Thursday, March 23, 2023

ચૈતર વસાવા ધરણાં પર ના બેસે એટલે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું, બોરવેલ માટે મંજૂરી નહીં મળે તો ધરણાં કરવાની ચીમકી આપી | When Chaitar Vasava did not sit on the dharna, a notice was issued, threatening to stage a dharna if the borewell was not approved. | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Narmada
  • When Chaitar Vasava Did Not Sit On The Dharna, A Notice Was Issued, Threatening To Stage A Dharna If The Borewell Was Not Approved.

નર્મદા (રાજપીપળા)એક કલાક પહેલા

  • કૉપી લિંક

ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ તાજેતરમાં મુખ્યમંત્રીને પત્ર લખી એક રજૂઆત કરી હતી કે ડેડિયાપાડાના સાગબારાને વિકાસશીલ તાલુકો જાહેર કરવામાં આવે અને જિલ્લા આયોજન અધિકારીએ બારોબાર બાયોગેસ પ્લાન્ટનું આયોજન કર્યું છે તેને રદ કરી ખેડૂતોને જરૂરી ખેત બોરવેલની મંજૂરી આપવામાં આવે. આ અધિકારી અને એજન્સી સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે. જો સત્વરે યોગ્ય જવાબ ન મળે તો 23 માર્ચે નર્મદા કલેક્ટરની ચેમ્બર સામે ધરણાં પર બેસવાની ચીમકી પણ આપી હતી. આ ચીમકીને પગલે નર્મદા તંત્ર ફફળી ઉઠ્યું હતું અને જિલ્લા કલેક્ટરે ધરણાં, જાહેર સરઘસ નહી કાઢવા સહિતના નિયમો પર પ્રતિબંધ મૂકતું એક જાહેરનામું બહાર પાડ્યું છે.

જાહેરનામું પ્રસિદ્ધ થતા રાજપીપળાની ચારે કોર પોલીસ કાફલો ગોઠવાઈ ગયો હતો. એટલું જ નહીં વડિયા જકાતનાકાથી રાજપીપળામાં પ્રવેશતા ધારાસભ્ય ચૈતર વસાવાને અટકાવવામાં આવ્યા હતા. ધારાસભ્ય અને પોલીસ વચ્ચે બોલાચાલી પણ થયેલી. અંતે ધરણા પર મંજૂરી લઈને બેસવામાં આવશે તેવી વાત કરી કલેક્ટરને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું. બાયોગેસ પ્લાન્ટનું આયોજન રદ કરવાની માંગ કરવા જિલ્લા કલેક્ટર કચેરીએ ધારાસભ્ય પહોંચ્યા હતા. જોકે ત્યાં પણ જિલ્લા કલેક્ટરે તેમના પ્રતિનિધિના હાથે આવેદન સ્વીકાર્યું હતું. આ ઘટના જિલ્લામાં ટોક ઓફ ઘ ટાઉન બની હતી.

આ બાબતે ધારાસભ્ય ચૈતર વસાવાએ જણાવ્યું હતું કે, નર્મદા જિલ્લો અતિ પછાત જિલ્લો છે. પ્રજાલક્ષી યોજનાઓ માટે સરકાર દ્વારા દર વર્ષે કરોડો રૂપિયાની જોગવાઈ કરવામાં આવે છે. પરંતુ આ ગ્રાન્ટનું અધિકારીઓ અને એજન્સીઓ સાથે મળી બારોબાર આયોજન કરી દે છે. સ્થાનિક પદાધિકારીઓ સાથે ચર્ચા-વિમર્શ પણ કરવામાં આવતો નથી.

ધારાસભ્યે લેટરમાં ઉલ્લેખ કર્યો હતો કે, 7 દિવસમાં આ બાબતે સરકાર દ્વારા જો નિકાલ નહીં આવે તો નર્મદા જિલ્લા કલેકટર કચેરી ખાતે પણ ધરણા કરી આવેદનપત્ર આપવામાં આવશે. કેમ કે પ્રજાના ટેક્સના રૂપિયાથી અધિકારીઓ પણ પગાર લે છે અને ધારાસભ્ય પણ લે છે. તો તેમના એક એક રૂપિયા વ્યવસ્થિત રીતે વપરાય અને જરૂરિયાતમંદોને મળે તે બંનેની ફરજમાં આવે છે. પણ અધિકારીઓ પોતાના ગજવા ભરવામાં કોઈને છોડતા નથી. આ પ્રોજેક્ટમાં પણ કઈ આવું જ છે. છતાં આવા અધિકારીઓને તંત્ર છાવરે છે.

અન્ય સમાચારો પણ છે…

Related Posts: