર મચી જવા પામી છે.
સુરતમાં રખડતા શ્વાનના હુમલાથી બે મસુમના મોત
સુરત શહેરમાં રખડતા શ્વાનોનો આતંક સમયાંતરે સામે આવી રહ્યો છે. અગાઉ ખજોદ વિસ્તારમાં એક બાળકીનું શ્વાને બચકા ભરતા તે લોહી લુહાણ થઇ હતી અને સિવિલ હોસ્પિટલમાં બાળકીનું સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું. તેમજ અગાઉ વરાછા અને વેડ દરવાજા વિસ્તારમાં પણ શ્વાનોએ બાળકોને બચકાં ભર્યા હોવાની ઘટના સામે આવી ચુકી છે. ત્યારે હવે વધુ એક ઘટના ભેસ્તાન વિસ્તારમાંથી સામે આવી છે. સુરતમાં ફરી એક વખત પાંચ બાળક સોહીલ પર પાંચ થી સાત કૂતરાઓએ હુમલો કરતા બાળકને મોત નીપજ્યું છે. ત્યારે અવારનવાર શહેરમાં રખડતા શ્વાનના આતંકની ઘટના સામે આવતા સુરત મહાનગરપાલિકાના તંત્રની કામગીરી પર સવાલો ઉઠી ગયા.
તંત્રની કામગીરી સામે અનેક સવાલો ઉભા થયા
જે હિસાબે સુરત શહેરમાં ડોગ બાઈટના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. રખડતા શ્વાનના હુમલા ની ઘટનાઓ સામે આવી રહી છે. શહેરમાં નાના માસુમ બાળકોને સ્વાન કરડીને પોતાનો શિકાર બનાવી રહ્યા છે. જેમાં છેલ્લા બે મહિનામાં બે બાળકોના મોત કુતરા કરડવાને કારણે થયા છે. આજે વધુ એક બાળકનું મોત થતાં સુરત મહાનગરપાલિકાની રખડતા કુતરા માટે કરવામાં આવતી કામગીરીને લઈ પ્રશ્નો ઉઠી રહ્યા છે. તંત્ર દ્બારા રસીકરણ અને ખસીકરણની કામગીરી પાછળ લાખો રૂપિયા ખર્ચીને યોગ્ય કામગીરી કરાતી હોવાના બણગા ફુકવામાં આવી રહ્યા છે.ત્યારે આ ઘટનાએ તંત્રની કામગીરીની પોલ ઉઘાડી પાડી દીધી છે. અને તંત્રની કામગીરી સામે અનેક સવાલો ઉભા કરી દીધા છે.