- Gujarati News
- Local
- Gujarat
- Aravalli
- In A Village In Dhansura In The Year 2021, Naradham Committed The Act With Sagira; The Sessions Court Delivered A Precedent Setting Judgment
અરવલ્લી (મોડાસા)8 કલાક પહેલા
- કૉપી લિંક
કોઈપણ વ્યક્તિ જ્યારે ખરાબ દાનતથી ખરાબ કૃત્ય કરતો હોય છે. ત્યારે એને પોતાના કર્મ પ્રમાણે સજા મળતી હોય છે. ત્યારે આજે ધનસુરા તાલુકાના એક આરોપીને પોતાના કૃત્યના બદલામાં કોર્ટે ઉદાહરણ રૂપ આજીવન કેદની સજા ફટકારી છે.

વાત છે, ધનસુરા તાલુકાના એક ગામની 2021ના વર્ષમાં કોરોનાની લહેર ચાલી રહી હતી. તેવામાં એક નરાધમે ધોરણ 10માં અભ્યાસ કરતી એક સગીરાને સોશિયલ મીડિયા મારફતે સબંધ કેળવીને પ્રેમ જાળમાં ફસાવી હતી. ધીરે ધીરે સંબંધો આગળ વધતા ગયા અને નરાધમે સગીરા પર દુષ્કર્મ આચારી સગીરાને પિંખી નાખી હતી. સમગ્ર બાબતે સગીરાએ પોતાના વ્હાલીને જણાવતા વ્હાલીએ હિંમત રાખી આવા દુષ્કૃત્ય બાબતે ધનસુરા પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મ અને પોક્સોની કલમ હેઠળ ફરિયાદ નોંધાવી હતી. ધનસુરા પોલીસે જે તે વખતે ગણતરીના કલાકોમાં આરોપી જતીન વાઘેલાને ઝડપી પાડી જેલ હવાલે કર્યો હતો.

સમગ્ર બાબતે મોડાસા સેશન્સ કોર્ટમાં કેસ ચાલતો હતો. ત્યારે આજે આ ચકચારી કેસની સુનાવણી થતા નરાધમ જતીન વાઘેલાને કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે. આરોપીને આજીવન કેદની સજા કરતા ભોગ બનનાર સગીરાના પરિવારજનોએ સંતોષ માન્યો હતો અને સમાજમાં એક દાખલા રૂપ ચુકાદો મેજિસ્ટ્રેટ દ્વારા સાંભળવતા આવું કૃત્યનો વિચાર કરનારમાં પણ ફફડાટ વ્યાપ્યો છે. ત્યારે આમ જનતાએ પણ દીકરીઓની સલામતી અને સુરક્ષાને લઈ એક ઉદાહરણ રૂપ ચુકાદો આપ્યો હતો.