- Gujarati News
- Local
- Gujarat
- Mehsana
- At Bahucharaji Today, The Ghat Installation Ceremony Was Performed In The Sanctum Sanctorum, A Large Number Of Mai Devotees Were Blessed With Darshan.
મહેસાણાએક કલાક પહેલા
આજથી ચૈત્રી નવરાત્રિ શરૂ થઈ છે. ત્યારે વિવિધ મંદિરોમાં માઈ ભક્તો ઉમટી પડ્યા છે. યાત્રાધામ બહુચરાજી મંદિર પરિસરમાં આજે વહેલી સવારથી દર્શનથીઓની મોટી ભીડ જોવા મળી હતી. આજે સવારે 7 કલાકે ચૈત્રી નવરાત્રિના પ્રથમ દિવસે 7.30 કલાકે શાસ્ત્રોક્ત વિધિ મુજબ વહીવટદારના હસ્તે ઘટ સ્થાપના વિધિ કરવામાં આવી હતી.

ગઈકાલે બપોરે 12 કલાકે શાસ્ત્રોક્ત વિધિ મુજબ પક્ષાલન વિધિ કરવામાં આવી.હતી. મા બહુચરના મુખ્ય મંદિર અને વરખડીવાળા મંદિર માં કરવામાં આવેલી પક્ષાલન વિધિનું વિશેષ મહત્વ હોય સ્થાનિક માઇ ભક્તો સાથે દૂર-દૂર થી પધારેલા ભક્તો જોડાઈને કાલે પ્રક્ષાલન વિધિ ની સેવાનો લાભ લીધો હતો. આજે પણ ચૈત્રી પૂનમના પ્રથમ દિવસે મંદિર પરિષરમાં મોટી સંખ્યામાં માઇ ભક્તો મા બહુચરના દર્શન માટે ઉમટી પડ્યા હતા. તેમજ બોલ મારી બહુચર…જય….જય…બહુચરના નાદથી મંદિર પરિષદ ગુંજી ઉઠ્યું હતું.

વહીવટ દાર અમરત ભાઈ રાવલના જણાવ્યાં પ્રમાણે આજે ચૈત્ર સુદ એકમ આજે મતાજીનો ઘટ સ્થાપન વિધિ બ્રાહ્મણો દ્વારા વૈદિક ઉચ્ચારણ અને ધાર્મિક પવિત્ર વિધિથી ઘટ સ્થાપન વિધિ કરવામાં આવી હતી. આઠમના દિવસે માતાજીની પલ્લીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. જેમાં લાખો યાત્રાળુઓ લાભ લેતા હોય છે. આગામી તારીખ 4 થી 6 એપ્રિલ 2023ના રોજ મા બહુચરનો ચૈત્રી પૂનમનો મોટા લોક મેળાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ મેળાની અંદર માતાજીના મંદિરમાં યાત્રાળુઓ માટે સવારથી સાંજ સુધી નિઃશુલ્ક ભોજન નું આયોજન કરવામાં આવ્યું છે. આયોજનનો લાભ લાખો ભક્તો લેતા હોય છે. સરકારના અનેક વિભાગો દ્વારા તેમજ વહીવટી તંત્ર દ્વારા અનેક સગવડો ઉભી કરવામાં આવી છે. સંસ્કૃતિક કાર્યક્રમ સહિતનું આયોજન કરવામાં આવેલું છે.
