Sunday, April 2, 2023

દ્વારકામાં લોકોના પ્રશ્નોના ઉકેલ લાવવા 27 એપ્રિલે જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજાશે; આધાર પુરાવા સાથે પ્રશ્નો રજૂ કરી શકાશે | A district reception program will be held on April 27 to address people's issues in Dwarka; Questions may be presented with supporting evidence | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Dwarka
  • A District Reception Program Will Be Held On April 27 To Address People’s Issues In Dwarka; Questions May Be Presented With Supporting Evidence

દ્વારકા ખંભાળિયાએક કલાક પહેલા

  • કૉપી લિંક

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં લોકોના પ્રશ્નો, ફરિયાદો તથા રજૂઆતનો અસરકારક અને ન્યાયિક રીતે સ્થાનિક કક્ષાએ હલ થઇ શકે તે હેતુથી જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને તા. 27 એપ્રિલના રોજ સવારે 11 વાગ્યે ખંભાળિયામાં કલેક્ટર કચેરી ખાતે જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજવામાં આવ્યો છે.

આ કાર્યક્રમમાં અરજી કરતા પહેલા અરજદારે ગ્રામ, તાલુકા અને જિલ્લા કક્ષાએ અરજી કરેલી હોવી જોઈએ, જે અનિર્ણિત હોય, અરજદારે ગ્રામ, તાલુકા અને જિલ્લા કક્ષાએ અરજી કરેલી હોવાના આધાર પુરાવા સાથે જિલ્લા સ્વાગત કાર્યક્રમના મથાળા હેઠળ અરજી કરવાની રહેશે. આ કાર્યક્રમમાં જિલ્લા કક્ષાએ નિર્ણય લઇ શકાય તેવા પ્રશ્નો રજૂ કરી શકાશે.

આ કાર્યક્રમમાં અરજદારો જાતે આધાર પુરાવા સાથે પોતાના પ્રશ્નો રજૂ કરી શકશે અને અરજદાર જાતે રજૂઆત કરી શકશે. આ કાર્યક્રમમાં અરજદાર એક જ વિષયને લઇને રજૂઆત કરી શકશે. સામુહિક રજૂઆત કરી નહીં શકાય. અરજદાર અહીંની કચેરીમાં તા. 10 એપ્રિલ સુધી પ્રશ્નો રજૂ કરી શકશે એવું એક યાદીમાં જણાવાયું છે.

અન્ય સમાચારો પણ છે…

Related Posts: