મહેસાણા19 મિનિટ પહેલાલેખક: રાજુ નાયક
- કૉપી લિંક

- વિકાસના નામે સિંચાઇ અને મનરેગા વિભાગની ખો
- દેવરાસણ અને દેત્રોજપુરા તળાવ વિકાસ નામે મીંડું
રાજ્ય સરકાર દ્વારા ગામડાંના તળાવોને પાણીસંગ્રહ કરવા માટે ઊંડાં કરી સૌંદર્યીકરણ સાથે રમણીય સ્થળ તરીકે વિકસાવીને અમૃત સરોવર બનાવાઇ રહ્યાં છે. મહેસાણા જિલ્લામાં 75 અમૃત સરોવર પૈકી 45ની કામગીરી પૂરી થઈ ગઈ છે. સિંચાઈ વિભાગ હસ્તકના મહેસાણા તાલુકાના દેત્રોજપુરા (લાખવડ) અને મનરેગા હસ્તકના દેવરાસણ ગામના અમૃત સરોવરની દિવ્ય ભાસ્કરે રૂબરૂ મુલાકાત લેતાં બંને જગ્યાએ માત્ર અમૃત સરોવરનાં બોર્ડ મારી સંતોષ માની લીધો હોય તેવું લાગી રહ્યું છે. દેત્રોજપુરા તળાવનું માત્ર ખોદકામ કરાયું છે. દેવરાસણ તળાવની પણ આ જ સ્થિતિ છે. અમૃત સરોવર તો ઠીક પરંતુ સામાન્ય સરોવર પણ કહી શકાય તેમ નથી.
75 અમૃત સરોવર પૈકી 45ની કામગીરી પૂરી થઈ
ગામતળાવને સરકાર અને લોક ભાગીદારીથી ખોદી ઊંડું કર્યા બાદ ફરજિયાત નહીં પરંતુ તળાવની અંદરના ભાગે પથ્થર પિચિંગ કરી ફરતે વોકવે બનાવી ઉપરના ભાગમાં વૃક્ષારોપણ સાથે બેસવા બાંકડા મૂકી તળાવને રમણીય સ્થળ ઊભું કરી અમૃત સરોવર તૈયાર કરવાનો સરકારનો પ્રોજેક્ટ છે. આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત મહેસાણા જિલ્લામાં 75 તળાવોને અમૃત સરોવર બનાવવા તંત્ર દ્વારા પસંદ કરાયા હતા. જે પૈકી 30 સિંચાઈ વિભાગને અને 45 જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી હસ્તકના મનરેગા વિભાગને બનાવવાના છે.
મનરેગા વિભાગ દ્વારા 21 ગામોમાં કામ પૂરું કરી દેવાયું
તંત્રના આંકડા મુજબ, સિંચાઈ વિભાગ દ્વારા 20 અમૃત સરોવરનાં કામો પૂરાં કરી દેવાયાં છે. જ્યારે 10ની કામગીરી પ્રગતિમાં છે. મનરેગા વિભાગ દ્વારા 21 ગામોમાં કામ પૂરું કરી દેવાયું છે અને 25નું કામ ચાલુ છે. અમૃત સરોવરમાં પસંદગી પામેલા મહેસાણા તાલુકાના બંને ગામના તળાવમાં માત્ર ખોદકામની જ કામગીરી થઈ છે. જ્યારે તળાવના વિકાસ અને સૌંદર્યીકરણ મામલે સિંચાઈ વિભાગ અને મનરેગા વિભાગે એકબીજાને ખો આપી હતી.
અમૃત સરોવર ઊંડાં કરવા 40 લાખનોખર્ચ
સિંચાઈ વિભાગના આર.આર. પટેલના કહેવામુજબ, અમૃત સરોવરમાં માત્ર ખોદકામની કામગીરી અમારે કરવાની છે અને આજુબાજુનું વિકાસનું કામ મનરેગાએ કરવાનું છે. અમારે ત્યાં ખોદકામ સિવાયની કોઈ ગ્રાન્ટ આવતી નથી. 100 ટકા લોક ભાગીદારી તથા 60-40ની સ્કીમમાં એક તળાવ રૂ.2 લાખના ખર્ચે 20 તળાવ રૂ.40 લાખના ખર્ચે ઊંડાં કરાયાં છે.
અહીં અમૃત સરોવરની કામગીરી પૂરી કરાઇ
સિંચાઈ વિભાગહસ્તક : બહુચરાજી તાલુકાના સુરપુરા, ગાંભુ, સાપાવાડા, જોટાણાના ધાંધલપુર, કડીના મહારાજપુરા, નદાણ, વામજ,ગોવિંદપુર ા, ઇન્દ્રાડ, બાવલુ, ઇરાણા, મહેસાણાના દેત્રોજપુરા (લાખવડ), દેલોલી, સતલાસણાના ખીલોલ, કેસરપુરા, ખેરાલુના ડભાડ, વિજાપુરના માલોસણ, વિસનગરના કુવાસણા, દેણપ.
સિંચાઈ વિભાગનાં 30 તળાવો પર મનરેગા હેઠળ કામગીરી કરાઈ નથી
મનરેગા ના હેમંત ગોરે સિંચાઈ વિભાગ હસ્તકના 30 તળાવો પર મનરેગા હેઠળ કોઈપણ કામગીરી કરાઇ નથી નિયામક અને ડીડીઓએ ફાઉન્ડેશન સ્ટોન જેવી કામગીરી પણ તેમની પાસે કરાવે છે આ મુદ્દે કલેકટર પણ તેમનો જ રીવ્યુ લે છે નું જણાવ્યું હતું
મનરેગા સિંચાઈ વિભાગ હસ્તક
બહુચરાજીના રણેલા, રાંતેજ, મોઢેરા, મોટપ, આકબા, કડીના ચંદ્રાસણ, મહેસાણાના ગોઝારિયા, સાલડી, બામોસણા, દેવરાસણ, પાલાવાસણા, સતલાસણાના નાના અને મોટા કોઠાસણા, ભાલુસણા, ખેરાલુના ડાલીસણા, મંડાલી, ઊંઝાના કરણપુર, વડનગરના બાદરપુર, મોલીપુર, વિજાપુરના ગુંદરાસણ, કુકરવાડા અને વિસનગરના પાલડી.