Tuesday, March 21, 2023

સરકારી ભરતી અંગે મોટા સમાચાર, હર્ષ સંઘવીએ વિધાનસભામાં જાહેરાત કરી, મહાઠગ કિરણ પટેલના સાથીદારોનું શું થયું? | Gujcat exam date announced, Harsh Sanghvi made a big announcement for the youth preparing for the government exam, see seven big news of the day | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Gujcat Exam Date Announced, Harsh Sanghvi Made A Big Announcement For The Youth Preparing For The Government Exam, See Seven Big News Of The Day

એક કલાક પહેલા

હર્ષ સંઘવીની મોટી જાહેરાત

સરકારી નોકરી માટે તૈયારી કરી રહેલા ગુજરાતના યુવાઓ માટે મહત્ત્વના સમાચાર સામે આવ્યા છે. ગૃહ વિભાગ દ્વારા આ વર્ષે પોલીસ ખાતામાં નવી 8 હજાર જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે. આ અંગેની જાહેરાત રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા કરવામાં આવી છે. આજે વિધાનસભામાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પોલીસ ખાતામાં ભરતી મામલે સૌથી મોટી જાહેરાત કરી. તેઓએ જણાવ્યું કે, ગૃહ વિભાગ આ વર્ષે નવી 8 હજાર જગ્યા પર ભરતી કરશે. ઉનાળો પૂર્ણ થયા બાદ પ્રેક્ટિલ પરીક્ષા લેવાનું આયોજન કરાયું છે. ગૃહ વિભાગ પોલીસ ખાતામાં આ વર્ષે 8 હજાર કર્મચારીઓની ભરતી કરશે. જેમાં બિન હથિયારી PSIની 325 જગ્યાઓ પર ભરતી કરાશે. હથિયારી, બિન હથિયારી કોન્સ્ટેબલની 6324 જગ્યાઓ પર ભરતી કરાશે. જેલ સિપાહી પુરુષની 678 અને મહિલાની 57 જગ્યા પર ભરતી કરાશે.

ગુજકેટની પરીક્ષાની તારીખો જાહેર
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ – ગાંધીનગર દ્વારા ડિગ્રી એન્જિનિયરિંગ, ડિગ્રી/ડિપ્લોમા ફાર્મસી અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવવા માંગતા A, B, અને ABગ્રુપના HSC વિજ્ઞાન પ્રવાહના ઉમેદવારો માટે ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ લેવામાં આવે છે. ત્યારે આ પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓએ હવે પોતાનું બેસ્ટ આપવાનો સમય આવી ગયો છે. કારણ કે GUJCETની પરીક્ષાની તારીખ જાહેર કરવામાં આવી છે. ગુજકેટની પરીક્ષાની તારીખ 3 એપ્રિલ 2023 જાહેર કરવામાં આવી છે. ગુજકેટની પરીક્ષા 3 એપ્રિલ 2023ને સોમવારના રોજ 10:00 વાગ્યે જિલ્લા કક્ષાનાં કેન્દ્રો ખાતે યોજાશે. રાજ્યના એક લાખ કરતાં પણ વધારે વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. આ પરીક્ષામાં ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી એમ ત્રણ ભાષામાં પ્રશ્નપત્ર રહેશે. રાજ્યભરમાંથી 1.30 લાખ વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપશે. જેમાં ગુજરાતી માધ્યમના 83 હજાર વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. જ્યારે અંગ્રેજી માધ્યમના 50 હજાર વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપશે. વિદેશથી પણ વિદ્યાર્થીઓએ પરીક્ષા માટે રજિસ્ટ્રેશન કરાવ્યું છે. 626 બિલ્ડિંગના 6 હજાર 598 વર્ગખંડમાં પરીક્ષા લેવાશે.

નેચરલ ગેસ પર બનશે સોમનાથનો પ્રસાદ

પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના મંદિરે દેશ-વિદેશથી મોટી સંખ્યામાં ભક્તો દર્શનાર્થે આવતા હોય છે. યાત્રિકોનો ઘસારો જોતાં તેમને કોઈ મુશ્કેલી ન પડે એ માટે સોમનાથ ટ્રસ્ટ દ્વારા ખાસ વ્યવસ્થા ઊભી કરવામાં આવતી હોય છે. તે ઉપરાંત સોમનાથમાં યાત્રિકો માટે પ્રસાદની પણ વ્યવસ્થા શરૂ છે. આ નિ:શુલ્ક ભોજનાલયમાં હવેથી નેચરલ ગેસ પર તૈયાર થયેલો પ્રસાદ ભક્તોને પિરસવામાં આવશે. એક કંપની દ્વારા બે પ્રસાદ રસોડામાં અને નિ:શુલ્ક ભોજનાલયમાં પીએનજી નેચરલ ગેસ પુરવઠો શરૂ કરાયો છે. વડાપ્રધાન તેમજ સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ સોમનાથ ટ્રસ્ટ વિશ્વભરમાં આધ્યાત્મિક ચેતનાનો પ્રસાર કરી રહ્યું છે. વડાપ્રધાનની દૂરદૃષ્ટિ સાથે સોમનાથ આદ્યાત્મ અને આધુનિકીકરણનું અદભુત સમન્વય બન્યું છે. આ જ આધુનિકીકરણમાં ઉમેરો કરતા હવે સોમનાથ મંદિરનો પ્રસાદ નેચરલ ગેસ પર તૈયાર થશે. જે હેતુસર IRM એનર્જી દ્વારા 2 પ્રસાદ રસોડા અને નિ:શુલ્ક ભોજનાલયમાં પાઇપ્ડ નેચરલ ગેસ (PNG) પુરવઠો શરૂ કરવામાં આવ્યો છે. જેનું ઉદ્ઘાટન સોમનાથ ટ્રસ્ટ સેક્રેટરી યોગેન્દ્ર દેસાઈ અને IRM એનર્જીના CEO કરન કૌશલ દ્વારા શ્રદ્ધાળુઓની હાજરીમાં કરવામાં આવ્યું હતું.

30 વર્ષ જૂના ટાવરને કરાયો બ્લાસ્ટ

સુરતમાં ઉત્રાણ પાવર સ્ટેશનમાં 30 વર્ષ જૂના કૂલિંગ ટાવરને ડિમોલિશન કરવામાં આવ્યું છે. સવારે 11:00 વાગ્યા આસપાસ ઉત્રાણ પાવર સ્ટેશનના કૂલિંગ ટાવરને બ્લાસ્ટથી તોડી પાડવામાં આવ્યું છે. આધુનિક ટેક્નોલોજીની મદદથી 85 મીટર ઊંચા ટાવરને ધ્વસ્ત કરવામાં આવ્યું છે. ગણતરીની સેકન્ડમાં જ એકસાથે 72 પિલરમાં બ્લાસ્ટ કરાયા હતા. આ સમગ્ર ઘટનાના સાક્ષી બનવા માટે મોટી સંખ્યામાં લોકો પોતાના મકાનની છત ઉપર એકઠા થઈ ગયા હતા. આ આધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ હવે ધીરે ધીરે આપણા દેશમાં પણ શરૂ થયો છે. વિદેશોમાં ઘણાં વર્ષોથી આ ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવતો હતો. વિશેષ કરીને ઊંચી ઇમારતોને ગણતરીની સેકન્ડોમાં જ ધરાશાયી કરવા માટે આ સાયન્ટિફિક પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. કોઈપણ ઈમારતના જે પિલર હોય છે એના ઉપર આ એક્સપ્લોઝિવ લગાડવામાં આવે છે અને જેટલો પણ કાટમાળ હોય છે એ સીધેસીધો નીચે બેસી જાય, એ પ્રકારની ટેક્નોલોજી હોય છે, જેથી કરીને આસપાસનાં અન્ય બાંધકામોને કોઈપણ પ્રકારનું નુકસાન થતું નથી.

કિરણ પટેલના બે ગુજરાતી સાથીદારોની ધરપકડ

ત્રણેક દિવસ પહેલાં સમાચાર વહેતા થયા હતા કે મહાઠગ કિરણ પટેલની સાથે બે ગુજરાતી યુવાનો પણ કાશ્મીરમાં મહેમાનગતિ માણી આવ્યા છે. આ બે યુવાનોની ઓળખ થઈ ગઈ છે અને બંનેને ચાર દિવસ પહેલાં કાશ્મીર પોલીસ અમદાવાદ આવીને કાશ્મીર લઈ ગઈ છે. જ્યાં બંનેની પૂછતાછ થશે. આ બે યુવાનોમાં એક ગુજરાતના મુખ્યમંત્રી કાર્યાલયના PRO હિતેષ પંડ્યાના પુત્ર અમિત પંડ્યા છે અને બીજો તેનો મિત્ર જય સીતાપરા છે. અમિત પંડ્યા CCTV નેટવર્કિંગની કંપની ચલાવે છે અને ગુજરાત ભાજપ પ્રદેશની ટીમમાં મીડિયા ઇન્ચાર્જ છે. મુખ્યમંત્રી કાર્યાલય (CMO)ના જનસંપર્ક અધિકારી (PRO) હિતેષ પંડ્યાના પુત્ર અમિત પંડ્યા અને તેના મિત્ર જય સીતાપરા ચારેક દિવસથી જમ્મુ-કાશ્મીર પોલીસના કબજામાં છે. મહાઠગ ડો. કિરણ પટેલ સાથે આ બંને કાશ્મીરની સહેલગાહમાં સામેલ હતા. ઝેડ પ્લસ સિક્યોરિટી લેયરમાં રોલા પાડનારા મહાઠગનો ભાંડો ત્રીજી માર્ચે ફૂટ્યા બાદ આ બંને ગુજરાત પરત આવી ગયા હતા, પરંતુ કિરણ પટેલના રિમાન્ડ બાદ તેમને કાશ્મીર બોલાવી પૂછપરછ કરાઈ હતી. ત્યારબાદ બંનેની ધરપકડ કરાઈ છે.

24 કલાકમાં બીજું મોબ લિંચિંગ

ખેડા જિલ્લાના ગામડાં વિસ્તારોમાં ચોરીની ફરિયાદો વધી છે, જેથી ગ્રામજનો રાત્રે જાગી રખેવાળી કરી રહ્યા છે. રાતની રોનકમાં ઘણી વખત નિર્દોષ માણસ આંખે ચઢી તેને પણ ચોર સમજીને ઘણી વખત મારવાના બનાવો પણ બને છે. મહેમદાવાદના સૂંઢાવણસોલમાં આવા જ બનાવમાં એક વ્યક્તિ મોતને ભેટી છે. સૂંઢાવણસોલ ગામમાં ગત રાત્રિ દરમિયાન એક યુવક આંટાફેરા મારી રહ્યો હતો, જેની ગ્રામજનોને જાણ થઈ હતી. એને પગલે ગ્રામજનોએ એકઠા થઈ ગામમાં આંટાફેરા મારી રહેલા આ યુવકને પકડ્યો હતો. બાદમાં ગ્રામજનોએ આ યુવકની પ્રથમ પૂછપરછ કરી હતી. જોકે પરપ્રાંતીય આ યુવક જે કહેતો હતો એ ગ્રામજનો સમજી ન શક્યાં. એને કારણે ગ્રામજનોએ આ યુવક ગામમાં ચોરી કરવાના ઇરાદે આવ્યો હોવાનું સમજી બેઠા હતા અને તેમણે ચોર સમજી તેના પર તૂટી પડ્યા હતા. ચોર સમજી આ યુવકને ગ્રામજનોએ ગંભીર માર માર્યો હતો. એને લઇ બેભાન થઈ ગયેલા આ યુવકને શરીરે ગંભીર ઇજાઓ પહોંચી હતી. આ દરમિયાન મહેમદાવાદ પોલીસને જાણ થતાં પોલીસ રાત્રે ગામમાં દોડી ગઈ હતી ને તપાસ કરી. આ ઘાયલ યુવકને હોસ્પિટલમાં દાખલ કર્યો હતો, જ્યાં તેનું ટૂંકી સારવાર બાદ મોત થયું હતું. પોલીસે હત્યાનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આખેઆખી ટ્રક ટ્રેક્ટર પર ચડી ગઈ

સુરેન્દ્રનગર જિલ્લાના પાટડીના અખિયાણા ગામ નજીક મજૂરો ભરીને ખેતરે જઈ રહેલા ટ્રેક્ટર સાથે ટ્રક અથડાઈ છે. આ ગમખ્વાર અકસ્માતમાં ટ્રેક્ટર ઉપર આખેઆખી ટ્રક ચડી જતાં બે લોકોનાં ઘટનાસ્થળે જ કમકમાટીભર્યાં મોત નીપજ્યાં છે, જ્યારે ટ્રેક્ટરમાં સવાર 15 જેટલા મજૂરો ઇજાગ્રસ્ત બન્યા છે. ઇજાગ્રસ્તોને લોહીલુહાણ હાલતમાં સારવાર અર્થે 108 એમ્બ્યુલન્સમાં સારવાર અર્થે હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હતા. એક મજૂર અને એક મહિલાનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજતાં મજૂરોની ચિચિયારીથી હાઇવે ગુંજી ઊઠ્યો હતો. પાટડીના માલવણ હાઇવે પર અખિયાણા ગામ પાસે ટ્રક અને ટ્રેક્ટર વચ્ચેના અકસ્માતને પગલે ટ્રાફિકજામનાં દૃશ્યો સર્જાયાં હતાં. આ અકસ્માતની ઘટનાની જાણ થતાં બજાણા પીએસઆઇ ડી.જે. ઝાલા અને ગોવિંદભાઇ ભરવાડ સહિતનો બજાણા પોલીસ સ્ટાફ સહિતનો કાફલો તાકીદે ઘટનાસ્થળે દોડી ગયો હતો અને ટ્રાફિક પુન:કાર્યરત કરવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે…

Related Posts: