મહીસાગરના ખાનપુરની દીકરીની હત્યા મામલે બહુજન વિકાસ ફોજ જૂનાગઢ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપી ઉગ્ર રજૂઆત કરાઇ | Bahujan Vikas Force Junagadh made a strong representation by submitting a complaint to the collector regarding the murder of the daughter of Khanpur of Mahisagar. | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • Bahujan Vikas Force Junagadh Made A Strong Representation By Submitting A Complaint To The Collector Regarding The Murder Of The Daughter Of Khanpur Of Mahisagar.

જુનાગઢએક કલાક પહેલા

  • કૉપી લિંક

ગત તારીખ 18/3/2023ના રોજ મહીસાગર જિલ્લાના કરટા મુકામે દરગાહ ના ઉર્ષ ના મેળામાં ગયેલી ખાનપુર ની ચંદ્રિકા બેન પરમાર નામની યુવતી ને નરાધમો દ્વારા જાહેર જગ્યાએ થી ઉઠાવી જઈ દુષ્કર્મ કરી લાશ ને કોથળામાં વીંટી નદી કિનારે મુકવામાં આવેલ હતી અને દુઃખ અને માનવજાત ને લાંછન લાગે તે રીતે આ યુવતી ની લાશ પોલીસ દ્વારા હસ્તગત કરવામાં આવી હતી. આ બનાવ ને 12 દિવસ જેવો સમયગાળો લાગ્યો પરંતુ હજી સુધી મહીસાગર જિલ્લા પોલીસતંત્ર દ્વારા કોઈપણ આરોપી ની ધરપકડ કરવામાં આવી નથી તે બાબતે આજે જુનાગઢ જિલ્લા બહુજન વિકાસ ફોજ ની ટીમ દ્વારા કલેકર મારફત મહામુહિમ રાજ્યપાલશ્રી ને આવેદનપત્ર આપી રજુઆત કરવામાં આવી હતી અને ચીમકી પણ ઉચ્ચારી હતી કે આગામી સમયમાં જો આ દીકરીના આરોપીઓ ની ધરપકડ કરવામાં નહિ આવે તો સમગ્ર ગુજરાત ના સમાજ ને સાથે રાખી ઉગ્ર અદોલન કરવામાં આવશે એવી બી.વી એફ.દ્વારા માંગણી કરવામાં આવી હતી.

જુનાગઢ બહુજન નો વિકાસ ફોજના સંયોજક વનરાજ સોલંકીએ જણાવ્યું હતું કે, મહીસાગર જિલ્લાના ખાનપુર મુકામે બહુજન સમાજની દીકરીનું અપરણ કરી હત્યા કરવામાં આવી છે તે બનાવને આટલા દિવસો વીતવા છતાં પણ આરોપીઓને પકડવામાં નથી આવ્યા જે બાબતને લઈ જૂનાગઢ કલેકટર મારફત રાજ્યપાલને આવેદનપત્ર પાઠવી ઉગ્ર રજૂઆત કરવામાં આવી છે અને આગામી સમયમાં જોવા દીકરીને ન્યાય નહીં મળે અને આરોપીઓની તાત્કાલિક ધરપકડ નહીં કરવામાં આવે તો સમગ્ર ગુજરાતમાં બહુજન સમાજને સાથે લઈ આંદોલન કરાશે.

અન્ય સમાચારો પણ છે…
Previous Post Next Post