બનાસકાંઠા (પાલનપુર)20 મિનિટ પહેલા
- કૉપી લિંક
દિયોદરના રૈયા પાસે રીક્ષા પલટી મારી જતા અકસ્માત સર્જાયો હતો. જેમાં પાંચ વિદ્યાર્થિનીને ઇજાઓ પહોંચી હોવાની ઘટના સામે આવી છે, વિદ્યાર્થિનીઓ પરીક્ષા આપી રિક્ષામાં પરત ઘરે જતી હતી તે સમયે અચાનક રીક્ષા ચાલુકે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા રીક્ષા પલટી મારી ગઈ હતી.
બનાસકાંઠા જિલ્લામાં અકસ્માતનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. જેમાં આજે દિયોદરના રૈયા પાસે કેટલીક વિદ્યાર્થિની પરીક્ષા આપી પોતાના ઘરે રીક્ષામાં બેસી પરત ફરી રહ્યા હતા, તે સમયે રસ્તા પર અચાનક એક એક્ટિવા આવી જતા રીક્ષા ચાલકે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા રીક્ષા પલટી મારી ગઈ હતી. જેથી રીક્ષામાં સવાર વિદ્યાર્થિનીઓને ઈજાઓ પહોંચી હતી. જોકે, રીક્ષા પલટી મારતા આજુબાજુના લોકો દોડી આવ્યાં હતા અને વિદ્યાર્થિનીઓને સારવાર અર્થ 108 દ્વારા નજીકની હોસ્પિટલમાં ખસેડ્યાં હતા.
અન્ય સમાચારો પણ છે…