બનાસકાંઠા (પાલનપુર)9 કલાક પહેલા
- કૉપી લિંક

પ્રતીકાત્મક તસવીર
- આજે 14 દર્દીઓ કોરોનાને માત આપવામાં સફળ રહ્યા
બનાસકાંઠા જિલ્લામાં આજે કોરોનાનો વધુ એક કેસ નોંધાયો છે તો બીજી તરફ 14 લોકો કોરોનાને માત આપવામાં સફળ રહ્યા છે. જિલ્લામાં હવે એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 21 પર પહોંચી છે. આરોગ્ય વિભાગ દ્વારા આજે 326 RTPCR ટેસ્ટ કરવામાં આવ્યા હતા.
બનાસકાંઠા જિલ્લામાં કોરોનાના કેસમાં હાલ પૂરતી બ્રેક લાગી હોય તેવું લાગી રહ્યું છે. આજે નવો એક જ કેસ નોંધાયો છે. તો સામે 14 દર્દીઓ કોરોનાને માત આપવામાં સફળ રહ્યા છે. જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 21 પર પહોંચી ચૂકી છે. જિલ્લામાં આજે RTPCRના 326 કેસ નોંધવામાં આવ્યા હતા.
અન્ય સમાચારો પણ છે…