સુરેન્દ્રનગર જિલ્લામા સતત ચોથા દિવસે કોરોનાનો એકપણ કેસ ન નોંધાયો, કુલ 7 કેસ એક્ટિવ | Surendranagar district has not reported a single case of corona for the fourth consecutive day, a total of 7 active cases | Times Of Ahmedabad

સુરેન્દ્રનગરએક કલાક પહેલા

  • કૉપી લિંક

સુરેન્દ્રનગર જિલ્લામા સતત ચોથા દિવસે પણ કોરોનાનો એકપણ પોઝિટિવ કેસ નોંધાયો નહોતો. જ્યારે આજે કોરોના પોઝિટિવના એકપણ દર્દીને રજા આપવામાં આવી ન હતી. સુરેન્દ્રનગર જિલ્લામાં 105માંથી 98 દર્દીઓ સાજા થતા 7 એક્ટીવ કેસ છે. સુરેન્દ્રનગર જિલ્લામાં તા.30 એપ્રિલને રવિવારે 2 આરટીપીસીઆર અને 2 એન્ટીજન ટેસ્ટ મળી કુલ 4 જ કોરોના ટેસ્ટ કરવામા કરવામા આવ્યા હતા.

જ્યારે આજે એકપણ દર્દીને રજા ન અપાતા જિલ્લામાં કુલ 105 કેસોની સામે 98 લોકો કોરોનામુક્ત બનતા 7 કેસ એક્ટિવ રહ્યા હતા. આ એક્ટિવ કેસમાં સાયલા-1, થાનગઢ-2 અને વઢવાણ પંથકમાં 4 કોરોનાના એક્ટિવ કેસ રહ્યા હતા. આરોગ્ય તંત્ર પાસેથી મળતી માહિતી મુજબ આ તમામ કોરોનાગ્રસ્ત દર્દીઓ હાલ હોમ આઇસોલેશનમાં સારવાર લઇ રહ્યા છે. આજે સુરેન્દ્રનગર જિલ્લામાં એકપણ કોરોના પોઝિટિવ કેસ નોંધાયો ન હતો. છતાં આરોગ્ય વિભાગ દ્વારા લોકોને સતર્ક રહેવાની સાથે ફરજિયાત માસ્ક પહેરવાની અપીલ કરવામાં આવી છે. સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ, થાનગઢ અને સાયલા તાલુકામાં જ હાલ કોરોના એક્ટિવ કેસ છે. બાકીના તાલુકા હાલ તો કોરોના મુક્ત બન્યા છે.

Previous Post Next Post