Thursday, March 23, 2023

વ્યાજે લીધેલા નાણાંની પઠાણી ઉઘરાણીથી પરેશાન યુવકનો સુસાઈડ નોટ લખીને ફીનાઈલ પી આપઘાતનો પ્રયાસ | Phenyl P attempted suicide by writing a suicide note of a troubled youth due to extortion of money taken on interest. | Times Of Ahmedabad

સુરત35 મિનિટ પહેલા

  • કૉપી લિંક
વિષચક્રમાં ફસાયેલા યુવાને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. - Divya Bhaskar

વિષચક્રમાં ફસાયેલા યુવાને આપઘાતનો પ્રયાસ કર્યો હતો.

સુરત પોલીસ વ્યાજખોરો સામે તવાઈ બોલાવી રહી છે. તેવામા સુરત ના મોટા વરાછા વિસ્તારમાં રહેતા હિંમતભાઈ વડાલીયાએ ફીનાઇલ પી આપઘાત નો પ્રયાસ કર્યો હતો. હિંમતભાઈએ આક્ષેપ કર્યા હતા કે, એક યુવક પાસેથી વ્યાજે લીધેલા નાણાંના કારણે પઠાણી ઉઘરાણીના ફોન આવતા હોવાથી પરેશાન થઈ આપઘાત કરવા ફીનાઇલ પી લીધી હતી.સુસાઇડ નોટ લખી ફીનાઇલ ગટગટાવી લીધી હતી. હાલમાં હિંમતભાઈ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

વ્યાજનું વિષચક્ર હજી પણ યથાવત
સુરતમા વ્યાજખોરોનો આતંક યથાવત હોય તેવું લાગી રહ્યું છે. મોટા વરાછા વિસ્તારમાં રહેતા અને લેડીઝ વેરની દુકાન ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતા હિંમત વડાલીયા નામના યુવકે આજથી 6 વર્ષ પહેલા અશોકભાઈ ગોયાણી નામના વ્યક્તિ પાસેથી 25 લાખ રૂપિયા 4 ટકા લેખે વ્યાજે લીધા હતા. જેમાં ગેરેન્ટીમા પોતાનું ઘર ગીરવે મૂક્યું હતું. ત્રણ વર્ષ સુધી રેગ્યુલર વ્યાજ પણ આપ્યું હતું. ત્યારબાદ તેમનું મકાન અશોકભાઈ ગોયાણી નામના વ્યક્તિએ પડાવી લીધું હોવાના આક્ષેપ હિંમતભાઈએ કર્યા હતા.

યુવકે સુસાઈડ નોટ લખીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો.

યુવકે સુસાઈડ નોટ લખીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો.

હોસ્પિટલના બીજાને ન્યાયની માંગણી કરી
એક વ્યક્તિ પોલીસ બની ને પણ વાત કરે છે. પોલીસ મથકે પણ વારંવાર બોલાવે છે. જેથી તેમણે સુસાઇડ નોટ લખી ફીનાઇલ પી લીધી હતી. જેથી તેમને સારવાર અર્થે તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. મહત્વનું છે કે, સુરત પોલીસ કમિશનર વ્યાજખોરો સામે કડક કાર્યવાહી કરી રહ્યા છે. જોકે હિંમતભાઈએ જે પ્રકારે સુસાઇડ નોટ લખી છે. ચોક્કસ કહી શકાય કે, જો પોલીસ જ આ પ્રકારે દબાણ કરશે તો વ્યક્તિ જશે તો ક્યાં જશે. હિંમતભાઈએ હોસ્પિટલના બિછાનેથી ન્યાયની માંગ કરી હતી.સુસાઇડ નોટમાં પણ સુરત પોલીસ કમિશનર તેમજ ગૃહમંત્રી પાસે ન્યાયની માંગ કરી હતી. જો આ મામલે યોગ્ય તપાસ થાય તો હકીકત સામે આવે અને યોગ્ય ન્યાય મળે.

અન્ય સમાચારો પણ છે…

Related Posts: