Saturday, April 8, 2023

અગરિયાઓએ કહ્યું- 'અમે સદીઓથી છીએ, રણ અમારી આજીવિકા છે; ઘૂડખરને એમનું ઘાસ આપો અમને અમારો રોટલો આપો' | The Agarias said – 'We have been around for centuries, the desert is our livelihood; Give the sheep their grass, give us our bread' | Times Of Ahmedabad

સુરેન્દ્રનગર7 કલાક પહેલા

  • કૉપી લિંક
  • – પાટડી ખાતે કચ્છના નાના રણમાં પરંપરાગત રીતે મીઠું પકવતા અગરીયાઓનું વિરાટ સંમેલન યોજાયું

તાજેતરમાં ગુજરાત હાઇકોર્ટમાં રણમાં મોટા પાયે દબાણ અને મીઠાનું ખનનના મુદ્દે જાહેર હિતની અરજી દાખલ થઈ હતી. પાટડી ખાતે કચ્છના નાના રણમાં પરંપરાગત રીતે મીઠું પકવતા અગરીયાઓનું વિરાટ સંમેલન યોજાયું હતુ. આ મુદ્દાઓ અંગે કાનૂની માર્ગદર્શન મેળવી રણ અને આજીવિકા બચાવવા એક થઈ લડત આપવાનું નક્કી કર્યુ છે. જેમાં અગરિયા સમુદાયે એકસુરે જણાવ્યું કે, “અમે છીએ” સદીઓથી છીએ”……રણ અમારી આજીવિકા છે..!!

કચ્છના નાના રણમાં અગરીયા સમુદાય સદીઓથી મીઠું પકવે છે. ગુજરાતના ઇતિહાસમાં કાઠિયાવાડ ગેઝેટીયરમાં પણ તેનો ઉલ્લેખ છે. ચોમાસામાં સુરેન્દ્રનગર, પાટણ, મોરબી અને કચ્છ આ ચાર જીલ્લામાં 5 તાલુકાનાં 107 ઉપરાંત ગામોના અગરીયા પરિવારો કચ્છના નાના રણમાં સ્થળાંતર કરે છે, અને મીઠું પકવી તેમની આજીવિકા રળે છે.

વર્ષ 1973 અને 1978માં સરકારે નોટિફિકેશન બહાર પાડી નાનું રણ અને કાંધી ઉપરની જમીનો “ઘૂડખર અભયારણ્ય” તરીકે જાહેર કર્યું. અભયારણ્યના કાયદા અનુસાર 1997માં સર્વે અને હક્ક દાવા માટેની પ્રક્રિયા શરૂ થઈ. પણ સદીઓથી મીઠું પકવતા મોટા ભાગના અગરીયા સમુદાય પાસે જમીનના કોઈ પુરાવા ન હતા. કારણ 1948મા (આઝાદી બાદ) ભારત સરકારે નાના પાયે મીઠું પકવતા અગરીયા સમુદાયને કોઈ નોંધણી કે લાઇસન્સની જરૂર નથી તેવું જાહેર કર્યું હતું.

2006મા વન અધિકારનો કાયદો આવ્યો. કોઈ પણ અભયારણ્ય, રક્ષિત વિસ્તાર અથવા જંગલ વિસ્તારમાં આ કાયદો લાગુ પડે છે, અને તે મુજબ અગરીયા સમુદાયના ઘૂડખર અભયારણ્યમાં જવા આવવાના, અને મીઠું પકવવાના અધિકારોને માન્યતા મળવી જોઈએ. આ કાયદા અંતર્ગત પણ હજારો અગરીયા પરિવારોએ એમના સામૂહિક અધિકારો માટે દવાઓ રજૂ કર્યા. આ બાબત રાજ્ય સ્તરે પડતર છે.

તાજેતરમાં ગુજરાત હાઇકોર્ટમાં રણમાં મોટા પાયે દબાણ અને મીઠાનું ખનનના મુદ્દે જાહેર હિતની અરજી દાખલ થઈ હતી. ત્યાર પછી તરત જ અભયારણ્ય વિભાગ દ્વારા નાના અને પરંપરાગત રીતે મીઠું પકવતા અગરીયા ઉપર દબાણ વધ્યું હતુ. વધુમાં દિલ્લી ખાતે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલમાં પણ રણમાં દબાણ બાબતે રાજ્યને નોટિસ કાઢી છે.

છેલ્લા કેટલાય વર્ષોથી અભયારણ્ય વિભાગ દ્વારા નાના અને પરંપરાગત અગરીયાઓની સતામણી થઈ રહી છે. ક્યારે એક કૂવો સુકાઈ જાય તો ઊંડો કરવા અથવા નવો કૂવો કરવા ના પાડે તો ક્યારેક ભરતીના પાણીથી અગરો બચાવવા સેફ્ટી પાળો બાંધવા ન દે, તો ક્યારે તમે ગેરકાયદેસર છો એમ કહીને સોલર પેનલો તોડી નાખી અગરીયાઓ રણ છોડવા મજબૂર કરે.

ઉપરોક્ત બંને કેસ અંગે કાયદાના નિષ્ણાતો માર્ગદર્શન મેળવવા અને આગળની કાર્યવાહી નક્કી કરવા પાટડી ખાતે આખા રણમાંથી અગરીયા ભેગા થયા હતા. કાયદાવિદ વૃંદા ગ્રોવર, કાયદાવિદ અભિમન્યુ શ્રેષ્ઠ અને કાયદાવિદ આનંદ વર્ધન યાજ્ઞિકની ખાસ ઉપસ્થિતિમાં યોજાયેલા આ મિટિંગમાં અગરીયાઓએ એક અવાજે કહ્યું કે, અમે સદીઓથી રણમાં છીએ, રણ જેમ વન્ય પ્રાણીઓનો આશરો છે, એમ અમારી આજીવિકા પણ છે. અને અમારા થકી વન્ય પ્રાણીઓને ક્યારેય કોઈ નુકશાન પહોંચ્યું નથી. ઘૂડખરને એમનું ઘાસ આપો અમને અમારો રોટલો આપો.

આજે શુક્રવારે પાટડી સાંતલપુર, આડેસર, માળીયા, ટીકર, ઘાટીલા, વેણાસર, હળવદ, ધાંગધ્રા, ખારાગોઢા, ઝીંઝુવાડા રણમાંથી હજારો અગરીયાઓ ભેગા થઈ આ મુદ્દાઓ અંગે કાનૂની માર્ગદર્શન મેળવી રણ અને આજીવિકા બચાવવા એક થઈ લડત આપવાનું નક્કી કર્યુ છે. આ આયોજનને સફળ બનાવવા અગરિયા હિત રક્ષક મંચના હરણેશભાઇ પંડ્યા, સાધનાબેન પંડ્યા, પંક્તિબેન જોગ, ભરતભાઇ સોમેરા અને ધ્વનિત પંડ્યા સહિતના આગેવાનોએ ભારે જહેમત ઉઠાવી હતી.

અન્ય સમાચારો પણ છે…

Related Posts: