Monday, April 10, 2023

કેરીના પાકને કપાસીથી બચાવવા 80% પરિપક્વતા ફળ તોડવા અનુરોધ, વહેલી સવારે અથવા સાંજે જ ફળો તોડવા | To prevent spongy tissue 80% ripe fruit plucking is recommended, ripe fruits should be plucked early in the morning or evening. | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Valsad
  • To Prevent Spongy Tissue 80% Ripe Fruit Plucking Is Recommended, Ripe Fruits Should Be Plucked Early In The Morning Or Evening.

વલસાડ19 મિનિટ પહેલા

  • કૉપી લિંક

વલસાડ જિલ્લામાં હાફૂસ અને જમાદાર કેરી બેડતા પહેલા ખેડૂતોએ તકેદારી રાખવા જિલ્લા ખેતીવાડી વિભાગ અને બાગાયત અધિકારીએ ખેડૂતોને જરૂરી સૂચનો કર્યા હતા. જિલ્લામાં હાફૂસ અને જમાદાર કેરીના પાકો 80% જેટલો પરિપક્વ તૈયાર થાય બાદ તોડવા અનુરોધ કરવામાં આવ્યો છે. કેરીના પાકને કપાસી (સ્પોન્જીટીસ્યુ)થી બચાવવા લેવામાં આવતી જરૂરી તકેદારી રાખવા સૂચન કર્યું

આંબાપાક વલસાડ જિલ્લાનો મુખ્ય ફળપાક છે. આંબાવાડીમાં આગામી મે-જુન માસમાં કેરીપાકનું ઉત્પાદન મળશે. આંબાની આફૂસ અને જમાદાર જાતોમાં ફળ કપાસી (સ્પોન્જીટીસ્યુ)ને કારણે આંબાવાડીમાં અલગ અલગ પ્રમાણમાં નુકસાન થાય છે. આ ઉપદ્રવ આફૂસ અને જમાદાર જાતની કેરીઓમાં વધારે જોવા મળે છે. મે મહિનામાં સૂર્યની સખત ગરમી જમીન પરથી પરાવર્તિત થતી ગરમી – લૂ ફળમાં ઘુસી જવાથી ફળના માવાને નુકસાન થાય છે. નુકસાનીવાળો ભાગ બરાબર પાકતો નથી તેને ફળ કપાસી તરીકે જાણવામાં આવે છે. આવા ફળો બહારથી પારખી શકાતા નથી. કેરી ફળ કપાસી (સ્પોન્જીટીસ્યુ)થી કેરીપાકને નુક્શાન થતુ અટકાવવા માટે સંકલિત વ્યવસ્થાપન કરવા માટે ખેડૂતોએ આફૂસ જાતના ફળો લીલા પણ પરિપક્વ હોય તેવા (80% પરીપક્વતા) ફળ તોડવામાં આવે તો ફળ કપાસીનો ઉપદ્રવ ઓછો રહે છે. પૂર્ણ વિકસેલા ફળોમાં કપાસી વધુ જોવા મળે છે. આંબાવાડીમાં ખુલ્લી જગ્યામાં ડાંગર કે અન્ય સૂકા ઘાસચારાનું પરાળ કે પાદડાંનુ આવરણ પાથરવાથી જમીન વધુ ગરમ થતી નથી અને કપાસીનું પ્રમાણ ઘટે છે. ઉતારેલા ફળોને સીધા તાપમાં ન રાખતા છાંયડામાં ઢાંકીને રાખવા જોઈએ. સવારના ઠંડા પહોરે કે સાંજના ચાર વાગ્યા પછી કેરી તોડવી જોઈએ એમ વલસાડ જિલ્લા નાયબ બાગાયત નિયામકે અખબાર યાદીમાં જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે…

Related Posts: