Thursday, April 27, 2023

માળીયા હાટીના પંથકમાં સરકારી જમીનમાં ગેરકાયદેસર રીતે ખોદકામ કરી ખનીજ ચોરી કરતાં 8 ઈસમો ઝડપાયા, રૂ.2.49 કરોડનો મુદ્દામાલ જપ્ત | 8 persons arrested for stealing minerals by digging illegally in government land in Maliya Hati division, Rs.2.49 crores worth seized | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • 8 Persons Arrested For Stealing Minerals By Digging Illegally In Government Land In Maliya Hati Division, Rs.2.49 Crores Worth Seized

જુનાગઢ2 કલાક પહેલા

  • કૉપી લિંક

જુનાગઢ જિલ્લાના માળીયાહાટીના તાલુકાના ખોરાસા ગીર ગામમાંથી મોટા પ્રમાણમાં ખનીજ ચોરી ઝડપાઈ છે. જે મામલે ચોરવાડ પોલીસ સ્ટેશનમાં 8 શખ્સો વિરૂદ્ધ ફરિયાદ નોંધાઈ છે. પોલીસે ખનીજ ઉપરાંત વાહનો મળી કુલ 2.49 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

ભૂમાફીયાઓ ખનીજનું ખોદકામ કરી વાહનો મારફતે શાંતિપરા ગામે ઢગલા કરી ગેરકાયદેસર રીતે બોક્સાઈડનું વેચાણ કરતા હોવાની બાતમી મળતા ચોરવાડ પોલીસે ખનીજ ચોરી મામલે જૂનાગઢ ખનીજ વિભાગને જાણ કરી હતી. જેથી ખાણ ખનીજ વિભાગ દ્વારા ગેરકાયદેસર રીતે કરેલા ખાડાઓની માટી અને ઢગલાની માટીના નમૂના લઈ ગાંધીનગર મોકલવામાં આવ્યાં હતા. જે માટીના રિપોર્ટમાં બોકસાઈટ નામનું ખનીજ હોવાનું સામે આવતા આઠ ઈસમો વિરુદ્ધ ખનીજ ચોરીની ચોરવાડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. માલદે લાખા બારડ, પુનાભાઈ ભીમજીભાઇ સોલંકી, મિલનભાઈ લખમણભાઇ જોટવા ,લખમણભાઇ કરસનભાઈ ચોટવા કિશનભાઇ ગીગનભાઈ બારડ ,ગોવિંદભાઈ લાખાભાઈ રામ ,રામ ભાઈ રાણાભાઇ જોટવા, મુન્નાભાઈ બબાભાઈ કચોટ ,વિરુદ્ધ ચોરવાડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી હતી. બીજી તરફ બોકસાઈડ ખનીજનું 13,000 મેટ્રિક ટન ભુ માફિયાઓ દ્વારા ખનન કરાયું હતું.

ખાણ ખનીજ વિભાગના સુપરવાઇઝર યોગેશ ગઢિયાએ જણાવ્યું હતું કે, અગાઉ ચોરવાડ પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા અલગ અલગ જગ્યાએ તપાસ કરવામાં આવેલ હતી. ચોરવાડના શાંતિપુરા ગામમાંથી માટીના ત્રણ ઢગલાઓ અને એક ખનીજનો ખાડો ગેરકાયદેસર રીતે હોવાનો અહેવાલ ખાણ ખનીજને રજૂ કર્યો હતો. ત્યારબાદ ખાણ ખનીજ દ્વારા ચોરવાડ પોલીસ સ્ટેશનની ટીમને સાથે રાખી શાંતીપુરા ગામમાં તપાસ કરતા ત્રણ અલગ અલગ જગ્યાએ ગેર કાયદેસર રીતે માટીના ઢગલાઓ, અને ખોરાસા ગામમાં બે ખાડાઓમાં અલગ અલગ જગ્યાએ માટીની ગેરકાયદેસર રીતે ખનન થયેલ જોવા મળ્યું હતું. તે જગ્યાની ખનીજ વિભાગ દ્વારા માપણી કરી માટીના સેમ્પલ લઇ ગાંધીનગર સેમ્પલ એનાલીસીસ માટે મોકલવામાં આવ્યું હતું, જેનું ગાંધીનગરથી સેમ્પલ રિપોર્ટ આવી જતા ગેરકાયદેસર રીતે માટી ખનન કર્યાનું સાબિત થતા કરતા 8 ઈસમો વિરુદ્ધ ફરિયાદ દાખલ થઈ છે. ખનીજ તેમજ વાહનો મળી 2.49 કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.