Thursday, April 27, 2023

ખંભાળિયાને મળી FM ટ્રાન્સમીટર્સની ભેટ; વર્ચ્યુઅલ કાર્યક્રમ યોજાયો; જિલ્લા કલેક્ટરે લોકોના પ્રશ્નોનું નિરાકરણ લાવ્યું | Gifts of FM transmitters received by Khambhalia; Virtual event held; The District Collector resolved the queries of the people | Times Of Ahmedabad

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Dwarka
  • Gifts Of FM Transmitters Received By Khambhalia; Virtual Event Held; The District Collector Resolved The Queries Of The People

દ્વારકા ખંભાળિયાએક કલાક પહેલા

  • કૉપી લિંક
ફાઈલ ફોટો - Divya Bhaskar

ફાઈલ ફોટો

ખંભાળિયાને એફ.એમ. ટ્રાન્સમીટર્સની ભેટ…
પ્રસારભારતી અને મહાનિર્દેશાલય આકાશવાણી દ્વારા સમગ્ર ભારતમાં નેશનલ બ્રોડકાસ્ટ તરીકે રેડિયોના માધ્યમથી મનોરંજન, માહિતી અને સમાચાર તથા સૂચનાઓનો બહોળો અને મહત્તમ લાભ શ્રોતાઓ અને સામાન્ય જનતાને મળે તે હેતુથી અંદાજે 100 વોટના કુલ 91 એફ.એમ. ટ્રાન્સમીટર્સ સમગ્ર દેશમાં આવતીકાલે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા વિડિયો કોન્ફરન્સના માધ્યમથી વર્ચ્યુઅલ લોકાર્પણ કરવામાં આવશે. જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સુરેન્દ્રનગર ખાતે ઉપસ્થિત રહેશે.

સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, બોટાદ, વેરાવળ અને ખંભાળિયાને એફ.એમ. ટ્રાન્સમીટર્સની ભેટ મળી છે. જેને લઈને ખૂબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તેમજ લોકાર્પણના સમગ્ર સમારોહનું જીવંત પ્રસારણ આકાશવાણી અને દૂરદર્શનની મુખ્ય ચેનલોમાં કરવામાં આવશે. ખંભાળિયા એફ.એમ. ખાતે પણ આ કાર્યક્રમ નિહાળવા સ્થાનિક અગ્રણીઓ ઉપસ્થિત રહેશે.

વર્ચ્યુઅલ કાર્યક્રમ યોજાયો…
ખંભાળિયા નગરપાલિકા દ્વારા મ્યુ. ગાર્ડન ખાતે આવેલા નગરપાલિકાના યોગકેન્દ્ર ખાતે લાઈવ પ્રસારણ કરવામાં આવ્યું હતું. ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ટેકનોલોજીના મહત્તમ ઉપયોગ થકી રાજ્યમાં સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. જેના સફળતાપૂર્ણ 20 વર્ષ પુરા થયા છે. આ પ્રસંગે નરેન્દ્રભાઈ મોદી તેમજ ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ વર્ચ્યુલ માધ્યમથી લાઈવ જોડાયા હતા. તેમાં તેઓએ અરજદારો સાથે 20 વર્ષ જૂની વાતો વાગોળી હતી.

એટલું જ નહીં, લાભાર્થીઓ સાથે હળવા મૂળમાં સીધો સંવાદ કર્યો હતો. દીકરા-દીકરીઓને ભણાવવા માટે તેમણે ટકોર પણ કરી હતી. જ્યારે આયુષમાન કાર્ડ, મા કાર્ડનો લાભ લઇને બીમારીનો ઈલાજ કરાવવા અને તબીબની સલાહ લેવા તથા યોગ કરવા અનુરોધ કર્યો હતો. મહત્વનું છે કે નરેન્દ્ર મોદીએ 20 વર્ષ પહેલાં એટલે કે 24 એપ્રિલ, 2003ના રોજ સ્વાગત (સ્ટેટ વાઇડ અટેન્શન ઓન ગ્રીવાન્સીસ બાય એપ્લિકેશન ઓફ ટેક્નોલોજી) કાર્યક્રમની શરૂઆત કરી હતી. જેના તાજેતરમાં 20 વર્ષ પૂર્ણ થયા છે. છેલ્લા બે દાયકામાં આ કાર્યક્રમ દ્વારા ગુજરાતના લાખો લોકોના 99 ટકા પ્રશ્નનું નિરાકરણ થયું છે. આ કાર્યક્રમમાં નગરપાલિકા પ્રમુખ ભાવનાબેન જીજ્ઞેશભાઈ પરમાર, સદસ્ય ભીખુભા જેઠવા, અજુભાઈ ગાગીયા, કિશોરભાઈ નકુમ તથા નગરપાલિકાના સ્ટાફ તેમજ અન્ય આગવાનો ઉપસ્થિત રહ્યા હતા.

પ્રશ્નોનું નિરાકરણ લાવતા જિલ્લા કલેક્ટર…
છેલ્લા 20 વર્ષથી ચાલતો સ્વાગત કાર્યક્રમ આજે છેવાડાના માનવી માટે સહાયરૂપ બન્યો છે. સ્વાગત કાર્યક્રમ શરૂ કરવાનો વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો ઉદેશ્ય ખરા અર્થમાં સાર્થક થઈ રહ્યો છે. રાજ્ય સરકાર દ્વારા સ્વાગતની 20 વર્ષની ઉજવણી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત દરેક જિલ્લામાં આજરોજ જિલ્લા સ્વાગતની ઉજવણી કરવામાં આવી હતી.

ખંભાળિયા સ્થિત જિલ્લા સેવા સદન ખાતે જિલ્લા સ્વાગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જિલ્લા કલેક્ટર અશોક શર્માએ લોકોના પ્રશ્નોને સાંભળીને તેઓના પ્રશ્નોનું ત્વરીત નિરાકરણ લાવવા માટે સંલગ્ન અધિકારીઓને સુચન કર્યું હતુ.

જિલ્લા સ્વાગતમાં વિવિધ વિસ્તારોમાંથી અરજદારો પોતાની રજૂઆતો લઈને આવ્યા હતા. કુલ 24 જેટલા પ્રશ્નો આજરોજ જિલ્લા સ્વાગતમાં કલેક્ટર દ્વારા સાંભળવામાં આવ્યા હતા. આ પ્રશ્નોમાં માપણી કરવા બાબત, પીવાના પાણીના, જમીનને લગતા પ્રશ્ન, વિગેરે જેવા પ્રશ્નોની રજૂઆતો કરવામાં આવી હતી. 24 પૈકી 22 પ્રશ્નોનું ત્વરીત નિરાકરણ લાવવામાં આવ્યું હતું. જ્યારે બે પ્રશ્નો પેન્ડિંગ રાખવામાં આવ્યા હતા. જિલ્લા સ્વાગતમાં જિલ્લા વિકાસ અધિકારી એસ.ડી. ધાનાણી, નિવાસી અધિક કલેક્ટર ભૂપેશ જોટાણીયા, તેમજ વિવિધ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Related Posts: