ગાંધીનગરએક કલાક પહેલા
- કૉપી લિંક

ગાંધીનગરના સેકટર – 8 જીઆઇડીસીમાં આવેલ રાધીમ બાયોટેક નામની ફાર્માસ્યુટિકલ કંપનીના મેનેજરે દવા બનાવવા માટેનું રોમટીરીયલ મંગાવીને બારોબાર સગેવગે કરી દીધું હતું. મેનેજરે રૂ. 1 કરોડ 5 લાખ 89 હજાર 772 ની છેતરપિંડી આચરી હતી. જેથી સેકટર – 21 પોલીસ દ્વારા ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
અમદાવાદના ઘાટલોડીયા નારેશ્વર ફ્લેટમાં રહેતાં આશીષ વિનોદરાય ગજ્જરની સેકટર – 8 જીઆઈડીસી ખાતે રાધીમ બાયોટેક નામની ફાર્માસ્યુટીકલ કંપની આવેલી છે. જેમાં દવાની ગોળી, કેપ્સ્યુલ બનાવવાનું તથા વેચાણનું કામ કરવામાં આવે છે. જેની રજીસ્ટર ઓફિસ અમદાવાદ તેમજ દવાનું ઉત્પાદ જીઆઈડીસીમાં કરાય છે. આ ઉપરાંત તેઓ વર્ષ 2014થી આર. એચ એન્ટરપ્રાઇઝ નામથી ગુજરાત સરકારની દવાઓનો ટેન્ડરોના કમિશન એજન્ટ તરીકે પણ કામ કરે છે. આથી આશિષભાઈને અલગ અલગ કંપનીઓમાં જવાનું થતું હતું. એ દરમ્યાન એક કંપનીમાં ભાવીન ગોરધનભાઇ પટેલ સાથે સંપર્ક થયો હતો.
બાદમાં ભાવિનને આ લાઇનનો બહોળો અનુભવ હોવાથી આશીષભાઈએ ભાગીદારીમાં નવી કંપની ઉભી કરવાની વાત કરી હતી. જો કે ભાવિને ઓફર ઠુકરાવી દઈ કંપનીમાં મેનેજર તરીકે તમામ વહીવટ સંભાળવાની તૈયારી દર્શાવી હતી. પછી સેકટર – 8 જીઆઇડીસીમાં જગ્યા ભાડે રાખી ઉક્ત કંપની કાર્યરત કરી હતી. જેમાં ભાવિનને 45 હજારના માસિક પગારે જનરલ મેનેજરની પોસ્ટ આપી હતી. બાદમાં જરૂરી મંજૂરી મેળવીને દવાનું ઉત્પાદન શરૂ કર્યું હતું. જેમાં ત્રીસ જેટલા કર્મચારીઓ કામ કરતા હતા.
બીજી તરફ આશિષભાઈ તેમના સરકારી ટેન્ડરોના કામમાં વ્યસ્ત રહેતા હોવાથી કંપનીનો બધો વહીવટ ભાવિનને સોંપ્યો હતો. આથી દવા બનાવવાનું રો મટીરીયલ્સ, વેચાણ સહિતનું કામ ભાવિન કરતો હતો. અને તે કહે એ મુજબ આશિષભાઈ રોમટીરીયલના નાણા જે તે કંપનીને બીલ મુજબ ચૂકવી દેતા હતા.
ત્યારે ગત તા. 9/2/2022 ના રોજ શ્રીપરીખ ટ્રેડીંગ કંપનીમાંથી આવેલ મેઈલ જણાવાયું હતું કે, તેમની કંપની દ્વારા ખરીદાયેલ રોમટીરીયલના રૂપીયા 54 લાખ 51 હજાર 599 લેવાના બાકી નીકળે છે. જે અંગે આશિષભાઈએ પૂછતાં ભાવીને કહેલું કે ત્યાંથી આવેલ રો મટીરીયલ્સનું ઉત્પાદન ચાલુ છે. જો કે એ પછી ઓગસ્ટ ફરીવાર પરીખ ટ્રેડિંગથી પેમેન્ટની ઉઘરાણી કરાઈ હતી. એ વખતે ભાવિને ઉત્પાદન ચાલુ હોવાનુંનો વિશ્વાસ આપ્યો હતો.
આથી આશિષભાઈએ શંકા રાખી કંપનીમાં તપાસ કરતાં કોઈ દવાનું ઉત્પાદન નહીં થયાનું જાણવા મળ્યું હતું. એટલે ભાવિન ને નોટિસ આપતા તેણે પૈસાની તંગીનાં કારણે અલગ અલગ પાર્ટીઓને રો મટીરીયલ વેચી દીધાની કબૂલાત કરી 45 દિવસમાં નાણાં ચૂકતે કરવાનો વાયદો કર્યો હતો.એટલે આશિષભાઈ રેગ્યુલર કંપની ઉપર આવી હિસાબ કિતાબ જોતા ભાવીને છેતરપિંડી કરી હોવાનો ખ્યાલ આવ્યો હતો. જે પછીથી તેણે કંપની જવાનું પણ બંધ કરી દીધું હતું. આ તરફ પરીખ ટ્રેડિંગ દ્વારા પૈસા માટે આશિષભાઈને લીગલ નોટિસ મોકલી આપવામાં આવી હતી. આખરે આશિષ ભાઈની ફરિયાદના આધારે સેકટર – 21 પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.