Thursday, March 23, 2023

સુરત જિલ્લાના રહેવાસી યુવકના મોત બાદ તેના શરીરનું અંગદાન કર્યું, તેમના અંગથી ત્રણથી ચાર લોકોને નવજીવન પ્રાપ્ત થશે | A resident of Surat district donated his body organ after his death, his organ will give new life to three to four people. | Times Of Ahmedabad

અંકલેશ્વર3 કલાક પહેલા

  • કૉપી લિંક

નર્મદા જિલ્લામાં આવેલા દેવ મોગરા માતાના દર્શન કરવા ગયેલા 42 વર્ષીય યુવકનું અકસ્માતે ડુંગર પરથી પડી જતાં માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા બ્રેઇન ડેથ થઈ જતાં પરિવારે તેમના અંગોનો દાન આપતા ત્રણથી ચાર લોકોને નવું જીવન પ્રાપ્ત થયું છે.

મતાના દર્શન કરવા ગયા હોય ડુંગર પરથી પડી જતા ગંભીર ઇજાઓ થઈ હતી
અંગદાનએ સૌથી મોટું જીવનદાન છે. સુરત જિલ્લાના માંડવી ગામના રેહવાસી સ્વ.જયેશભાઈ પ્રજાપતિ જેની ઉંમર 42 વર્ષ છે અને પોતે મિકેનિક ગેરેજ ચલાવતા હતા. તેમનું અંકલેશ્વરની જયાબેન મોદી હોસ્પિટલમાંથી અંગદાન કરાયું છે. જયેશ પ્રજાપતિ દેવમોગરા માતાજીનાં દર્શન માટે ગયા હતા. ત્યાં ડુંગર ઉપરથી અચાનક પડી જતાં તેમણે માથાના અંદરના ભાગે ગંભીર ઈજા થઈ હતી. ત્યારબાદ તેમને ડેડીયાપાડાના સી.એચ.સી સેન્ટર પર લઈ જવામાં આવ્યા હતા, ત્યાંથી ડોક્ટરની સલાહ મુજબ ગંભીર પરિસ્થિતિમાં જયાબેન મોદી હોસ્પિટલના ઈમરજન્સી વિભાગમાં લાવવામાં આવ્યા હતા.

તેમના અંગોનું દાન આપવા પરિવારનું કાઉન્સિલિંગ કરાયું હતું
ડોક્ટર દ્વારા તપાસ કરતાં ખબર પડી કે તેઓનું બ્રેઇન ડેડ થયેલું છે. 22 માર્ચ બપોરે 1 કલાકે આ જાણ થતાં હોસ્પિટલ દ્વારા ડોનેટ લાઈફ સંસ્થાને જાણ કરવામાં આવી હતી. તેઓએ તેમજ હોસ્પિટલના ન્યૂરોસર્જન ડો.જયપાલસિંહ ગોહિલ તેમજ આઇ.સી.યુના ડોક્ટરોની ટીમ દ્વારા સ્વ.જયેશભાઈના કુટુંબીજનોનું કાઉન્સિલિંગ કરી અંગદાન માટે તૈયાર કરવામાં આવ્યા હતા. તેમના અંગદાનથી બીજા ત્રણથી ચાર લોકોને નવું જીવન દાન આપી શકે છે. આ અંગદાનમાં લીવર, કિડની, લંગ્સ તેમજ કોર્નિયાનું દાન આપવામાં આવેલું છે. અંગદાન બાદ અંગોના ટ્રાન્સપ્લાન્ટ માટે અમદાવાદની જાઈડસ હોસ્પિટલ તેમજ હૈદરાબાદની કે.આઈ. એમ.એસ.હોસ્પિટલની ટીમની હાજર રહી હતી.

સંસ્થા દ્વારા સ્વર્ગથને શ્રધાંજલિ અર્પી હતી
આ નવીનતમ ઘટનાને હોસ્પિટલના ડે.મેડિકલ સુપ્રિટેંડેંટ ડો.આત્મી ડેલિવાલાના માર્ગદર્શન તેમજ દેખરેખમાં હાથ ધરવામાં આવી હતી.હોસ્પિટલ દ્વારા સ્વ.જયેશ પ્રજાપતિને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલી આપી હતી. તેમજ તેમના પરિવારને આ દુઃખ સહન કરવાની ભગવાન શક્તિ આપે તેવી પ્રાર્થના કરી હતી.

અન્ય સમાચારો પણ છે…

Related Posts: