જુનાગઢ32 મિનિટ પહેલા
- કૉપી લિંક
લોકોમાં અને ખાસ કરીને યુવાનોમાં હાર્ટ એટેકના લીધે મૃત્યુનું પ્રમાણ વધી રહ્યું છે ત્યારે ભારતીય જનતા પાર્ટીમાં ડોક્ટર સેલ દ્વારા 38 થી વધુ મેડિકલ કોલેજમાં CPR ટ્રેનીંગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ધારાસભ્યો સંગઠનના હોદ્દેદારો તબીબો મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ તેમજ શહેરના વોર્ડના કાર્યકરો દ્વારા આ ટ્રેનિંગ લેવામાં આવી હતી. ખાસ કરીને હાર્ટ એટેકનો ભોગ બનનાર વ્યક્તિને સમયસર સારવાર મળે અને હાર્ટ એટેકના લીધે તેને જીવ ગુમાવવો ન પડે તેવા હેતુથી ડોક્ટર સેલ દ્વારા સીપીઆર ટ્રેનિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. કર્મચારીઓનું ઉત્કૃષ્ટ કામગીરી બદલ સન્માન કરવામાં આવ્યું હતું.

જુનાગઢ મહાનગર ભારતીય જનતા પાર્ટીના ડોક્ટર સેલના સંયોજક ડોક્ટર શૈલેષ બારમેડાએ જણાવ્યું હતું કે, જુનાગઢ સિવિલ હોસ્પિટલ ખાતે યોજાયેલ સીપીઆર કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલની સુચના અને સંગઠન મહામંત્રી રત્નાકર જી ના પારદર્શન હેઠળ જૂનાગઢની મેડિકલ કોલેજમાં ઠેસીયા વિભાગમાં 75 થી વધુ સભ્યોને આ આપવામાં આવી હતી. દરેક વોર્ડના 100 થી પણ વધારે સભ્યોને કાર્ય કરીએ આ ટ્રેનિંગમાં ભાગ લીધો હતો.

સીપીઆર ની ટ્રેનિંગ આજના સમયમાં ખૂબ જરૂરી બની છે. હાલના સમયમાં હાર્ટ એટેકના કારણે મૃત્યુનું પ્રમાણ વધ્યું છે. તેવા સમયે 108 કે બીજી કોઈપણ ટીમ સહાય મળે તે પહેલા દર્દીનું મૃત્યુ થતું હોય છે. જ્યારે આવા સમયે હાર્ટ એટેકનો ભોગ બનનાર વ્યક્તિની નજીક રહેલા લોકો જો સીપીઆરની ટ્રેનિંગ લીધેલી હોય તો તે વ્યક્તિનું જીવન બચાવી શકાય છે. આ સીપીઆર ટ્રેનિંગ માટેનું આયોજન આખા ગુજરાતમાં કરવામાં આવ્યું છે. ગુજરાતની 38 મેડિકલ કોલેજોમાં 1200 થી પણ વધારે તબીબોએ આ કાર્યક્રમમાં સીપીઆર ટ્રેનિંગ આપી હતી. આજના ગુજરાત ભરના સીપીઆર ટ્રેનિંગમાં 65,000 થી વધુ કાર્યકરો આ ટ્રેનિંગ લેશે. આ તમામ કાર્યકરો પોતાના વોર્ડમાં બીજા 15 થી 20 લોકોને આ ટ્રેનિંગ આપશે અને આ રીતે જન જન સુધી આ તાલીમ પહોંચશે અને હાર્ટ એટેક થી થતા મૃત્યુ બચાવી શકાશે.







