ભાવનગર5 કલાક પહેલા
- કૉપી લિંક

- જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા 45
ભાવનગર શહેરમાં કોરોના નું સંક્રમણ ધીમી ગતિએ વધી રહ્યું છે જ્યારે જિલ્લામાં હજી સુધી કોરોનાના ઘણાં ઓછા કેસો નોંધાયા છે, જ્યારે આજે ભાવનગર જિલ્લાના સિહોરના વૃદ્ધનું કો-મોર્બીડથી મોત થયું છે, આમ, સિઝનનું પહેલું મોત થયું છે, શહેરના સુભાષનગર સ્મશાન ખાતે સેવાભાવીઓ તથા પરિવારજનો દ્વારા અગ્નિસંસ્કાર કરવામાં આવ્યા હતા.
શહેરમાં કોરોનાના 5 કેસ નોંધાયા
ભાવનગર શહેરમાં આજે 5 નવા કેસ નોંધાયા હતા, જેમાં 2 પુરુષ અને 3 સ્ત્રીનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો, શહેરના જુદા જુદા વિસ્તારમાં કેસ નોંધાયા હતા. જેમાં ભરતનગર વિસ્તારમાં રહેતી 27 વર્ષીય મહિલા, વિજયરાજનગર વિસ્તારમાં રહેતી 23 વર્ષીય યુવતી, નર્સિંગ હોસ્ટેલમાં રહેતી 18 વર્ષીય યુવતી, ઇન્દિરા નગર વિસ્તારમાં રહેતા 52 વર્ષીય પુરુષ તથા હોસ્ટેલમાં રહેતો 27 વર્ષીય યુવાનનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો, જયારે ગ્રામ્યમાં આજે એકપણ કોરોનાનો કેસ નોંધાયો ન હતો.
દર્દી સંક્રમણ પૂર્વેથી જ અનેક રોગો
આ અંગે જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગના ડો.સુનિલ પટેલએ જણાવ્યું હતું કે, ભાવનગર જિલ્લાના સિહોર ખાતે રહેતા 77 વર્ષીય વૃદ્ધનું કો-મોર્બીડમાં મોત થયું હતું, જેમાં વૃદ્ધને ગત તા.2 ના રોજ પ્રાઈવેટ હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યા હતા, અને સ્થિતિ વધુ નાજુક થતા આજરોજ સર ટી માં હોસ્પિટલમાં અવસાન થયું હતું, દર્દી સંક્રમણ પૂર્વેથી જ કિડની, ડાયાબિટીસ, હદય રોગ, બ્લડપ્રેશર સહિતના રોગોથી ગ્રસ્ત હતા, કોરોનાથી સંક્રમિત થતા અવસાન થયું હતું.
શહેર અને જિલ્લામાં કેસોની સંખ્યા
ભાવનગર શહેરમાં હાલ 42 એક્ટિવ કેસ છે જેમાં ભાવનગરમાં અત્યાર સુધીમાં કુલ 21,952 કેસ નોંધાયા છે જેમાંથી 21,717 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે અને ભાવનગર શહેરમાં અત્યાર સુધીમાં 198 દર્દીઓના અવસાન થયા છે, ભાવનગર ગ્રામ્યમાં હાલ 3 એક્ટિવ કેસ છે જેમાં ભાવનગરમાં અત્યાર સુધીમાં કુલ 9863 કેસ નોંધાયા છે જેમાંથી 9723 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે અને ભાવનગર ગ્રામ્યમાં અત્યાર સુધીમાં 141 દર્દીઓના અવસાન થયા છે, આમ, ભાવનગર જિલ્લામાં નોંધાયેલા 31 હજાર 820 કેસ પૈકી 45 દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે અત્યાર સુધીમાં જિલ્લામાં 339 દર્દીઓનું અવસાન થયું છે.