Saturday, April 8, 2023

પેટલાદમાં ભરબજારમાં વેપારીને છરાના ઘા મારી લૂંટ ચલાવનારા બે શખ્સોને LCBએ દબોચ્યા | LCB nabs two men who stabbed and robbed a shopkeeper at Bharbazar in Petlad | Times Of Ahmedabad

આણંદ7 કલાક પહેલા

  • કૉપી લિંક

પેટલાદના ભરબજારમાં એસટી બસ સ્ટેન્ડ સામે આવેલી કરિયાણાના વેપારી મોડી રાત્રે દુકાન બંધ કરી ઘરે જવાની તૈયારી કરી રહ્યાં હતાં, તે સમયે બાઇક પર આવેલા બે શખસે વેપારીને છરાના ઘા ઝીંકી પાકીટ લૂંટી લીધું હતું. આ કેસમાં સ્થાનિક ગુના શોધક શાખાએ બે સ્થાનિક યુવકને પકડી પાડ્યાં હતાં.

પેટલાદના એસટી સ્ટેન્ડ સામે હંસરાજ જશનદાસની કરિયાણાંની દુકાન આવેલી છે. દુકાન માલિક અંકિત દીલીપભાઈ સિંધી વેપાર અને ઉઘરાણીની રોકડ રકમ રૂ.95 હજાર થેલામાં ભરી ઘેર જવાની તૈયારી કરતા હતા. તે જ સમયે હેલ્મેટ પહેરેલો એક ઈસમ દુકાન તરફ ધસી આવી અંકિત પાસેથી રોકડ ભરેલો થેલો ઝૂંટવી રહ્યો હતો. તે સમયે ઝપાઝપી કરતા લૂંટારૂએ છરો કાઢી અંકિત ઉપર હુમલો કરી લૂંટ ચલાવી હતી. આ લૂંટારૂને પકડવા આસપાસના લોકો પાછળ દોડ્યા હતા. પરંતુ લૂંટારૂ બસ સ્ટેન્ડમાં ઘૂસી જઈ એક બાઈક ઉપર તેની સાથે આવેલા સાગરીત સાથે બંન્ને નાસી છૂટ્યા હતા. આ અંગે પેટલાદ શહેર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. આ અંગે પ્રાથમિક તપાસમાં સ્થાનિક ગુના શોધક શાખાએ પણ સ્થળ પર મુલાકાત લીધી હતી. જેમાં કેટલીક મહત્વની કડી મળી હતી.

આ કડી આધારેં હ્યુમન ઇન્ટેલીજન્સને કામે લગાડ્યાં હતાં. જેમાં આ બન્ને શખસ આણંદની બોરસદ ચોકડી પર આવતા હોવાની બાતમી મળતાં એલસીબીની ટીમ તુરંત વોચમાં ગોઠવાઇ હતી. આ વોચ દરમિયાન બાતમીવાળા બન્ને શખસ આવતા તેની અટક કરી પુછપરછ હાથ ધરી હતી. જેમાં બન્ને વસીમ સિકંદર રાવ (મુસ્લીમ) (ઉ.વ.29, રહે. અરજન ફળીયું, પેટલાદ) અને મોહસીન ઉર્ફે બંટી મુજફફર પઠાણ (ઉ.વ.31, રહે. પઠાણવાડા, પેટલાદ) હોવાનું જણાવ્યું હતું. પોલીસે બન્નેની તલાસી લેતા તેમની પાસેથી રોકડા રૂ.97,250 તથા મોબાઇલ મળી આવ્યો હતો. આ અંગે કોઇ સંતોષકારક જવાબ ન હોવાથી તેમને પોલીસ મથકે લાવી આગવી ઢબે પુછપરછ કરવામાં આવી હતી. જ્યાં તેઓ ભાંગી પડ્યા હતા અને તેઓએ જ અંકિત સિંધીને લૂંટ ચલાવી હોવાની કબુલાત કરતાં એલસીબીએ વધુ તપાસ અર્થે પેટલાદ પોલીસને સોંપી દીધાં હતાં.

અન્ય સમાચારો પણ છે…

Related Posts: