હાલોલ12 મિનિટ પહેલા
યાત્રાધામ અને શક્તિપીઠ પાવાગઢમાં આવતા યાત્રાળુઓ સરળતાથી માતાજીના દર્શન કરી શકે અને કોઈ અગવડ ન પડે તે માટે યાત્રાધામ વિકાસબોર્ડ અને પ્રવાસન વિભાગ દ્વારા કરોડો રૂપિયાનો ખર્ચ કરી અનેક સુવિધાઓ ઉભી કરવામાં આવી હતી. અત્રે નોંધનીય બાબત છે કે, માતાજીના નવા બનાવવમાં આવેલા મંદિરના શિખર ઉપર પીએમ મોદીએ ધજારોહણ કર્યા પછી અહીં યાત્રાળુઓ માટે કરવામાં આવેલા વિકાસનો પ્રચાર પ્રસાર થતાં અત્રે આવતા અયત્રાળુઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે, ત્યારે અહીં ઉભી કરવામાં આવેલી સુવિધાઓ યાત્રાળુઓ અને પ્રવાસીઓ માટે કેટલી ઉપયોગી છે. તે જોવાનો પ્રયાસ દિવ્ય ભાસ્કરે કર્યો હતો.

પાવાગઢ મહાકાળી મંદિરમાં આજે શ્રીફળ વિવાદ વચ્ચે શરૂ થયેલી ચૈત્રી નવરાત્રીના પહેલા નોરતે આજે વહેલી સવારથી ભક્તો માતાજીના દર્શને પહોંચ્યા હતા. પાવાગઢ મહાકાળી મંદિરને પ્રવાસન ધામ તરીકે વિકસાવવા માટે પવિત્ર યાત્રાધામ વિકાસબોર્ડ અને પ્રવાસન વિભાગ દ્વારા દોઢસો કરોડ રૂપિયા જેટલો ખર્ચ કરી યાત્રાળુઓની સુવિધામાં વધારો કરવામાં આવ્યો હતો, અત્રે વર્ષ દરમ્યાન આવતી બે નવરાત્રી દરમ્યાન દેશભરમાંથી આવતાં લાખો યાત્રાળુઓ અને પ્રવાસીઓને પીવાના પાણીની સુવિધા માટે બનાવવમાં આવેલા વોટરવર્ક્સ એક વર્ષ ઉપરાંતનો સમય થયો, છતાં હજી ચાલુ જ કરવામાં આવ્યા નથી.

પાવાગઢ માતાજીના દર્શને આવતા અને ચાલતા ડુંગર ઉપર ચડતા યાત્રાળુઓ માટે પહોળા કરવામાં આવેલા પગથિયાં ઉપર વચ્ચે માચીથી ડુંગર ઉપર જવાના માર્ગમાં બનાવવવામાં આવેલ મીની વોટરવર્ક્સ હાલ ચૈત્રી નવરાત્રી દરમ્યાન અહીં અલાવતા ભક્તો માટે ઉપયોગી સાબિત થઈ રહ્યા નથી. અહીં બનાવવમાં આવેલા પાંચેક જેટલા મીની વોટરવર્ક્સ એક વર્ષથી બની ગયા હોવા છતાં આજ દિન સુધી તેમાં પાણી જ નથી આવ્યું, કે નથી નળ લગાવવમાં આવ્યા.

ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ થઇ ગયો છે, પંચમહાલ જિલ્લા પ્રસાસને પાવાગઢ આવતા યાત્રાળુઓને કોઈ તકલીફ ન પડે તે માટે ના સુચારું વ્યવસ્થા માટે બેઠકો પણ કરી છતાં જિલ્લાના એકપણ ઉચ્ચ અધિકારીને પાવાગઢ જઈ લાખો રૂપિયા યાત્રાળુઓના નામે ખર્ચ કરી જે સુવિધાઓ ઉભી કરવામાં આવી છે, તે હકીકતમાં કઈ સ્થિયીમાં છે અને કાર્યરત છે કે કેમ ? તે જોવા કે જાણવા માં કોઈ જ રસ હોય તેમ તેવું જોવા મળ્યું નથી.

કાળઝાળ ગરમીમાં ચૈત્રી નવરાત્રી દરમ્યાન અહીં માતાજીના દર્શને આવનારા વૃદ્ધો, બાળકો, મહિલાઓ માટે સૌથી મોટી વિકટ સમસ્યા પીવાના પાણીની છે, જે માટે સુવિધા તો ઉભી કરવામાં આવી છે પરંતુ આ સુવિધા હાલ ચૈત્રી નવરાત્રીમાં પણ શોભના ગાંઠીયા સમાન સાબિત થઈ રહી છે. પદયાત્રીઓને પીવાનું પાણી મળી રહે તે હેતુથી લાખો રૂપિયાનો ખર્ચ કરી ઉભા કરાયેલા વોટરવર્ક્સ એક વર્ષથી કાર્યરત જ ન થતાં તેને બનાવવાનો હેતુ સિદ્ધ થઈ રહ્યો નથી.
