Saturday, April 1, 2023

એકતાનગર ખાતે બીજી એપ્રિલે જિલ્લાના તમામ દાંડીયાત્રીઓ માટે સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન; 25 દિવસની 385 કિમીની દાંડીયાત્રા યોજી પહોંચશે | Organized Snehmilan program for all Dandiyatris of the district on 2nd April at Ektanagar; A 25-day 385 km Dandiyatra will be held | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Narmada
  • Organized Snehmilan Program For All Dandiyatris Of The District On 2nd April At Ektanagar; A 25 day 385 Km Dandiyatra Will Be Held

નર્મદા (રાજપીપળા)એક કલાક પહેલા

  • કૉપી લિંક

દેશની આઝાદીના 75 વર્ષની ઉજવણીના પ્રસંગે 12મી માર્ચના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ “આઝાદી કા અમૃત મહોત્સવ”ના ઉદઘાટનના ભાગરૂપે સાબરમતી આશ્રમથી દાંડી સુધી 385 કિમી 81 દાંડી માર્ચરોને લીલી ઝંડી આપી પદયાત્રાનું પ્રસ્થાન કરાવ્યું હતું.

આ સૌ દાંડીયાત્રીઓ એકબીજા સાથે મુલાકાત કરી શકે તેવા ઉમદા આશય સાથે એકતાનગર, કેવડીયા ખાતે તા. 2 એપ્રિલ, 2023ને રવિવારના રોજ ગુજરાતના તમામ જિલ્લામાંથી ભાગ લેનાર દાંડીયાત્રીઓ માટે સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, સૌ દાંડીયાત્રીઓ વિશ્વની સૌથી ઊંચી ગૌરવરૂપી પ્રતિમા “સરદાર પટેલ” સ્ટેચ્યુ ઓફ યુનિટીના પ્રવાસે પદયાત્રા કરી પહોંચવાના છે.

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીએ સૌ પ્રથમ દાંડીયાત્રા 12મી માર્ચ, 1930ના રોજ 81 દાંડીયાત્રીઓ સાથે મીઠાના કાયદાનો ભંગ કરવા સાબરમતીથી દાંડી સુધી દાંડીયાત્રા કરી હતી. ત્યારબાદ 91 વર્ષ બાદ “આઝાદી કા અમૃત મહોત્સવ” અંતર્ગત 75 વર્ષની ઉજવણીના ભાગરૂપે ફરી એક વખત એજ માર્ગ પર 25 દિવસની 385 કિમીની દાંડીયાત્રા કરવામાં આવી. જેમાં નર્મદા જિલ્લાના બે દાંડીયાત્રીઓની પસંદગી થઈ હતી. જે દાંડીયાત્રી તરીકે ખૂબ જ ગર્વ છે.

અન્ય સમાચારો પણ છે…

 

Please Disable Your Ad Blocker

Our website relies on ads to stay free. Kindly disable your ad blocker to continue.