Sunday, April 9, 2023

સુરેન્દ્રનગરમાં કોરોનાના 4 કેસ નોંધાયા, એક્ટિવ કેસની સંખ્યા 28 થઈ | 4 cases of corona were reported in Surendranagar, the number of active cases increased to 28 | Times Of Ahmedabad

સુરેન્દ્રનગર6 કલાક પહેલા

  • કૉપી લિંક

સુરેન્દ્રનગર જિલ્લામાં શનીવારે કોરોના પોઝિટિવના 4 કેસ ધ્યાને આવ્યાં હતા. જિલ્લામાં કુલ 57 માંથી 29 લોકો સાજા થતા હાલ 28 એક્ટિવ કેસ રહ્યા હતા. શનીવારે ધ્રાંગધ્રામાં 1, પાટડીમાં 1 અને મૂળીમાં 2 કેસ મળી સુરેન્દ્રનગર જિલ્લામાં કુલ કોરોના પોઝિટિવના 4 કેસ નોંધાયા છે. જ્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં શનીવારે 6 દર્દીઓને રજા આપવામાં આવી હતી.

સુરેન્દ્રનગર જિલ્લામાં તા.1 એપ્રિલને શનિવારે એક જ દિવસમાં 6 લોકો કોરોનાગ્રસ્ત બનતા આરોગ્ય તંત્ર દોડતુ થઇ ગયુ હતુ. ત્યારે શનીવારે સુરેન્દ્રનગર જિલ્લામાં 482 આરટીપીસીઆર ટેસ્ટ અને 226 એન્ટીજન ટેસ્ટ મળી કોરોનાના કુલ 708 ટેસ્ટ કરવામાં આવ્યાં હતા. જેમાં સુરેન્દ્રનગર જિલ્લામાં શનીવારે કુલ કોરોના પોઝિટીવના ચાર કેસો ધ્યાને આવ્યાં હતા. જેમાં સુરેન્દ્રનગર જિલ્લામાં ધ્રાંગધ્રામાં 1, પાટડીમાં 1 અને મૂળીમાં 2 મળી કુલ કોરોના પોઝિટિવના 4 કેસ નોંધાયા છે. આ દિવસે કુલ 57માંથી 29 દર્દીઓ સાજા થતા 28 એક્ટીવ કેસ રહ્યા હતા.

બીજી તરફ જિલ્લામાં રસીનો સ્ટોક ન હોવાના કારણે કુલ 37,40,262 લોકોએ રસીકરણ અટકી ગયુ હતુ.આ રસીકરણમાં પ્રથમ ડોઝ 14,81,842 લોકોએ અને બીજો ડોઝ 16,01,669 લોકોએ લીધો હતો. જ્યારે 6,56,741 લોકોએ બુસ્ટર ડોઝ લીધો હતો. જિલ્લાના કુલ રસીકરણમાં 16,52,405 પુરૂષો અને 14,30,559 મહિલાઓનો સમાવેશ થાય છે. આ રસીકરણમાં કોવિશિલ્ડની 30,03,627 તેમજ કોવેક્સિનની 6,45,015 તેમજ 12 થી 14 વર્ષની વયના 89,543 લોકોએ કોબર વેક્સિનની રસી લીધી હતી. જ્યારે 15 થી 17 વર્ષના 2,38,208, 18 થી 44 વર્ષની વયના 17,97,714 અને 45થી 60ની ઉંમરના 6,26,657 તેમજ 60થી ઉપરની વયના 4,64,426 લોકોએ રસી લીધી હતી.

અન્ય સમાચારો પણ છે…

Related Posts: