ગુજરાતમાં કોરોનાના નવા 400ને પાર, અમદાવાદ સહિત આઠ જિલ્લામાં સૌથી વધુ કેસ; ત્રણ દર્દીઓ વેન્ટિલેટર પર | New cases of Corona cross 400 in Gujarat, highest cases in eight districts including Ahmedabad; Three patients on ventilators | Times Of Ahmedabad

અમદાવાદ5 કલાક પહેલા

  • કૉપી લિંક

રાજ્યમાં ફરી એકવાર કોરોના કેસમાં સામે આવી રહ્યા છે. તો બીજી તરફ કોરોનાનાં લક્ષણ ધરાવતા ફ્લૂએ માથું ઊંચક્યું છે. રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી શરદી, ખાંસી, તાવના કેસો પણ જોવા મળી રહ્યા છે. ત્યારે રાજ્યમાં કોરોનાના કેસમાં ફરી એકવાર દિવસેને દિવસે વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 417 કેસ નોંધાયા છે. જેની સામે 322 દર્દીઓ સાજા થયા છે અને હાલ ત્રણ દર્દીઓ વેન્ટિલેટર ઉપર છે.

રાજ્યમાં કોરોનાના કુલ 2087 એક્ટિવ કેસ
કોરોનાના કુલ દર્દીઓની વાત કરીએ તો રાજ્યમાં કુલ 2087 એક્ટિવ કેસ છે. જેમાંથી ત્રણ દર્દીઓ વેન્ટીલેટર પર છે. જ્યારે 2084 દર્દીઓ હાલ સ્ટેબલ છે. ત્યારે કોરોનાની શરૂઆતથી અત્યાર સુધીમાં 12,73,152 લોકોને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. તો બીજી તરફ અત્યાર સુધીમાં કોરોનાથી કુલ 11065 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.

રાજ્યના આઠ જિલ્લામાં કોરોનાના સૌથી વધુ કેસ
કોરોના કેસને લઇ જિલ્લા અને કોર્પોરેશનની વાત કરીએ તો અમદાવાદમાં સૌથી વધુ 139 કેસ નોંધાયા છે. 98 દર્દીઓને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. ત્યારબાદ મહેસાણામાં નવા 46 કેસ નોંધાયા છે. વડોદરામાં 55 કેસ સામે આવ્યા છે. સુરતમાં 51 કેસ નોંધાયા છે. પાટણમાં 20 કેસ સામે આવ્યા છે. ભરૂચમાં 15 કેસ નોંધાયા છે. વલસાડમાં 14 કેસ સામે આવ્યા છે. ગંધીનગરમાં 19 કેસ નોંધાયા છે. રાજકોટમાં 13 નવા કેસ સામે આવ્યા છે. આણંદમાં 5 કેસ નોંધાયા છે. મોરબીમાં 5 કેસ સામે આવ્યા છે. સાબરકાંઠામાં 5 કેસ નોંધાયા છે. ભાવનગરમાં 5 કેસ સામે આવ્યા છે. કચ્છમાં 4 કેસ નોંધાયા છે. ગીર સોમનાથમાં 3 કેસ, નવસારીમાં 3 કેસ, સુરેન્દ્રનગરમાં 3 કેસ, દાહોદામાં 2 કેસ, જામનગરમાં 2 કેસ, ખેડામાં 2 કેસ, પંચમહાલમાં 2 કેસ, પોરબંદરમાં 2 કેસ, અમરેલીમાં 1 કેસ અને અરવલ્લીમાં 1 કેસ સામે આવ્યો છે.

એપ્રિલ મહિનામાં કોરોનાથી દસના મોત
04 એપ્રિલના અમદાવાદના બોપલમાં રહેતા 71 વર્ષીય વૃદ્ધનું મોત થયું હતું. જેમને હાઇપર ટેન્શનની બીમારી હતી. ત્યારબાદ 06 એપ્રિલના અમદાવાદના ગોમતીપુરના 59 વર્ષીય યુવકનું મોત થયું હતું. ત્યારે 08 એપ્રિલના એક જ દિવસમાં ત્રણ દર્દીના મોત થયા હતા. જેમાં અમદાવાદના જોધપુરમાં 91 વષીય વૃદ્ધનું મોત થયું હતું. ત્યારે રાજકોટમાં પણ 1 દર્દીનું મોત થયું હતું. આ ઉપરાંત ભાવનગરમાં પણ 1 દર્દીનું મોત થયું હતું. ત્યારબાદ 9 એપ્રિલના અમદાવાદના સરસપુર રખિયાલ વોર્ડમાં કોરોનાથી 60 વર્ષીય મહિલાનું મોત થયું હતું. જ્યારે 10 એપ્રિલના પણ અમદાવાદના મણિનગરમાં 71 વર્ષીય વૃદ્ધનું મોત થયું હતું. 11 એપ્રિલના અમદાવાદના રામોલ હાથિજણ વોર્ડમાં 27 વર્ષીય યુવતીનું કોરોનાથી મોત થયું હતું. તો આજે ફરી રાજ્યમાં કોરોનાથી બે મોત થયા છે. જેમાં અમદાવાદમાં એક દર્દીનું મોત થયું છે. જ્યારે મહેસાણામાં સારવાર દરમિયાન 50 વર્ષીય આધેડનું મોત થયું છે.

માર્ચ મહિનામાં કોરોનાથી નવ લોકોના મોત
કોરોનાથી રાજ્યમાં દર્દીના મોતની વાત કરીએ તો, રાજ્યમાં 10 માર્ચના સુરતમાં એક દર્દીના મોત થયું હતું. ત્યારબાદ 21 માર્ચે ભરૂચના ઝઘડિયામાં 81 વર્ષીય વૃદ્ધનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. ત્યારબાદ 22 માર્ચે મહેસાણામાં ત્રણ વર્ષના બાળકનું મોત થયું હતું. જેના બીજા દિવસે એટલે કે 23 માર્ચે અમદાવાદમાં 13 વર્ષની બાળકીનું મોત થયું હતું. ત્યાર પછી 25 માર્ચે રાજ્યમાં કોરોનાથી બે દર્દીના મોત થયા હતા. જેમાં અમદાવાદમાં 72 વર્ષયી વૃદ્ધનું મોત નિપજ્યું હતું. જ્યારે કચ્છમાં 9 માસની બાળકીનું મોત થયું હતું. 26 માર્ચે વલસાડના નાનાપોંઢાની 60 વર્ષીય મહિલાનું કોરોનાની સારવાર દરમિયાન મોત થયું હતું. 30 માર્ચે કચ્છમાં એક દર્દીનું મોત થયું હતું. 31 માર્ચે સુરતમાં એક દર્દીનું મોત થયું હતું.

અન્ય સમાચારો પણ છે…
Previous Post Next Post