Monday, April 17, 2023

ગુજરાતના ઇતિહાસમાં સૌ પ્રથમવાર રેલવે વિભાગે AMCને 13.05 કરોડનો ટેક્સ ચૂકવ્યો | For the first time in the history of Gujarat, the railway department paid a tax of 13.05 crores to AMC | Times Of Ahmedabad

અમદાવાદએક કલાક પહેલા

  • કૉપી લિંક

ગુજરાતના ઇતિહાસમાં સૌપ્રથમવાર રેલવે વિભાગ દ્વારા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ટેક્સની ચુકવણી કરવામાં આવી છે. રેલવે વિભાગ દ્વારા છેલ્લા કેટલાય વર્ષોથી સુપ્રીમ કોર્ટના ચુકાદા મુજબ જે ટેક્સ ચૂકવણી કરવાની હોય તે ચૂકવણી કરવામાં આવતી ન હતી ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ટેક્સ વિભાગ અને ભાજપના રેવન્યુ કમિટીના ચેરમેન તથા અન્ય હોદ્દેદારો રેલવે વિભાગની સાથે ચર્ચા વિચારણા કરી રૂ. 13.05 કરોડનો ટેક્સ રેલવે વિભાગ દ્વારા ભરવામાં આવ્યો છે. આ ઉપરાંત કેન્દ્ર સરકારની સંસ્થા એવી બીએસએનએલ દ્વારા રૂ. 6 કરોડ અને ongc દ્વારા રૂ. 76 લાખનો ટેક્સ ભરવામાં આવ્યો છે.

રેવન્યુ કમિટીના ચેરમેન જૈનિક વકીલ અને ડેપ્યુટી ચેરમેન પ્રદીપ દવેએ જણાવ્યું હતું કે સુપ્રીમ કોર્ટના ચુકાદા મુજબ કેન્દ્ર સરકારની જે સંસ્થા છે તેને 33 ટકા અથવા 50 ટકા જેટલો ટેક્સની ચુકવણી કરવાની હોય છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં આજ દિન સુધી રેલવે વિભાગ દ્વારા ક્યારેય ટેક્સની ચુકવણી કરવામાં આવી નથી. વર્ષોથી ટેક્સ ભરવા બાબતે રજૂઆત છતાં વિભાગ દ્વારા ટેક્સ ભરવામાં આવતો હતો નહી. ચાલુ વર્ષે ટેક્સ વિભાગ દ્વારા રેલવે મંત્રાલય અને અધિકારીઓ સુધી રજૂઆત કરી હતી. રેલવે વિભાગે 33 ટકા જેટલા ટેક્સ આપવાની વાત કરી હતી છતાં પણ પ્રયત્ન કરી અને 50 ટકા જેટલી રકમ ટેક્સ વિભાગને ચૂકવવાની રજૂઆત કરાઈ હતી.

જેના ભાગરૂપે મ્યુનિસિપલ કમિશનર અને ડિવિઝનલ રેલવે મેનેજર(DRM) વચ્ચે ચર્ચા વિચારણા થઈ હતી જેમાં એમઓયુ કરવામાં આવ્યા હતા. એમઓયુમાં અમદાવાદના રેલ્વે સ્ટેશન, રેલ્વે ક્વાર્ટર, ગોડાઉન, શેડ વગેરે મિલકતોની આકારણી કરવામાં આવી હતી. રેલવેની મિલકતો ની કેટલા ટેક્સ થાય છે તે રેલવે વિભાગ અને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મેળવણી કરવામાં આવી હતી. જેમાં કેટલીક મિલકતોના ક્ષેત્રફળોમાં વિસંગતતા આવી હતી. 50 ટકા જેટલી રેલવેની મિલકતોનો ટેક્સ ક્લિયર થયો હતો અને જેની રૂ.13 કરોડની કિંમતનો ટેક્સ રેલવે વિભાગ દ્વારા મ્યુનિસિપલ કોર્પોરેશનને ચૂકવવામાં આવ્યો છે.

રેલ્વે વિભાગની હજી 50 ટકા જેટલી મિલકતોની મેળવણી કરવાની બાકી છે. અંદાજિત હજી 14 કરોડ જેટલો ટેક્સ લેવાનો બાકી નીકળે છે. જે આગામી સમયમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મેળવણી કરી અને રેલવે વિભાગ પાસેથી મેળવવામાં આવશે. આ ઉપરાંત BSNL પાસેથી રૂ.6 કરોડ જેટલી રકમનો ટેક્સ લેવાનો બાકી નીકળતો હતો તેની પણ ચૂકવણી કરી દેવામાં આવી છે. જ્યારે ONGC પાસેથી રૂ. 76 લાખનો ટેક્સ લેવાનો બાકી હતો તે પણ ચૂકવાઇ ગયો છે. કેન્દ્ર સરકાર સંલગ્ન સંસ્થાઓ એવી ISRO, ઇન્કમટેક્સ, સેલ્સ ટેક્સ અને એરપોર્ટ જેવી સંસ્થાઓ પાસેથી હવે ટેક્સ વિભાગને લઈ આવે કોઈ પણ પ્રકારનો ટેક્સ બાકી રહેતો નથી.

અન્ય સમાચારો પણ છે…

Related Posts: