Monday, March 20, 2023

સુરતમાં કોરોનાના પોઝિટિવ કેસ ડબલ ડિજિટને પાર થતાં હોમ ક્વોરન્ટીનના બોર્ડ લાગવાના શરૂ થયા | As the positive cases of Corona crossed double digits in Surat, the boards of home quarantine began to be erected. | Times Of Ahmedabad

સુરત35 મિનિટ પહેલા

  • કૉપી લિંક
કોરોના સંક્રમણ વધતા આરોગ્ય વિભાગની ટીમ હરકતમાં આવી છે. - Divya Bhaskar

કોરોના સંક્રમણ વધતા આરોગ્ય વિભાગની ટીમ હરકતમાં આવી છે.

સુરત મહાનગરપાલિકા દ્વારા હવે કોરોના સંક્રમણના પોઝિટિવ કેસોની સંખ્યામાં વધારો થતા વધુ સક્રિય રીતે કાર્યવાહી શરૂ કરી દીધી છે. છુટા છવાયા વિસ્તારોની અંદર અલગ અલગ ઝોનમાં જે પ્રકારે કોરોના સંક્રમણના સામે આવી રહ્યા છે. તે જોતા હવે ટેસ્ટિંગ અને ટ્રેસિંગ ઉપર વધુ ભાર આપવામાં આવી રહ્યો છે.

ફરીથી હોમ કવોરન્ટીનના બોર્ડ દેખાયા કોરોના સંક્રમણના પહેલા તબક્કામાં અને બીજા તબક્કામાં જે પણ વ્યક્તિઓને કોરોના ગાઈડલાઈન પ્રમાણે કોરોના પોઝિટિવ થાય તો તેમને હોમ ક્વોરન્ટીન કરવામાં આવતા હતા. એવી જ રીતે ફરીથી કોરોના સંક્રમણના કેસ સામે આવતાની સાથે જ આરોગ્ય વિભાગ સતર્ક થઈ ગયું છે. સુરતના અલગ અલગ ઝોનમાં કોરોના સંક્રમણ પોઝિટિવ દર્દીઓને સાત દિવસ માટે હોમ ક્વોરન્ટીન કરવામાં આવી રહ્યા છે.

લિંબાયત, રાંદેર સહિતના ઝોનમાં બોર્ડ લાગ્યા
આરોગ્ય વિભાગ દ્વારા કોરોના સંક્રમણ થયેલા દર્દી અને તેના પરિવારના લોકોને હોમ ક્વોરન્ટીન કરવામાં આવી રહ્યા છે. સંક્રમિત દર્દીના ઘરની બહાર બોર્ડ લગાવવાનું શરૂ કરાયું છે. જેથી કરીને આસપાસ અન્ય લોકોની અવર-જવર ઘટે અને તેમની સાથેનો સંપર્ક પણ ઓછો થાય. લિંબાયત, રાંદેર સહિતના અલગ અલગ ઝોનમાં આરોગ્ય અધિકારીઓ બોર્ડ લગાવવાની કાર્યવાહીમાં વ્યસ્ત થયા છે.

હોમ ક્વોરન્ટીન માટે સૂચના આપવામાં આવી રહી છે
આરોગ્ય અધિકારી કૃતિકા પટેલે જણાવ્યું કે, શહેરમાં વરાછા, રાંદેર, લિંબાયત સહિત અઠવા ઝોનમાં પણ કોરોના પોઝિટિવ કેસો સામે આવી રહ્યા છે. હાલ સતર્કતાના ભાગરૂપે જે પણ વ્યક્તિ કોરોના પોઝિટિવ આવી રહ્યા છે. તેમને ઘરે જ રહેવા માટે સલાહ આપવામાં આવી રહી છે. સાત દિવસ માટે તેમને હોમ ક્વોરન્ટીન કરવામાં આવી રહ્યા છે. કોરોના પોઝિટિવ દર્દીઓ માટેની જે ગાઈડ લાઈન છે. તે મુજબ જ કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. શહેરમાં હાલ 50 જેટલા કોરોના સંક્રમણના પોઝિટિવ કેસ નોંધાયા છે. આરોગ્ય વિભાગની ટીમ સતત દર્દી સાથે સંપર્કમાં રહીને તેની તબિયત વિશે માહિતી એકત્રિત કરતી રહે છે. જો વધુ તકલીફ જણાય તો તેમને તાત્કાલિક ડોક્ટરનો સંપર્ક કરીને દાખલ થવાની સ્થિતિ આવે તો પણ જાણ કરવા માટે સૂચના આપી દેવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે…

Related Posts: