Friday, March 24, 2023

ભાવનગરમાં જનજાગૃતિ અભિયાન અંતર્ગત રેલી સાથે લોકોને માહિતગાર કરવામાં આવ્યાં | People were informed with a rally as part of public awareness campaign in Bhavnagar | Times Of Ahmedabad

ભાવનગર39 મિનિટ પહેલા

  • કૉપી લિંક

દર વર્ષે 24 માર્ચના રોજ વિશ્વ ક્ષય દિવસની ઉજવણી કરવામાં આવે છે જે અંતર્ગત લોકો ટીબીના રોગથી મુક્ત બને અને આ ગંભીર રોગ સામે લોકોનું સ્વસ્થ્ય અકબંધ જળવાઈ રહે તે માટે સરકાર તથા આરોગ્ય વિભાગ દ્વારા પ્રચાર-પ્રસાર કરવામાં આવે છે જે અન્વયે આજરોજ ભાવનગર શહેર ખાતે વિશ્વ ક્ષય દિવસની ઉજવણીના ભાગરૂપે ભાવનગર મહાનગરપાલિકા દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.

ટીબીના રોગને લઈને જાગૃતિ લાવવાનો પ્રયત્ન
આજે સમગ્ર વિશ્વમાં ક્ષય દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે ભાવનગર માં પણ વિશ્વ ટીબી દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ભાવનગર મહાનગરપાલિકા તથા સ્વયંસેવી સંસ્થાઓ દ્વારા જનજાગૃતિ અભિયાન અંતર્ગત કાર્યક્રમો યોજવામાં આવ્યાં હતાં, જેમાં શાળામાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ દ્વારા રેલી સાથે સૂત્રોચ્ચાર કરવામાં આવ્યાં હતાં એ સાથે મહાનગરપાલિકા ના આરોગ્ય વિભાગ દ્વારા પણ લોકો માં ટીબી ના રોગને લઈને જાગૃતિ લાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો.

​​​​​​રોગથી ચોક્કસ મુક્ત થઈ શકાય
આ રોગનો ભોગ બનેલ દર્દીઓને સમયસર સારવાર સાથે યોગ્ય માર્ગદર્શન મળી રહે તો આ રોગથી ચોક્કસ મુક્ત થઈ શકાય છે ત્યારે જો આ રોગથી કોઈ વ્યક્તિને થાય તો સરકારી હોસ્પિટલોમાં વિનામૂલ્યે સારવાર સાથે કેટલાક કિસ્સામાં દર્દીને આર્થિક સહાય પણ આપવામાં આવતી હોવાનું આરોગ્ય વિભાગ અધિકારીઓ એ લોકો ને અવગત કર્યાં હતાં તથા સરટી હોસ્પિટલ સ્થિત ટીબી વોર્ડમાં પણ ટીબી જનજાગૃતિ અભિયાન અંતર્ગત દર્દીઓને તથા તેમના સ્નેહી ઓને અવગત કરવામાં આવ્યાં હતાં.

અન્ય સમાચારો પણ છે…

Related Posts: